પતંગ મહોત્સવ
ગુજરાતમાં દર વર્ષે મકરસંક્રાંતિ પર્વને લઈ, રાજ્યના અનેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાય છે. દર વર્ષે ઉત્તરાયણ એટલે કે 14 જાન્યુઆરીના 7 દિવસ પહેલાથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરુ થાય છે. તેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
પતંગ મહોત્સવમાં ભારતના વિવિધ રાજ્યો અને વિદેશી પતંગબાજો પણ ભાગ લેતા હોય છે. દર વર્ષે જુદા જુદા દેશના વિવિધ પ્રકારના વિશાળ પતંગો હવામાં ઉડાવવાના કરતબ પતંગબાજો આ મહોત્વ દરમિયાન દર્શાવતા હોય છે. પતંગ મહોત્સવ યોજવાનો એક હેતુ ગુજરાતમાં પ્રવાસન પ્રવૃતિને વેગ આપવાનો પણ હોય છે.
કાઈટ ફ્લાયર્સ વિવિધ રંગબેરંગી આકર્ષક પતંગો ઉડાવી પોતાની પતંગકલા દર્શાવતા હોય છે. વિવિધ થીમ પર આ પતંગોત્સવ યોજાતા રહેતા હોય છે.
Breaking News : 12 જાન્યુઆરીએ અમદાવાદનો આ રસ્તો બંધ રહેશે, ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ જાણો કારણ
વાડજ મોડથી આંબેડકર બ્રિઝ સુધીનો રિવરફ્રન્ટ રોડ બંધ રહેશે. વાડજ સર્કલથી આશ્રમ રોડ તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે, 12 જાન્યુઆરીના રોજ કેમ રિવરફ્રન્ટ વેસ્ટ રોડ બંધ રહેશે
- Nirupa Duva
- Updated on: Jan 11, 2026
- 3:06 pm
Bharuch : મકરસંક્રાંતિ પહેલા ચેતવણીરૂપ ઘટના, પતંગ ચગાવતા ધાબા પરથી બાળક પડી જતા ગંભીરરીતે ઈજાગ્રસ્ત – જુઓ Video
આમોદના મુખ્ય બજાર વિસ્તારમાં પતંગ ચગાવતી વખતે એક દુર્ઘટના સર્જાઈ હતી. ધાબા પરથી 10 વર્ષીય બાળક નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર મળતા બાળકનો બચાવ થતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
- Ankit Modi
- Updated on: Dec 26, 2025
- 1:07 pm