લગ્નમાં વર-કન્યાને ભૂલથી પણ ના આપવી આ ગિફ્ટમાં, નહીંતર તેમના સંબંધો બગડશે !
હિન્દુ ધર્મ શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે. તેથી, વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરને કઈ ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

લગ્ન સિઝનની શરુઆત થઈ ગઈ છે. આ શુભ પ્રસંગે લોકો વર-કન્યાને ગિફ્ટ આપે છે. લગ્ન એક પવિત્ર બંધન છે, અને ભેટ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. તે પ્રેમ, આદર અને સૌભાગ્ય વ્યક્ત કરે છે; તે પરિવારો વચ્ચેના બંધનને મજબૂત બનાવવા અને નવા યુગલ માટે શુભ શરૂઆતનું પ્રતીક છે.

હિન્દુ ધર્મ શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે. તેથી, વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરને કઈ ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

વાસ્તુ અનુસાર, વર અને કન્યાને કાળા રંગની વસ્તુઓ ભેટ ક્યારેય ન આપવી જોઈએ. તે બન્નેના સંબંધોમાં નકારાત્મકતા આવી શકે છે, જેનાથી સંબંધોમાં અંતર અને તણાવ પેદા થાય છે.

જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જો વર-કન્યાને અત્તર આપે છે, તો તે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. જો કન્યાને પરફ્યુમની સુગંધ પસંદ ન હોય, તો તે ખરાબ ભેટ સાબિત થઈ શકે છે, જેનાથી તે દુઃખી થઈ શકે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચપ્પલ કે સૂઝ કે મોજડી જેવી વસ્તુઓ કન્યા અને વરને ભેટમાં ના આપવી જોઈએ . તે વર-કન્યા વચ્ચે મતભેદ અથવા અંતર વધારી શકે છે. તેને સંબંધમાં અવરોધ માનવામાં આવે છે.

વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ પણ ભેટમાં ના આપવી જોઈએ, તે સંબંધોમાં ધીમે ધીમે અંતર લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવી શકે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.
ઘરમાં વાસનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
