India Squad: ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, કોહલી-ઐયર સીરિઝમાંથી બહાર, આકાશ દીપને મળ્યો મોકો

ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં શરૂ થશે. જ્યારે ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમો અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટમાં 1-1થી બરાબરી પર છે. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. બંને ઈજાગ્રસ્ત હોવાથી બીજી ટેસ્ટમાં રમી શક્યા ન હતા. પસંદગી છતાં તે રમશે તે નિશ્ચિત નથી.

India Squad: ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, કોહલી-ઐયર સીરિઝમાંથી બહાર, આકાશ દીપને મળ્યો મોકો
Follow Us:
| Updated on: Feb 10, 2024 | 7:16 PM

ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બાકીની મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી આ શ્રેણીમાંથી સંપૂર્ણપણે બહાર છે. પારિવારિક કારણોસર તે પ્રથમ બે ટેસ્ટમાં રમી શક્યો નહોતો. ફાસ્ટ બોલર આકાશ દીપ સિંહને બાકીની મેચો માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાશે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમો અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટમાં 1-1થી બરાબરી પર છે.

BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું કે, વિરાટ કોહલી અંગત કારણોસર શ્રેણીની બાકીની મેચોમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. બોર્ડ કોહલીના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે અને સમર્થન કરે છે. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. બંને ઈજાગ્રસ્ત હોવાથી બીજી ટેસ્ટમાં રમી શક્યા ન હતા. પસંદગી છતાં તે રમશે તે નિશ્ચિત નથી. બોર્ડે માહિતી આપી હતી કે જાડેજા અને કેએલ રાહુલની ભાગીદારી BCCI મેડિકલ ટીમની ફિટનેસ ક્લિયરન્સને આધીન છે.

બાકીની ત્રણ મેચ રાજકોટ, રાંચી અને ધર્મશાળામાં રમાશે

ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં શરૂ થશે. જ્યારે ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાળામાં રમાશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શ્રેણીની બાકીની ત્રણ મેચો માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.

શ્રેયસ અય્યર બહાર થયો

મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ આગામી ત્રણ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. અય્યર ઈજાના કારણે બહાર છે. બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) તેની આગળની પ્રગતિ પર નજર રાખશે. ફોરવર્ડ ડિફેન્સ રમતી વખતે, અય્યરે પીઠમાં જકડાઈ જવાની તેને પીડાની ફરિયાદ કરી હતી. જોકે, બીસીસીઆઈએ ઐયરની ઈજા અંગે કંઈપણ જાહેર કર્યું નથી. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને ખરાબ ફોર્મના કારણે બહાર કરવામાં આવ્યો છે.

આકાશ દીપને તક મળી

વરિષ્ઠ પસંદગી સમિતિએ બાકીની ત્રણ ટેસ્ટ મેચો માટે આકાશ દીપની પસંદગી કરવાનો નિર્ણય લીધો છે. આવેશ ખાન આઉટ થયો છે. પસંદગી સમિતિનું માનવું છે કે ટેસ્ટ ટીમ સાથે બેન્ચ પર બેસવા કરતાં રણજી ટ્રોફીમાં રમવું એ ઉત્તેજનાનો સારો સ્ત્રોત હશે. આકાશને સિનિયર ટીમ સાથે સુધરવાની તક મળશે.

આ પણ વાંચો: વિરાટ કોહલી આખી ટેસ્ટ સિરીઝમાંથી બહાર, કારકિર્દીમાં પહેલીવાર આવો દિવસ જોવો પડ્યો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">