ઘરમાં વારંવાર કોઈ બિમાર પડવુ, કે ઘરમાં ઝઘડા વધી જવા કઈ વાતનો સંકેત છે? જાણો અહીં
ઘણી વખત બધું બરાબર ચાલી રહ્યું છે, પણ તેમ છતા મન ભારે લાગે છે અને ઘરનું વાતાવરણ ઉદાસ લાગે છે, અથવા નાની નાની બાબતો પર ઝઘડા થાય છે. મોટાભાગના લોકો આ માટે ભાગ્ય અથવા સંજોગોને જવાબદાર માને છે, પરંતુ તેનું મૂળ કારણ શું છે અને ઘરમાં કયા સંકેત આપે છે ચાલો જાણીએ

ક્યારેક આપણને લાગે છે કે બધું બરાબર ચાલી રહ્યું છે, પણ તેમ છતા મન ભારે લાગે છે અને ઘરનું વાતાવરણ ઉદાસ લાગે છે, અથવા નાની નાની બાબતો પર ઝઘડા થાય છે. મોટાભાગના લોકો આ માટે ભાગ્ય અથવા સંજોગોને જવાબદાર માને છે, પરંતુ તેનું મૂળ કારણ નકારાત્મક ઊર્જા છે.(photo credit-whisk)

ઘરની ઉર્જી એ એવી વસ્તુ છે જે અદ્રશ્ય છે, પરંતુ તેની ઊંડી અસર કરે છે. જો ઘરમાં આ પોઝિટિવ ઉર્જા છે તો મન પ્રસન્ન રહે છે પણ જો ઘરમાં નેગેટિવ ઉર્જા છે તો ઘરના લોકો ઉદાસ, ઝઘડાલુ, બિમાર, અને તણાવમાં રહી શકે છે, જો તમારા ઘરમાં પણ આમ થઈ રહ્યું છે તો ચાલો જાણીએ તેનાથી શું સંકેત મળે છે. (photo credit-whisk)

ઘરની કોઈ વ્યક્તિ કે બાળક વારંવાર બીમાર રહેવું: જો ઘરમાં નકારાત્મક ઉર્જા કે વાસ્તુ દોષ હોય, તો લોકો વારંવાર બીમાર પડી શકે છે. સ્વસ્થ શરીર એ વ્યક્તિની સૌથી મોટી સંપત્તિ છે. ક્યારેક, બધી સાવચેતીઓ રાખવા છતાં, વ્યક્તિ વારંવાર બીમાર પડે છે. આ ખરાબ જીવનશૈલી અને રોગપ્રતિકારક શક્તિન નબળી હોવાના કારણે બની શકે છે, તેમજ જો ઘરમાં વાસ્ દોષ હોય તો પણ ઘરના લોકોને બીમારી તરફ દોરી શકે છે. આ કિસ્સામાં વાસ્તુ ઉપાય કરવા. (photo credit-whisk)

મનનું બેચેન કે તણાવમાં રહેવું: એક ખૂબ જ સરળ કસોટી છે - જો તમારું મન દિવસમાં દસ વખત નકારાત્મક વિચારે છે અને ફક્ત બે વાર જ સકારાત્મક છે, તો તેનો અર્થ એ છે કે તમારું ઘર નકારાત્મક ઉર્જાથી ઘેરાયેલું છે. જો કે, જો તમે દિવસમાં પચાસ વખત સકારાત્મક વિચારો છો અને ફક્ત બે વાર જ નકારાત્મક છો, તો સમજો કે ઘરની ઉર્જા ખૂબ સારી છે. ઘરનું ઉર્જા સ્તર વ્યક્તિના વિચારોને સીધી અસર કરે છે. જો ઘરમાં નકારાત્મક ઊર્જા વધી જાય તો પણ મન બેચેન અને તણાવમાં રહેવા લાગે છે, આથી ઘરની ઊર્જા સકારાત્મક કરવા ઘરમાં ધૂપ, કપૂર સળગાવો. (photo credit-whisk)

મતભેદ અને ઝઘડા: તમે જોયું હશે કે કેટલાક ઘરોમાં નાની નાની બાતતે કે કોઈ કારણ વગર વારંવાર ઝઘડા થતા હોય છે. પરિવારના સભ્યો એકબીજા સાથે વાત કરતી વખતે પણ ચીડિયા થઈ જાય છે. બાળકો વધુને વધુ ગુસ્સે થાય છે જો આવું વારંવાર થાય છે, તો તે સ્પષ્ટ સંકેત છે કે ઘરમાં ઉર્જા નકારાત્મક વધી ગઈ છે. આથી ગાયના ઘીમાં કપૂર બોળીને તેને પિત્તળના વાસણમાં સળગાવો. (photo credit-whisk)

છોડ સુકાઈ જાય છે અને પાલતુ પ્રાણીઓ બેચેન રહે: જો તમારા ઘરમાં છોડ અચાનક સુકાઈ જવા લાગે અથવા કોઈ કારણ વગર પાલતુ પ્રાણીઓ પરેશાન થઈ જાય, તો આ પણ એક સંકેત છે કે વાતાવરણ યોગ્ય નથી. પ્રાણીઓ અને છોડ ઝડપથી ઉર્જા અનુભવે છે, તેથી તેમનું વર્તન ઘણું બધું દર્શાવે છે.(photo credit-whisk)

ઉપાય: જો તમને લાગે કે તમારા ઘરમાં નેગેટિવ ઊર્જા વધારે છે , તો દરરોજ સવારે બારીઓ ખોલો જેથી તાજી હવા ઘર અંદર આવે. પાણીમાં ચપટી મીઠું નાખી પોતુ કરો, કપૂર બાળો અને તમારા દિવસની શરૂઆત સકારાત્મક વિચારો સાથે કરો, ભગવાનનું નામ યાદ કરો. હાસ્ય, સારું સંગીત અને પ્રેમાળ વાતાવરણ આપમેળે નકારાત્મક ઉર્જા દૂર કરે છે.(photo credit-whisk)
ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
