Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૉંગ્રેસે મૌન તોડ્યું અને PM નરેન્દ્ર મોદીની સંવેદનશીલતા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો, ‘શું દુનિયામાં આવા કોઈ PM છે ?’

પુલવામા આતંકી હુમલા પર મોદી સરકાર સાથે સતત ઊભી રહેલી કૉંગ્રેસે 7 દિવસ બાદ મૌન તોડ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. TV9 Gujarati   Web Stories View more Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ […]

કૉંગ્રેસે મૌન તોડ્યું અને PM નરેન્દ્ર મોદીની સંવેદનશીલતા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો, ‘શું દુનિયામાં આવા કોઈ PM છે ?’
Follow Us:
| Updated on: Feb 21, 2019 | 6:45 AM

પુલવામા આતંકી હુમલા પર મોદી સરકાર સાથે સતત ઊભી રહેલી કૉંગ્રેસે 7 દિવસ બાદ મૌન તોડ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ
આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ
કિંગ ખાનના હાથે જાનકી બોડીવાલાને મળ્યો IIFA Awards
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ
પતિ ચહલને બીજી યુવતી સાથે જોઈ ધનશ્રીને થઈ જલન ! હવે Restore કર્યા ફોટા
લગ્નના 4 મહિનાના સિક્રેટ લગ્ન પછી છૂટાછેડા લઈ રહી છે અભિનેત્રી

પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે જ્યારે 14 ફેબ્રુઆરીએ દેશ પર પુલવામા આતંકી હુમલો થયો, દેશ આખો શોકમાં ડૂબી ગયો, ત્યારે પીએમ મોદી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતાં.

સુરજેવાલાએ કહ્યું, ‘પુલવામા આતંકી હુમલો 3 વાગીને 10 મિનિટે થયો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6.10 વાગ્યા સુધી ઉત્તરાખંડમાં જિમ કૉર્બેટ નેશનલ પાર્ક ખાતે ડિસ્કવરી ચૅનલના વડા સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતાં. તે સમયે દેશ આપણા શહીદોના ટુકડાં ચૂંટી રહ્યો હતો અને પીએમ મોદી પોતાના નામના નારા લગાવડાવી રહ્યા હતાં. આતંકી હુમલામાં જવાનોની શહાદત બાદ દેશના ઘરોમાં ચૂલા બંધ હતા અને પીએમ ઉત્તરાખંડના રામનગરના ગેસ્ટ હાઉસમાં ચા-નાશ્તાની મજા માણી રહ્યા હતાં. કદાચ જ દુનિયામાં કોઈ દેશના વડાપ્રધાને આવું ક્યારેય કર્યું હશે. આ દેશનો વડાપ્રધાન પુલવામા હુમલા બાદ ચાર કલાક તક વન વિહાર કરતા રહ્યાં. હુમલાના 3 કલાક સુધી મોદી શૂટિંગ કરતા રહ્યાં. આવા વડાપ્રધાનને શું કહેવામાં આવે, આવા પીએમ માટે મારી પાસે શબ્દ નથી.’

કૉંગ્રેસે મોદીના દક્ષિણ કોરિયા પ્રવાસ સામે પણ સવાલ ઉછઠાવતા કહ્યું કે દેશ જ્યારે શોકમાં ડૂબેલો છે, ત્યારે પીએમ મોદી સૈર-સપાટા માટે વિદેશ પ્રવાસે જતા રહ્યાં છે. શહીદોના તાબૂત પીએમ મોદીનો ઇંતેજાર કરતા રહ્યાં, પણ તેઓ ત્યાંથી પરત વિલંબથી પરત ફર્યા. તેમણે કહ્યું કે આતંકી હુમલાનો જવાબ આપવા માટે કૉંગ્રેસે સરકારને સંપૂર્ણ ટેકો આપ્યો છે, પણ મોદીજી રાજધર્મ ભૂલીને રાજ બચાવવામાં લાગ્યા છે. સત્તાની ભૂખમાં મોદીજીએ માણસાઈ ભુલાવી દીધી છે. તેમણે મોદી અને અમિત શાહ સામે આતંકવાદ પર રાજકારણ કરવાનો પણ આરોપ લગાવ્યો.

[yop_poll id=1654]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">