AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ કરે છે યુદ્ધનું એલાન? જાણો ભારત પાકિસ્તાન યુદ્ધ શરુ થઈ ગયું

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ખુબ વધી ગયો છે, આવી સ્થિતિમાં, લોકોના મનમાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયુ છે? જો હા, તો તેની ઔપચારિક ઘોષણા કોણ કરે છે ?

| Updated on: May 09, 2025 | 12:23 PM
ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદે ગંભીર વળાંક લીધો છે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના પહેલગામ પર હુમલો કર્યો, ત્યારબાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ પછી, ગભરાયેલા પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધા છે. હવે આવી સ્થિતિમાં, લોકોના મનમાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયુ? જો હા, તો તેની ઔપચારિક ઘોષણા કોણ કરશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદે ગંભીર વળાંક લીધો છે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના પહેલગામ પર હુમલો કર્યો, ત્યારબાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ પછી, ગભરાયેલા પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધા છે. હવે આવી સ્થિતિમાં, લોકોના મનમાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયુ? જો હા, તો તેની ઔપચારિક ઘોષણા કોણ કરશે?

1 / 8
હાલ દેશમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ અને યુદ્ધ જેવી છે. સરહદ પારથી ડ્રોન અને મિસાઈલ હુમલા થઈ રહ્યા છે, ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીના ઠેકાણાઓેને ભારતે ઠાર કર્યા છે. યુદ્ધવિરામ ઉલ્લંઘન અને બ્લેકઆઉટ જેવી સ્થિતિ - આ બધા છતાં, ભારત કે પાકિસ્તાને હજુ સુધી ઔપચારિક રીતે યુદ્ધની ઘોષણા કરી નથી.

હાલ દેશમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ અને યુદ્ધ જેવી છે. સરહદ પારથી ડ્રોન અને મિસાઈલ હુમલા થઈ રહ્યા છે, ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીના ઠેકાણાઓેને ભારતે ઠાર કર્યા છે. યુદ્ધવિરામ ઉલ્લંઘન અને બ્લેકઆઉટ જેવી સ્થિતિ - આ બધા છતાં, ભારત કે પાકિસ્તાને હજુ સુધી ઔપચારિક રીતે યુદ્ધની ઘોષણા કરી નથી.

2 / 8
ભારતમાં "યુદ્ધની ઘોષણા" માટે કોઈ સ્પષ્ટ બંધારણીય પ્રક્રિયા નથી, જેમ કે અમેરિકા અથવા કેટલાક અન્ય દેશોમાં છે. જોકે, ભારતીય બંધારણની કલમ 352 આ માટે અમલમાં આવે છે, જે હેઠળ "યુદ્ધ" અથવા "બાહ્ય આક્રમણ" ના કિસ્સામાં 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી શકાય છે.

ભારતમાં "યુદ્ધની ઘોષણા" માટે કોઈ સ્પષ્ટ બંધારણીય પ્રક્રિયા નથી, જેમ કે અમેરિકા અથવા કેટલાક અન્ય દેશોમાં છે. જોકે, ભારતીય બંધારણની કલમ 352 આ માટે અમલમાં આવે છે, જે હેઠળ "યુદ્ધ" અથવા "બાહ્ય આક્રમણ" ના કિસ્સામાં 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી શકાય છે.

3 / 8
યુદ્ધ કોણ જાહેર કરે છે - રાષ્ટ્રપતિ - બંધારણીય રીતે, રાષ્ટ્રપતિ ભારતના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર છે (કલમ 53(2)). પરંતુ તેઓ કોઈપણ યુદ્ધ અથવા શાંતિની ઘોષણા ફક્ત મંત્રીમંડળની સલાહ પર જ કરી શકે છે (કલમ 74) એટલે કે રાષ્ટ્રપતિ ફક્ત ઔપચારિક મહોર લગાવે છે, વાસ્તવિક નિર્ણય વડા પ્રધાન અને મંત્રીમંડળનો હોય છે.

યુદ્ધ કોણ જાહેર કરે છે - રાષ્ટ્રપતિ - બંધારણીય રીતે, રાષ્ટ્રપતિ ભારતના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર છે (કલમ 53(2)). પરંતુ તેઓ કોઈપણ યુદ્ધ અથવા શાંતિની ઘોષણા ફક્ત મંત્રીમંડળની સલાહ પર જ કરી શકે છે (કલમ 74) એટલે કે રાષ્ટ્રપતિ ફક્ત ઔપચારિક મહોર લગાવે છે, વાસ્તવિક નિર્ણય વડા પ્રધાન અને મંત્રીમંડળનો હોય છે.

