AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરને આપી લાખોની ગિફ્ટ, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થયા હતા.જર્મન ચાન્સલરને પીએમ મોદીએ પટોળું ગિફ્ટ કર્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરને આપી લાખોની ગિફ્ટ, જુઓ વીડિયો
| Updated on: Jan 12, 2026 | 12:58 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે. આજે સવારે જર્મન ચાન્સલર ફ્રેડરિક મેઝ પણ ભારત પહોંચ્યા હતા. અહી તેમણે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરને પટોળામાંથી તૈયાર થયેલો દુપટ્ટો ગિફટ કર્યો હતો. જે જર્મન ચાન્સલરને ખુબ પસંદ આવ્યો હતો.ત્યારબાદ સાબરમતી રિવરફ્રંટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોતસ્વ 2026માં ભાગ લઈ ઉદ્ધાટન કર્યું હતુ. આ તકે બંન્ને નેતાઓએ સાથે પતંગ પણ ચગાવી હતી.

2 દિવસના ભારત પ્રવાસ પર છે જર્મન ચાન્સલર

દુનિયાના અનેક દેશમાં તણાવ વચ્ચે જર્મન ચાન્સલર ભારત પહોચ્યાં છે. આજથી 2 દિવસ સુધી ભારતના પ્રવાસ પર જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ, ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. જેમાં વેપાર, ટેકનીક અને ઉર્જા પર ચર્ચા થઈ હતી. આ સાથે મુલાકાતમાં રક્ષા અને ગ્રીન હાઈડ્રોજન ડીલ પર પણ ચર્ચા થઈ હતી.

ગુજરાત પ્રવાસ પર પીએમ મોદી

પીએમ મોદી 3 દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. પહેલા દિવસે સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં સોમનાથ મંદિર પર વર્ષ 1026માં થયેલા આક્રમમના હજાર વર્ષ પુરા થવા પર 8 થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવવામાં આવ્યો હતો.પ્રવાસના બીજા દિવસે રવિવારે પીએ મોદીએ 1 કિલોમીટર લાંબી શોર્ય યાત્રામાં સામેલ થયા હતા.અહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં અમદાવાદમાં મેટ્રોના ફેઝ-2નું ઉદ્ધાટન કર્યું હતુ. ત્રીજા દિવસે તેમણે કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.

પટોળું તૈયાર કરતા 6 મહિનાથી 1 વર્ષ સુધીનો સમય લાગે છે

પટોળાએ સામાન્ય રીતે રેશમમાંથી વણાટ કરીને બનાવવામાં આવતી સાડી છે,જે ગુજરાતના પાટણમાં બનાવવામાં આવે છે.પાટણનાં પટોળાના વણાટ અને તેની ભાતના આધારે તેના બે મૂખ્ય પ્રકાર પડે છે, સિંગલ ઇકત અને ડવલ ઇકત (ઇકત એટલે વણાટ પહેલા રંગી ને રેશમના દોરા પર જે ભાત પાડવામાં આવે છે તે). પટોળાં અત્યંત મોંઘા હોય છે, જે એક વખતે માત્ર રાજવી અને ઉચ્ચ કુટુંબોમાં જ પહેરવામાં આવતા હતા. હાલમાં તો પટોળાની ખુબ જ માંગ વધી છે. મખમલ પટોળા સુરતમાં પણ બનાવવામાં આવે છે. પટોળાને તૈયાર કરતાં 6 મહિનાથી 1 વર્ષ લાગે છે.

એક ફ્રેમમાં જુઓ મોદી પરિવાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે જુઓપરિવારમાં કેટલા છે સભ્યો? અહી ક્લિક કરો

Follow Us
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">