AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરને આપી લાખોની ગિફ્ટ, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થયા હતા.જર્મન ચાન્સલરને પીએમ મોદીએ પટોળું ગિફ્ટ કર્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરને આપી લાખોની ગિફ્ટ, જુઓ વીડિયો
| Updated on: Jan 12, 2026 | 12:58 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે. આજે સવારે જર્મન ચાન્સલર ફ્રેડરિક મેઝ પણ ભારત પહોંચ્યા હતા. અહી તેમણે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરને પટોળામાંથી તૈયાર થયેલો દુપટ્ટો ગિફટ કર્યો હતો. જે જર્મન ચાન્સલરને ખુબ પસંદ આવ્યો હતો.ત્યારબાદ સાબરમતી રિવરફ્રંટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોતસ્વ 2026માં ભાગ લઈ ઉદ્ધાટન કર્યું હતુ. આ તકે બંન્ને નેતાઓએ સાથે પતંગ પણ ચગાવી હતી.

2 દિવસના ભારત પ્રવાસ પર છે જર્મન ચાન્સલર

દુનિયાના અનેક દેશમાં તણાવ વચ્ચે જર્મન ચાન્સલર ભારત પહોચ્યાં છે. આજથી 2 દિવસ સુધી ભારતના પ્રવાસ પર જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ, ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. જેમાં વેપાર, ટેકનીક અને ઉર્જા પર ચર્ચા થઈ હતી. આ સાથે મુલાકાતમાં રક્ષા અને ગ્રીન હાઈડ્રોજન ડીલ પર પણ ચર્ચા થઈ હતી.

ગુજરાત પ્રવાસ પર પીએમ મોદી

પીએમ મોદી 3 દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. પહેલા દિવસે સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં સોમનાથ મંદિર પર વર્ષ 1026માં થયેલા આક્રમમના હજાર વર્ષ પુરા થવા પર 8 થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવવામાં આવ્યો હતો.પ્રવાસના બીજા દિવસે રવિવારે પીએ મોદીએ 1 કિલોમીટર લાંબી શોર્ય યાત્રામાં સામેલ થયા હતા.અહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં અમદાવાદમાં મેટ્રોના ફેઝ-2નું ઉદ્ધાટન કર્યું હતુ. ત્રીજા દિવસે તેમણે કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.

પટોળું તૈયાર કરતા 6 મહિનાથી 1 વર્ષ સુધીનો સમય લાગે છે

પટોળાએ સામાન્ય રીતે રેશમમાંથી વણાટ કરીને બનાવવામાં આવતી સાડી છે,જે ગુજરાતના પાટણમાં બનાવવામાં આવે છે.પાટણનાં પટોળાના વણાટ અને તેની ભાતના આધારે તેના બે મૂખ્ય પ્રકાર પડે છે, સિંગલ ઇકત અને ડવલ ઇકત (ઇકત એટલે વણાટ પહેલા રંગી ને રેશમના દોરા પર જે ભાત પાડવામાં આવે છે તે). પટોળાં અત્યંત મોંઘા હોય છે, જે એક વખતે માત્ર રાજવી અને ઉચ્ચ કુટુંબોમાં જ પહેરવામાં આવતા હતા. હાલમાં તો પટોળાની ખુબ જ માંગ વધી છે. મખમલ પટોળા સુરતમાં પણ બનાવવામાં આવે છે. પટોળાને તૈયાર કરતાં 6 મહિનાથી 1 વર્ષ લાગે છે.

એક ફ્રેમમાં જુઓ મોદી પરિવાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે જુઓપરિવારમાં કેટલા છે સભ્યો? અહી ક્લિક કરો

Follow Us
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
g clip-path="url(#clip0_868_265)">