4 / 8
મંત્રીમંડળ - વ્યવહારિક રીતે - વડા પ્રધાનની આગેવાની હેઠળની મંત્રી પરિષદ (કેન્દ્રીય મંત્રીમંડળ) યુદ્ધ જાહેર કરવું કે નહીં તે નક્કી કરે છે. સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) આ નિર્ણયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મંત્રીમંડળની લેખિત ભલામણના આધારે રાષ્ટ્રપતિ 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી શકે છે.

મંત્રીમંડળ - વ્યવહારિક રીતે - વડા પ્રધાનની આગેવાની હેઠળની મંત્રી પરિષદ (કેન્દ્રીય મંત્રીમંડળ) યુદ્ધ જાહેર કરવું કે નહીં તે નક્કી કરે છે. સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) આ નિર્ણયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મંત્રીમંડળની લેખિત ભલામણના આધારે રાષ્ટ્રપતિ 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી શકે છે.

5 / 8
સંસદ (લોકસભા અને રાજ્યસભા) પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લેવામાં આવતી નથી, પરંતુ એકવાર કટોકટી જાહેર થઈ જાય, પછી સંસદે 1 મહિનાની અંદર તેની મંજૂરી આપવી પડે છે. કટોકટીનો સમયગાળો 6 મહિના સુધીનો છે, અને સંસદની મંજૂરીથી તેને દર 6 મહિને લંબાવી શકાય છે.

સંસદ (લોકસભા અને રાજ્યસભા) પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લેવામાં આવતી નથી, પરંતુ એકવાર કટોકટી જાહેર થઈ જાય, પછી સંસદે 1 મહિનાની અંદર તેની મંજૂરી આપવી પડે છે. કટોકટીનો સમયગાળો 6 મહિના સુધીનો છે, અને સંસદની મંજૂરીથી તેને દર 6 મહિને લંબાવી શકાય છે.

6 / 8
ભારતે હજુ સુધી કોઈપણ યુદ્ધમાં યુદ્ધની ઔપચારિક ઘોષણા કરી નથી, ફક્ત લશ્કરી કાર્યવાહીથી જ જવાબ આપ્યો છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં શું કહે છે તે જણાવીએ તો જો પરિસ્થિતિ વધુ વણસે છે, તો કેબિનેટ રાષ્ટ્રપતિને કલમ 352 હેઠળ 'યુદ્ધ કટોકટી' જાહેર કરવાની સલાહ આપી શકે છે. પરંતુ હાલમાં પરિસ્થિતિ 'લિમિટેડ મિલિટ્રી એન્ગેજમેન્ટ' જેવી છે - યુદ્ધ નહીં, પરંતુ યુદ્ધના એક ડગલું પહેલા.

ભારતે હજુ સુધી કોઈપણ યુદ્ધમાં યુદ્ધની ઔપચારિક ઘોષણા કરી નથી, ફક્ત લશ્કરી કાર્યવાહીથી જ જવાબ આપ્યો છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં શું કહે છે તે જણાવીએ તો જો પરિસ્થિતિ વધુ વણસે છે, તો કેબિનેટ રાષ્ટ્રપતિને કલમ 352 હેઠળ 'યુદ્ધ કટોકટી' જાહેર કરવાની સલાહ આપી શકે છે. પરંતુ હાલમાં પરિસ્થિતિ 'લિમિટેડ મિલિટ્રી એન્ગેજમેન્ટ' જેવી છે - યુદ્ધ નહીં, પરંતુ યુદ્ધના એક ડગલું પહેલા.

7 / 8
ભારત અને પાકિસ્તાન ઔપચારિક યુદ્ધની સ્થિતિમાં નથી, પરંતુ પરિસ્થિતિ "ડી ફેક્ટો યુદ્ધ" ની નજીક છે. કોઈપણ ઔપચારિક ઘોષણા વિના પણ લશ્કરી બદલો લઈ શકાય છે, જેમ કે ભારત અત્યાર સુધી કરે છે.

ભારત અને પાકિસ્તાન ઔપચારિક યુદ્ધની સ્થિતિમાં નથી, પરંતુ પરિસ્થિતિ "ડી ફેક્ટો યુદ્ધ" ની નજીક છે. કોઈપણ ઔપચારિક ઘોષણા વિના પણ લશ્કરી બદલો લઈ શકાય છે, જેમ કે ભારત અત્યાર સુધી કરે છે.

8 / 8

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Follow Us:
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
g clip-path="url(#clip0_868_265)">