અટલ બિહારી વાજપેયી
અટલ બિહારી વાજપેયીજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના દિવસે થયો હતો. પ્રખર રાજકારણી તરીકે નામના મેળવનારા વાજપેયીજી ત્રણ વાર અલગ અલગ રીતે પ્રધાનમંત્રી બન્યા. 1996માં 13 દિવસ, 1998-99માં 13 મહિના અને 1999-2004માં ૫ વર્ષ માટે સત્તા પર રહ્યા. વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. તેમને 1992માં પદ્મવિભૂષણ, 1993મા કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી, 1994માં લોકમાન્ય તિલક એવોર્ડ,1994માં શ્રેષ્ઠ સંસદસભ્ય, 1994માં ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ અને વર્ષ ૨૦૧૫માં ભારત રત્નનો એવોર્ડ મળ્યો હતો. 16 ઓગસ્ટ 2018ના દિવસે તેમનું નિધન થયુ હતું.
10 જૂને એક નવો રેકોર્ડ બનશે… નેહરુ-ઇન્દિરા-મનમોહનથી લઈને મોદી સુધી, દેશ પર કોણે કેટલા દિવસ કર્યું શાસન
PM Modi Set to Surpass Nehru Record: 10 જૂનના રોજ વડા પ્રધાન તરીકે પીએમ મોદી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના રેકોર્ડને તોડશે. ભારતમાં વડાપ્રધાનો વિવિધ રેકોર્ડ ધરાવે છે. કેટલાક વડાપ્રધાન તરીકે સૌથી લાંબા સમય સુધી કાર્યકાળનો રેકોર્ડ ધરાવે છે, જ્યારે કેટલાક એક પણ દિવસ માટે સંસદનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સ્વતંત્રતાથી લઈને વર્તમાન વડા પ્રધાન મોદી સુધીના વડા પ્રધાનોની વાર્તા વાંચો.
- Meera Kansagara
- Updated on: Jun 7, 2026
- 2:24 pm
10 જૂને બનશે નવો રેકોર્ડ… નેહરુ, ઇન્દિરા અને મનમોહનથી લઈને મોદી સુધી, કોણે કેટલા સમય સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યું?
નરેન્દ્ર મોદી પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા 4,399 દિવસના કાર્યકાળના રેકોર્ડને તોડી નાખશે. નરેન્દ્ર મોદી દેશના પંદરમા વડા પ્રધાન છે. જ્યારે કેટલાક વડા પ્રધાનોને લાંબા સમય સુધી દેશના સર્વોચ્ચ પદ પર સેવા આપવાની તક મળી હતી, તો કેટલાકનો કાર્યકાળ ખૂબ જ ટૂંકા હતો.
- Devankashi rana
- Updated on: Jun 7, 2026
- 1:41 pm
સંસદને બાયપાસ કરીને નહેરુએ પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ કરી નાખી તો… ખુદ કોંગ્રેસી સાંસદોએ નિર્ણયને એકતરફી ગણાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જવાહરલાલ નહેરુએ પાકિસ્તાન સાથે જે સિંધુ જળ સંધિ કરી, એ અન્યાયી હતી. એ સમયે સંસદમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી અને મોટાભાગના સાંસદોએ સંધિની ટીકા કરી હતી. અટલ બિહારી વાજપેયીએ આ સંધિને પાકિસ્તાન જેવા દુશ્મન સામેની ખતરનાક છૂટ ગણાવી હતી. પરંતુ નહેરુ કોઈનું માન્યા નહીં. ત્યાં સુધી કે સંસદમાં ચર્ચા પણ નામમાત્રની થઈ હતી કારણ કે સંસદમાં ચર્ચા પહેલા સિંધુ જળસંધિને નહેરુએ બહાલી પહેલા જ આપી દીધી હતી. સંસદની મંજૂરી પણ લેવાનુ તેમણે જરૂરી સમજ્યુ ન હતુ.
- Mina Pandya
- Updated on: Aug 21, 2025
- 6:38 pm
Favourite Food: પંડિત જવાહરલાલ નહેરુથી લઈને પીએમ મોદી સુધી… દેશના વડાપ્રધાનોનું ફેવરિટ ફૂડ જાણો !
દેશના ઘણા વડાપ્રધાનો એવા છે કે, જેમને ખાવા-પીવાનો શોખ ખૂબ રહેલો છે. દેશના પહેલા વડાપ્રધાન પંડિત નેહરુ હોય કે પછી પીએમ મોદી દરેક વડાપ્રધાને મન મૂકીને પોતાની ફેવરિટ વાનગી ખાધી છે.
- Ravi Prajapati
- Updated on: Jul 29, 2025
- 4:32 pm