Breaking news: JEE Main સત્ર 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ JEE મુખ્ય સત્ર 2 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો JEE મેઇનની ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનો સ્કોરકાર્ડ ચકાસી શકે છે. આ પરીક્ષામાં કુલ 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
JEE Main સત્ર 2 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શુક્રવારે મોડી રાત્રે પરિણામ જાહેર કર્યું અને ટોપર્સની યાદી પણ જાહેર કરી. આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો JEE Main ની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે. પરિણામ તપાસવા માટે, ઉમેદવારોએ તેમના એપ્લિકેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરવો પડશે. NTA એ ફક્ત JEE મેન્સ પેપર 1 (BE/BTech) નું પરિણામ જાહેર કર્યું છે. પેપર 2 (B.Arch/B.Planning) નું પરિણામ હજુ રાહ જોવાઈ રહ્યું છે.
અંતિમ આન્સર કી 18 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે જાહેર કરવામાં આવશે
પરિણામ જાહેર કરતા પહેલા NTA એ 18 એપ્રિલના રોજ અંતિમ આન્સર કી જાહેર કરી હતી. જેના માટે NTA એ પહેલાથી જ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી હતી કે JEE મુખ્ય સત્ર 2 માટે અંતિમ આન્સર કી 18 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે જાહેર કરવામાં આવશે અને પરિણામ 19 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.
NTA એ અંતિમ આન્સર કીમાંથી બે પ્રશ્નો દૂર કર્યા છે અને NTA ના નિયમો મુજબ, બધા ઉમેદવારોને દૂર કરેલા પ્રશ્નો માટે પૂરા ગુણ મળશે. ગુરુવાર 17 એપ્રિલના રોજ NTA એ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) મેઈન સેશન 2 ની ફાઇનલ આન્સર કી પણ ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર રિલીઝ કરી, પરંતુ થોડા કલાકો પછી તેને દૂર કરી દીધી.
તમે સ્કોરકાર્ડ કેવી રીતે જોઈ શકો છો?
- સૌ પ્રથમ JEE Main ની ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.
- પછી સત્ર 2 સ્કોરકાર્ડ લિંક ખોલો.
- તે પછી તમારી લોગિન વિગતો દાખલ કરો અને તેને સબમિટ કરો.
- હવે તમારું સ્કોરકાર્ડ તપાસો અને તેને ડાઉનલોડ કરો.
- 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી
24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા
- એમડી અનસ (રાજસ્થાન)
- આયુષ સિંઘલ (રાજસ્થાન)
- આર્ચીસ્માન નંદી (પશ્ચિમ બંગાળ)
- દેવદત્ત માઝી (પશ્ચિમ બંગાળ)
- આયુષ રવિ ચૌધરી (મહારાષ્ટ્ર)
- લક્ષ્ય શર્મા (રાજસ્થાન)
- કુશાગ્ર ગુપ્તા (કર્ણાટક)
- હર્ષ ગુપ્તા (તેલંગાણા)
- અદિત પ્રકાશ ભગડે (ગુજરાત)
- દક્ષ (દિલ્હી)
- હર્ષ ઝા (દિલ્હી)
- રજિત ગુપ્તા (રાજસ્થાન)
- શ્રેયસ લોહિયા (ઉત્તર પ્રદેશ)
- સક્ષમ જિંદાલ (રાજસ્થાન)
- સૌરવ (ઉત્તર પ્રદેશ)
- વંગાલા અજય રેડ્ડી (તેલંગાણા)
- સાનિધ્ય સરાફ (મહારાષ્ટ્ર)
- વિષાદ જૈન (મહારાષ્ટ્ર)
- અર્ણવ સિંહ (રાજસ્થાન)
- શિવેન વિકાસ તોશનીવાલ (ગુજરાત)
- કુશાગ્ર બાંઘા (ઉત્તર પ્રદેશ)
- સાંઈ મનોગાના ગુથીકોંડા (આંધ્રપ્રદેશ)
- ઓમ પ્રકાશ બેહરા (રાજસ્થાન)
- બાની બ્રતા માજી (તેલંગાણા)
NTA અનુસાર, JEE મુખ્ય સત્ર 2 ના પેપર માટે કુલ 10,61,840 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 9,92,350 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. JEE મુખ્ય સત્ર 2 ની પરીક્ષા 2 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી. પેપર 1, પ્રશ્નપત્ર અને ઉમેદવારોના જવાબોની પ્રોવિઝનલ આન્સર કી આ મહિનાની શરૂઆતમાં બહાર પાડવામાં આવી હતી અને ઉમેદવારોને તેમની સામે વાંધો ઉઠાવવા માટે કહેવામાં આવ્યું હતું.
ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. શિવેન તોષનીવાલા અને અદિત ભગડે એ 100 પર્સન્ટાઈલ મેળવ્યા. સૌથી વધુ રાજસ્થાનના 7 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે તેમજ 3-3 મહારાષ્ટ્ર, યુપી, તેલંગાણાના વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા. 2-2 પ.બંગાળ, ગુજરાત, દિલ્હીના વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. JEE ની પરીક્ષા દેશની ટોપ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવાય છે. IIT, NIT, IIIT સહિતની સંસ્થાઓમાં પ્રવેશ મળે છે.

સાયબર કૌભાંડમાં હિરલબા સહિત 6 સામે ફરિયાદ, 3 આરોપીની ધરપકડ

બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ

માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
