IND vs SL: શ્રીલંકા પહોંચતા જ સૌથી મોટી નબળાઈ પર કામ શરૂ, લંકા દહનની તૈયારીની શાનદાર શરૂઆત
ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં તેની સૌથી મોટી નબળાઈ બની ગયેલી ભૂલનું પુનરાવર્તન કરવા માંગતી નથી. એટલા માટે ગૌતમ ગંભીરે કોલંબો પહોંચતાની સાથે જ આ ભૂલ પર કામ કરવાનું શરુ કર્યું હતું. શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટે ખેલાડીઓએ આ ભૂલને સુધારવું ખૂબ જ જરૂરી છે.

શ્રીલંકા પહોંચ્યા પછી, ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેલાડીઓએ કોલંબોના NCC ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી, જ્યાં કોચ ગૌતમ ગંભીરે સૌપ્રથમ ટીમની ફિલ્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે છેલ્લા ઘણા મહિનાઓથી ટીમ ઈન્ડિયા માટે મુખ્ય માથાનો દુખાવો બની રહી છે. શ્રીલંકામાં પ્રથમ પ્રેક્ટિસ સેશન ફિલ્ડિંગથી શરૂ થયું તે હકીકત ટીમ ઈન્ડિયાની નબળાઈ અંગે ચિંતાનો પુરાવો છે.
સૌથી મોટી નબળાઈ પર કામ ચાલુ
શ્રીલંકાના કોલંબોના NCC ગ્રાઉન્ડ પરથી સામે આવેલી તસવીરોમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, રિષભ પંત, ધ્રુવ જુરેલ સ્લિપ કેચિંગ પર કામ કરતા જોવા મળ્યા હતા. સ્લિપમાં કેચિંગ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ બની ગઈ છે. રહાણે, રોહિત, વિરાટની ગેરહાજરીમાં સ્લિપ ફિલ્ડિંગ ખૂબ જ નબળી થઈ ગઈ છે. જેથી શ્રીલંકા પહોંચતા જ ટીમ ઈન્ડિયાએ સૌથી મોટી નબળાઈ પર કામ ચાલુ કરી દીધું હતું.
યુકે-ઝિમ્બાબ્વે પ્રવાસમાં 21 કેચ છોડ્યા
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ વ્હાઇટ બોલ સિરીઝ માટે યુકે અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં તેમણે કુલ 13 મેચ રમી હતી. ટીમ ઈન્ડિયાએ યુકેમાં 10 મેચ રમી, જેમાં 11 કેચ છોડ્યા. જ્યારે ઝિમ્બાબ્વેમાં રમાયેલી 3 મેચમાં ભારતીય ફિલ્ડરોએ 10 કેચ છોડ્યા હતા. ટીમ ઈન્ડિયાએ યુકે અને ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન કુલ માત્ર 4 કેચ લીધા હતા.
Inside India’s first practice session at the NCC in Colombo@debasissen @VTrips_7781 pic.twitter.com/Pt6o21tCtW
— RevSportz Global (@RevSportzGlobal) August 5, 2026
T20 વર્લ્ડ કપમાં દરેક મેચમાં 2-3 કેચ ડ્રોપ
T20 વર્લ્ડ કપ 2026 માં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી, જ્યાં ભારતીય ટીમનું કેચિંગ પ્રદર્શન ગ્રુપ સ્ટેજમાં 10 ટીમોમાં સૌથી ખરાબ હતું. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વરુણ એરોને આને ટીમ ઈન્ડિયા માટે એક મોટી સમસ્યા ગણાવી હતી. તેણે તો એમ પણ કહ્યું હતું કે છેલ્લા 12 મહિનામાં ટીમ ઈન્ડિયા સૌથી ખરાબ કેચિંગ ટીમ બની ગઈ છે. T20 વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજમાં, તેઓએ દરેક મેચમાં બે થી ત્રણ કેચ છોડ્યા. ટીમ ઈન્ડિયાની કેચિંગ ટકાવારી 70 પણ નથી.
ઈંગ્લેન્ડમાં 23 કેચ છોડ્યા
હવે, તમે કલ્પના કરી શકો છો કે કેચ પકડવા અને છોડવાની વાત આવે ત્યારે ટીમ ઈન્ડિયા ક્યાં છે. આ સમસ્યા ટેસ્ટ ક્રિકેટમાં પણ ચાલુ છે. ગયા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ પર રમાયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં, ભારતે 23 કેચ છોડ્યા હતા, જે ઈંગ્લેન્ડના 18 ડ્રોપ કેચ કરતા પાંચ વધુ હતા.
જયસ્વાલે 8 કેચ ડ્રોપ કર્યા
ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ માત્ર પ્રથમ બે ટેસ્ટમાં જ 23માંથી 13 કેચ છોડ્યા હતા. તે 13માંથી 8 કેચ ટીમ ઈન્ડિયાએ લીડ્ઝમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં છોડ્યા હતા. મોટી વાત એ છે કે લીડ્ઝ ટેસ્ટમાં છોડવામાં આવેલા 8 કેચમાંથી એકલા યશસ્વી જયસ્વાલે 4 કેચ છોડ્યા હતા. યશસ્વીએ સ્લિપમાં 3 કેચ અને આઉટફિલ્ડમાં 1 કેચ છોડ્યો હતો.
સ્લિપ ફિલ્ડિંગ સતત નબળી
રહાણે, રોહિત અને વિરાટની ગેરહાજરીમાં, ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ અને સ્લિપ ફિલ્ડિંગ સતત નબળી પડી રહી છે. આનું સૌથી મોટું ઉદાહરણ ગયા વર્ષની ઈંગ્લેન્ડ શ્રેણીમાં જોવા મળ્યું. રહાણે, રોહિત અને વિરાટ હાજર હતા ત્યારે, ટીમ ઈન્ડિયાએ 2018 અને 2021-22ના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ફક્ત 13 કેચ છોડ્યા હતા. તેમની ગેરહાજરીમાં 2025માં આ આંકડો વધીને 23 થઈ ગયો.
શ્રીલંકામાં તૈયારીઓ શરુ
એ સ્પષ્ટ છે કે ભારતીય કોચ અને કેપ્ટન પણ તે આંકડાઓથી સંપૂર્ણપણે વાકેફ છે. આ જ કારણ છે કે, શ્રીલંકા પહોંચ્યા પછી, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે, બેટિંગ અને બોલિંગને બાજુ પર રાખીને, સૌ પ્રથમ તેમની ટીમની સૌથી મોટી નબળાઈ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.
