અટલ બિહારી વાજપેયી
અટલ બિહારી વાજપેયીજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના દિવસે થયો હતો. પ્રખર રાજકારણી તરીકે નામના મેળવનારા વાજપેયીજી ત્રણ વાર અલગ અલગ રીતે પ્રધાનમંત્રી બન્યા. 1996માં 13 દિવસ, 1998-99માં 13 મહિના અને 1999-2004માં ૫ વર્ષ માટે સત્તા પર રહ્યા. વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. તેમને 1992માં પદ્મવિભૂષણ, 1993મા કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી, 1994માં લોકમાન્ય તિલક એવોર્ડ,1994માં શ્રેષ્ઠ સંસદસભ્ય, 1994માં ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ અને વર્ષ ૨૦૧૫માં ભારત રત્નનો એવોર્ડ મળ્યો હતો. 16 ઓગસ્ટ 2018ના દિવસે તેમનું નિધન થયુ હતું.
સંસદને બાયપાસ કરીને નહેરુએ પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ કરી નાખી તો… ખુદ કોંગ્રેસી સાંસદોએ નિર્ણયને એકતરફી ગણાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જવાહરલાલ નહેરુએ પાકિસ્તાન સાથે જે સિંધુ જળ સંધિ કરી, એ અન્યાયી હતી. એ સમયે સંસદમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી અને મોટાભાગના સાંસદોએ સંધિની ટીકા કરી હતી. અટલ બિહારી વાજપેયીએ આ સંધિને પાકિસ્તાન જેવા દુશ્મન સામેની ખતરનાક છૂટ ગણાવી હતી. પરંતુ નહેરુ કોઈનું માન્યા નહીં. ત્યાં સુધી કે સંસદમાં ચર્ચા પણ નામમાત્રની થઈ હતી કારણ કે સંસદમાં ચર્ચા પહેલા સિંધુ જળસંધિને નહેરુએ બહાલી પહેલા જ આપી દીધી હતી. સંસદની મંજૂરી પણ લેવાનુ તેમણે જરૂરી સમજ્યુ ન હતુ.
- Mina Pandya
- Updated on: Aug 21, 2025
- 6:38 pm
Favourite Food: પંડિત જવાહરલાલ નહેરુથી લઈને પીએમ મોદી સુધી… દેશના વડાપ્રધાનોનું ફેવરિટ ફૂડ જાણો !
દેશના ઘણા વડાપ્રધાનો એવા છે કે, જેમને ખાવા-પીવાનો શોખ ખૂબ રહેલો છે. દેશના પહેલા વડાપ્રધાન પંડિત નેહરુ હોય કે પછી પીએમ મોદી દરેક વડાપ્રધાને મન મૂકીને પોતાની ફેવરિટ વાનગી ખાધી છે.
- Ravi Prajapati
- Updated on: Jul 29, 2025
- 4:32 pm
જ્યારે RAW એ ટેપ કરી લીધો પરવેજ મુશર્રફનો ફોન અને આખી દુનિયા સામે ખૂલી ગઈ પાકિસ્તાનની પોલ- વાંચો
ભારતની રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ RAW એ 1999માં કારગીલ યુદ્ધ સમયે પાકિસ્તાનના તત્કાલિન સેના પ્રમુખ જનરલ પરવેજ મુશર્રફ અને તેના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનેન્ટજ જનરલ મોહમ્મદ અજીજ વચ્ચે થયેલી અત્યંત ગુપ્ત અને મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત ઈન્ટરસેપ્ટ કરી હતી. આ વાતચીત પાકિસ્તાનની સેનાની સક્રિય ભાગીદારીને સ્પષ્ટ રીતે દર્શાવતી હતી. જેના દ્વારા ભારતને પાકિસ્તાનના અસલી (બદ્દ?) ઈરાદા વિશે જાણ થઈ રહી હતી.
- Mina Pandya
- Updated on: Jun 2, 2025
- 7:20 pm