Phone Tips: વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો શું કરવું અને શું ન કરવું? આ જાણી લેજો
વરસાદની ઋતુમાં ઘણા લોકોના ફોન ભીનો થઈ જાય છે, જેના પછી લોકો ઉતાવળમાં ખોટા પગલાં લે છે, જેના કારણે ફોન બંધ થઈ જાય છે કે પછી ખરાબ થઈ જાય છે. ત્યારે તમારો ફોન વરસાદમાં ભીનો થઈ જાય તો શું કરવું જોઈએ અને શું નહીં ચાલો જાણીએ.

વરસાદની ઋતુ બધાને ગમે છે પરંતુ વરસાદનું પાણી તમારા ગેજેટ્સ માટે આફત બની શકે છે. ઘણીવાર એવું બને છે કે વરસાદની ઋતુમાં ઘણા લોકોના ફોન ભીનો થઈ જાય છે, જેના પછી લોકો ઉતાવળમાં ખોટા પગલાં લે છે, જેના કારણે ફોન બંધ થઈ જાય છે કે પછી ખરાબ થઈ જાય છે. ત્યારે તમારો ફોન વરસાદમાં ભીનો થઈ જાય તો શું કરવું જોઈએ અને શું નહીં ચાલો જાણીએ.

જો તમારો ફોન વરસાદમાં ભીનો થયા પછી પણ ફોન કામ કરી રહ્યો હોય, તો તરત જ ફોન બંધ કરો. આ એટલા માટે છે કારણ કે આમ કરવાથી શોર્ટ સર્કિટનું જોખમ ઓછું થાય છે.

જો ફોન ભીનો થઈ જાય, તો વિલંબ કર્યા વિના, ફોનમાંથી સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાળજીપૂર્વક કાઢી નાખો.

જો ફોન ભીનો થઈ જાય, તો ફોનની બહારની સપાટી પર રહેલા પાણીને નરમ અને કોરા કપડાથી સાફ કરો.

એવું કહેવાય છે કે જો ફોન ભીનો થઈ જાય, તો ફોનને 24 થી 48 કલાક માટે ચોખામાં છોડી દેવો જોઈએ, કારણ કે ચોખા ભેજ શોષવાનું કામ કરે છે.

આ ભૂલો ના કરતા: જો તમારો ફોન ભીનો થયા પછી બંધ થઈ ગયો હોય, તો ભૂલથી પણ ફોન ચાલુ કરવાની ભૂલ ન કરો. આ સિવાય, ભૂલથી પણ ફોનને ચાર્જ પર રાખવાની ભૂલ ન કરો.

ફોનને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો, તેની ગરમ હવા ફોનના આંતરિક ભાગોને નુકસાન પહોંચાડી શકે છે.

ફોનને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળો કારણ કે તે ફોનના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને બેટરી વધુ ગરમ થઈ શકે છે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
