જેઈઈ
દેશની ટોપ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે દર વર્ષે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે JEE એક્ઝામનું આયોજન કરવામાં આવે છે. તે એક પ્રવેશ પરીક્ષા છે, જેના દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IITs), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (NITs) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IIITs)માં એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવી શકાય છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દર વર્ષે JEE એક્ઝામ લેવામાં આવે છે. તમે ધોરણ-12મી પછી આ માટે અરજી કરી શકો છો. આ એક્ઝામ બે તબક્કામાં લેવામાં આવે છે. પ્રથમ તબક્કાની પરીક્ષા જાન્યુઆરીમાં લેવામાં આવે છે. બીજા તબક્કાની પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવામાં આવે છે.
JEE Mains પરીક્ષામાં પસંદ કરાયેલા ઉમેદવારોએ JEE એડવાન્સ પરીક્ષામાં હાજર રહેવું પડે છે. આ પછી કાઉન્સેલિંગની પ્રક્રિયા થાય છે. દર વર્ષે 15 થી 20 લાખ યુવાનો IIT JEE મુખ્ય પરીક્ષા માટે અરજી કરે છે. JEE Mains એક્ઝામ કોમ્પ્યુટર આધારિત હોય છે. આ પાસ કર્યા પછી તમે BTech, BArch અને B Plan જેવા અભ્યાસક્રમોમાં એડમિશન લઈ શકો છો.
Breaking News: JEE Advanced 2025નું પરિણામ જાહેર, ફાઇનલ આન્સર કી પણ બહાર પાડવામાં આવી, ડાયરેક્ટ લિંક સાથે અહીં ચેક કરો
JEE Advanced Result 2025 Declared: JEE એડવાન્સ્ડ 2025 નું પરિણામ જાહેર થઈ ગયું છે. સાથે જ ફાઇનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવી છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો અહીં આપેલી સીધી લિંક દ્વારા પોતાનો સ્કોરકાર્ડ ચકાસી શકે છે.
- Meera Kansagara
- Updated on: Jun 2, 2025
- 11:39 am
Breaking news: JEE Main સત્ર 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ JEE મુખ્ય સત્ર 2 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો JEE મેઇનની ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનો સ્કોરકાર્ડ ચકાસી શકે છે. આ પરીક્ષામાં કુલ 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
- Meera Kansagara
- Updated on: Apr 19, 2025
- 10:55 am