Astrology News : ગ્રહણ દરમિયાન શનિની વક્રી શરૂ થશે, આ 3 રાશિઓની મુશ્કેલીમાં થશે વધારો
જ્યોતિષ શાસ્ત્રમાં શનિનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યારે ન્યાયના દેવતા શનિ વક્રી થાય છે, ત્યારે ઘણી રાશિઓના જીવનમાં મોટા ફેરફારો જોવા મળે છે. કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે ત્યારે કેટલીક રાશિની મુશ્કેલીમાં વધારો થાય છે.

કેટલીક રાશિમાં શનિ દેવની સાડાસાતી ચાલી રહે છે. ત્યારે ગ્રહણ દરમિયાન કઈ રાશિ માટે મુશ્કેલ સમય રહેશે. તે અંગે જણાવીશું.

13 જુલાઈ 2025ના રોજ શનિ કુંભ રાશિમાં વક્રી થશે. ત્યારે ખાસ વાત એ છે કે આ દિવસે ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી જ રાહુ હાજર છે.ત્યારે આ યુતિ ગ્રહણ યોગ નિર્માણ કરે છે.

જ્યોતિષીઓ માને છે કે આ ઘટના એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના હશે, જેની અસર કેટલીક રાશિઓના જીવન પર જોઈ શકાય છે. મિથુન, તુલા અને કુંભ રાશિ પર આ યોગની અસર જોવા મળશે.

ગ્રહણ દરમિયાન શનિની વક્રી ગતિ મિથુન રાશિના લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વ્યવસાયમાં આર્થિક નુકસાન થવાની શક્યતા છે. વ્યવહારોથી દૂર રહો. માનસિક તણાવ અનુભવાશે.

આ સંયોગને કારણે તુલા રાશિના લોકો પર નાણાકીય સંકટ આવી શકે છે. હાલ પૂરતું મોટા ખર્ચા ટાળો. ઉછીના આપેલા પૈસા પાછા નહીં મળે. દલીલોથી દૂર રહો. સજાગ રહેવાની જરુર છે.

આ સંયોગ કુંભ રાશિમાં બની રહ્યો હોવાથી, તેની સૌથી વધુ અસર કુંભ રાશિના લોકો પર થવાની છે. તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. આ સમયે રોકાણથી દૂર રહો. મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધો આવી શકે છે.(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે . ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.
