AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat kohli: વિરાટ કોહલીને વન ડે કેપ્ટન પદે થી કેમ હટાવ્યો, જાણો 4 મોટા કારણો

રોહિત શર્મા (Rohit Sharma) ને T20 બાદ ODI ટીમની જવાબદારી પણ સોંપવામાં આવી છે, વિરાટ કોહલી (Virat Kohli) ટેસ્ટ કેપ્ટન રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 8:34 PM
Share
ટીમ ઈન્ડિયા (Team India) ની T20 કેપ્ટનશીપ છોડ્યા બાદ હવે વિરાટ કોહલી (Virat Kohli) ના હાથમાંથી વનડેની કેપ્ટન્સી પણ ગઈ છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતની સાથે જ પસંદગીકારોએ વનડે ટીમની કમાન પણ રોહિત શર્માને સોંપી હતી. મતલબ કે હવે ભારતીય ટીમ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં આવતા વર્ષે T20 વર્લ્ડ કપ અને વર્લ્ડ કપ 2023 રમશે. પરંતુ અહીં સવાલ એ છે કે વિરાટ કોહલીને પણ ODI ટીમની કેપ્ટનશીપથી કેમ હટાવવામાં આવ્યો? ચાલો તમને આના 4 કારણો જણાવીએ.

ટીમ ઈન્ડિયા (Team India) ની T20 કેપ્ટનશીપ છોડ્યા બાદ હવે વિરાટ કોહલી (Virat Kohli) ના હાથમાંથી વનડેની કેપ્ટન્સી પણ ગઈ છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતની સાથે જ પસંદગીકારોએ વનડે ટીમની કમાન પણ રોહિત શર્માને સોંપી હતી. મતલબ કે હવે ભારતીય ટીમ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં આવતા વર્ષે T20 વર્લ્ડ કપ અને વર્લ્ડ કપ 2023 રમશે. પરંતુ અહીં સવાલ એ છે કે વિરાટ કોહલીને પણ ODI ટીમની કેપ્ટનશીપથી કેમ હટાવવામાં આવ્યો? ચાલો તમને આના 4 કારણો જણાવીએ.

1 / 6
તેમાં કોઈ શંકા નથી કે વનડે કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. વિરાટની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 19માંથી 15 ODI દ્વિપક્ષીય શ્રેણી જીતી છે. ઘરની ધરતી પર, તેણે 9માંથી 8 દ્વિપક્ષીય શ્રેણી જીતી પરંતુ વિરાટ ICC ટૂર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહ્યો. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2017, વર્લ્ડ કપ 2019 જીતવાથી ચૂકી ગઈ હતી અને T20 વર્લ્ડ કપ 2021માં સેમિફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી. તે વાત ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલીની વિરુદ્ધ ગઇ છે.

તેમાં કોઈ શંકા નથી કે વનડે કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. વિરાટની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 19માંથી 15 ODI દ્વિપક્ષીય શ્રેણી જીતી છે. ઘરની ધરતી પર, તેણે 9માંથી 8 દ્વિપક્ષીય શ્રેણી જીતી પરંતુ વિરાટ ICC ટૂર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહ્યો. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2017, વર્લ્ડ કપ 2019 જીતવાથી ચૂકી ગઈ હતી અને T20 વર્લ્ડ કપ 2021માં સેમિફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી. તે વાત ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલીની વિરુદ્ધ ગઇ છે.

2 / 6
રોહિત શર્મા ટી-20નો કેપ્ટન બનતાની સાથે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે વન ડે ના કેપ્ટનને પણ ટૂંક સમયમાં બદલવામાં આવશે. સામાન્ય રીતે લિમિટેડ ઓવર્સના ફોર્મેટનો કેપ્ટન એક જ હોય ​​છે અને ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટનશિપ અન્ય કોઈની પાસે હોઈ શકે છે. જેમ કે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડની ટીમોમાં પણ. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) આ જ વલણ અપનાવતા વિરાટ કોહલીને ટેસ્ટ કેપ્ટન તરીકે જાળવી રાખવાનું યોગ્ય માન્યું.

રોહિત શર્મા ટી-20નો કેપ્ટન બનતાની સાથે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે વન ડે ના કેપ્ટનને પણ ટૂંક સમયમાં બદલવામાં આવશે. સામાન્ય રીતે લિમિટેડ ઓવર્સના ફોર્મેટનો કેપ્ટન એક જ હોય ​​છે અને ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટનશિપ અન્ય કોઈની પાસે હોઈ શકે છે. જેમ કે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડની ટીમોમાં પણ. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) આ જ વલણ અપનાવતા વિરાટ કોહલીને ટેસ્ટ કેપ્ટન તરીકે જાળવી રાખવાનું યોગ્ય માન્યું.

3 / 6
બાયો બબલમાં સતત રહેવું અને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવી સરળ નથી. વિરાટ કોહલીએ જાહેર મંચ પર આ વાત ઘણી વખત કહી છે. ત્રણ ફોર્મેટમાં રમવું અને ટીમની કેપ્ટનશિપ કરવી એ પોતાનામાં એક પડકાર છે અને તેની અસર હવે વિરાટ કોહલીની બેટિંગ પર પણ જોવા મળી રહી છે. વિરાટ કોહલી છેલ્લા 2 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. ODI અને T20ની કેપ્ટનશીપમાંથી મુક્ત થયા બાદ હવે વિરાટ કોહલીને બેટ્સમેન તરીકે ચોક્કસ રાહત મળશે.

બાયો બબલમાં સતત રહેવું અને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવી સરળ નથી. વિરાટ કોહલીએ જાહેર મંચ પર આ વાત ઘણી વખત કહી છે. ત્રણ ફોર્મેટમાં રમવું અને ટીમની કેપ્ટનશિપ કરવી એ પોતાનામાં એક પડકાર છે અને તેની અસર હવે વિરાટ કોહલીની બેટિંગ પર પણ જોવા મળી રહી છે. વિરાટ કોહલી છેલ્લા 2 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. ODI અને T20ની કેપ્ટનશીપમાંથી મુક્ત થયા બાદ હવે વિરાટ કોહલીને બેટ્સમેન તરીકે ચોક્કસ રાહત મળશે.

4 / 6
વિરાટ કોહલીને ODI અને T20 ટીમના સુકાનીપદેથી હટાવવાનું એક કારણ નવો કોચિંગ સ્ટાફ પણ હોઈ શકે છે. રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બની ગયો છે અને તે એક નવી વિચારસરણી સાથે ટીમમાં આવ્યો છે. શક્ય છે કે રાહુલ દ્રવિડ નવા કેપ્ટન સાથે ટીમને આગળ લઈ જવા માંગે છે.

વિરાટ કોહલીને ODI અને T20 ટીમના સુકાનીપદેથી હટાવવાનું એક કારણ નવો કોચિંગ સ્ટાફ પણ હોઈ શકે છે. રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બની ગયો છે અને તે એક નવી વિચારસરણી સાથે ટીમમાં આવ્યો છે. શક્ય છે કે રાહુલ દ્રવિડ નવા કેપ્ટન સાથે ટીમને આગળ લઈ જવા માંગે છે.

5 / 6
ટીમ ઇન્ડિયાએ જોકે હાલમાં જ કોહલીની કેપ્ટનશિપમાં ન્યુઝીલેન્ડની ટીમ સામે જબરદસ્ત વિશાળ જીત મેળવી છે. કોહલીની આગેવાનીમાં મુંબઇમાં રમાયેલી ટેસ્ટમાં ભારતીય ટીમે 372 રન થી જીત મેળવી હતી.

ટીમ ઇન્ડિયાએ જોકે હાલમાં જ કોહલીની કેપ્ટનશિપમાં ન્યુઝીલેન્ડની ટીમ સામે જબરદસ્ત વિશાળ જીત મેળવી છે. કોહલીની આગેવાનીમાં મુંબઇમાં રમાયેલી ટેસ્ટમાં ભારતીય ટીમે 372 રન થી જીત મેળવી હતી.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">