Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારના ઘરમાં રહેવાથી થાય છે આર્થિક નુકસાન, જાણો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ ઘર ચોક્કસ નિયમોનું પાલન કરીને બનાવવામાં આવે છે, તો તે ઘર સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ લાવે છે. ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર કયા પ્રકારનો પ્લોટ ઘર બનાવવામાં ઉત્તમ માનવામાં આવે છે.

વધતી જતી મોંઘવારીના યુગમાં, જ્યારે માણસની જરૂરિયાતો વધી રહી છે, ત્યારે ઘર બનાવવું એક મોટી સમસ્યા બની ગઈ છે. દરેક માણસ પોતાનું ઘર રાખવાનું સ્વપ્ન જુએ છે. માણસ ગરીબ હોય કે અમીર, તે ઘર બનાવવાનું સ્વપ્ન જુએ છે.

જ્યારે તમે ઘર ખરીદો છો કે ઘર બનાવવા માટે પ્લોટ ખરીદો છો ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવીશું. તેમજ ક્યાં આકારનો પ્લોટ કે ઘરનું વાસ્તુ શાસ્ત્રમાં શું મહત્વ છે તે જણાવીશું.

એક પ્લોટ જે એક બાજુથી નાનો અને બીજી બાજુથી મોટો હોય, એટલે કે, સાણસી જેવો હોય તેને ચિપીયા આકારનો પ્લોટ કહેવામાં આવે છે. તેના પર ઘર બનાવવું ક્યારેય શુભ ન હોઈ શકે. તેનું સંયોજન સંપૂર્ણપણે અશુભ છે. વાસ્તુ શાસ્ત્રના નિયમો અનુસાર, આવા પ્લોટ ઘર ન બનાવુ જોઈએ.

કુંભાકારનો પ્લોટનો આકાર આગળથી ખૂબ જ સાંકડો અને પાછળથી ખૂબ ફેલાયેલો હોય છે અને જમણી અને ડાબી બાજુથી ધનુષ્ય આકારનો હોય છે.આવા પ્લોટ પર બનેલા મકાનોમાં રહેતા લોકો ચામડી અને રક્તપિત્તના રોગોનો ભોગ બનતા જોવા મળ્યા છે. તેથી, વાસ્તુ શાસ્ત્રના નિયમો અનુસાર આવા પ્લોટ પણ સારા નથી.

સિંહ મુખાકારનો પ્લોટ સિંહના ચહેરા જેવો હોય છે.આવા પ્લોટની પહોળાઈ આગળથી વધુ અને પાછળથી ઓછી હોય છે. આવા પ્લોટ ખૂબ જ શુભ હોય છે. ખાસ કરીને વ્યવસાય પણ સરળતાથી આગળ વધે છે. ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે.

જે પ્લોટ અડધા ગોળાકાર જેવો આકાર ધરાવે છે તેને અર્ધવર્તુળાકાર પ્લોટ કહેવામાં આવે છે. અર્ધવર્તુળાકાર પ્લોટ રહેવા માટે યોગ્ય નથી કારણ કે તેની અસરનો અડધો ભાગ ગોળાકાર પ્લોટ જેવો હોય છે, પરંતુ બીજો અડધો ગોળો ખૂટે છે.(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
