300થી વધુ ગર્લફ્રેન્ડ્સ, 3 લગ્ન અને માધુરી દીક્ષિતથી લઈને રેખા સુધી નામ જોડાયું, આખરે સંજય દત્તને કેટલા બાળકો છે?
'સંજય દત્ત' બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો સૌથી લોકપ્રિય કલાકારોમાંનો એક છે. અંગત અને પ્રોફેશનલ ઉતાર-ચઢાવનો સામનો કરવા છતાં સંજય દત્તે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ છોડી અને ખાસ ઓળખ બનાવી છે.

સંજય દત્ત બોલિવૂડનો સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય કલાકારોમાંનો એક છે. ઘણા અંગત અને પ્રોફેશનલ ઉતાર-ચઢાવનો સામનો કરવા છતાં, સંજય દત્તે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. સંજય દત્તે પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ તો જીતી લીધા છે પરંતુ ઘણા વિવાદોથી ઘેરાયેલ રહ્યો છે.

સંજય દત્ત હંમેશા તેના અફેરથી ચર્ચામાં આવ્યો છે. એવું કહેવાય છે કે, સંજય દત્તના 308 થી વધુ અફેર હતા. તેનું નામ ટીના મુનીમ, માધુરી દીક્ષિત અને રેખા જેવી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. આ ઉપરાંત, સંજય દત્તે ત્રણ લગ્ન પણ કર્યા હતા. સરળ રીતે કહીએ તો, તેનું અંગત જીવન પણ ફિલ્મ જેટલું રસપ્રદ રહ્યું છે.

સંજય દત્તે વર્ષ 1987 માં રિચા શર્મા સાથે લગ્ન કર્યા. રિચા અને સંજય દત્તને એક પુત્રી ત્રિશલા દત્ત છે, જે ન્યૂયોર્કમાં રહે છે. લગ્ન પછી, રિચાને કેન્સર હોવાનું નિદાન થયું. જો કે, રિચાએ યુએસમાં આ રોગની સારવાર કરાવી અને તેની સ્થિતિમાં સુધારો થયો હતો પરંતુ તેની સ્થિતિ ફરીથી ખરાબ થવા લાગી. જણાવી દઈએ કે, 10 ડિસેમ્બર 1996 ના રોજ 32 વર્ષની ઉંમરે રિચાનું અવસાન થયું હતું. રિચા શર્માએ દેવ આનંદની 'હમ નૌજવાન', 'અનુભવ', 'ઇન્સાફ કી આવાઝ', 'સડક છાપ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

રિચા શર્માના મૃત્યુ પછી મોડેલ રિયા પિલ્લઈ સંજયના જીવનમાં આવી. તેઓ એકબીજાને પહેલાથી જ જાણતા હતા પરંતુ સંજયને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જેલ જવું પડ્યું ત્યારે બંને વચ્ચે નિકટતા વધી ગઈ. આ સમય દરમિયાન, રિયાએ સંજયનો સાથ છોડ્યો નહીં. રિયા પિલ્લઈ મુશ્કેલ સમયમાં સંજયની સાથે ઊભી રહી અને તેનું દિલ જીતી લીધું. જેલમાંથી બહાર આવ્યા પછી સંજયે વેલેન્ટાઈન ડે પર રિયાને પ્રપોઝ કરી અને બંનેએ 14 ફેબ્રુઆરી 1998 ના રોજ લગ્ન કરી લીધા.

લગ્ન પછી સંજય દત્તે એકસાથે ઘણી ફિલ્મો સાઇન કરી અને શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો. આ કારણે તે રિયાને સમય આપી શક્યો નહીં. આનાથી તેમની વચ્ચે અંતર વધ્યું અને દસ વર્ષના લગ્નજીવન પછી વર્ષ 2008 માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ સંબંધ તૂટવા માટે સંજયને જવાબદાર ઠેરવવામાં આવ્યો, જેના કારણે તે લોકોની નજરમાં વિલન બની ગયો. બીજીબાજુ કેટલાક લોકો માને છે કે, જ્યારે સંજય દત્ત માન્યતાની નજીક આવી રહ્યો હતો, ત્યારે રિયા ટેનિસ ખેલાડી લિએન્ડર પેસને ડેટ કરી રહી હતી. આ કારણે બંને અલગ થઈ ગયા અને છૂટાછેડા માટે અરજી કરી.

કહેવાય છે કે, સંજય દત્તે છૂટાછેડાના બદલામાં રિયા પિલ્લઈને બાંદ્રામાં બે ફ્લેટ આપ્યા હતા. તેણે પોતાની બે કંપનીઓ, દેજા વુ એન્ટરટેઈનમેન્ટ અને ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટના શેર રિયાને ટ્રાન્સફર કર્યા હોવાનું પણ કહેવાય છે.

બીજી પત્ની રિયા પિલ્લઈથી છૂટાછેડા લીધા પછી સંજય દત્તે 7 ફેબ્રુઆરી 2008 ના રોજ ગોવાના તાજ એક્ઝોટિકા ખાતે માન્યતા સાથે લગ્ન કર્યા. લગ્નના બે વર્ષ પછી 21 ઓક્ટોબર 2010 ના રોજ આ દંપતીએ તેમના જોડિયા પુત્રોનું સ્વાગત કર્યું.

સંજય દત્તને તેની પહેલી પત્ની રિચા શર્માથી એક પુત્રી 'ત્રિશલા દત્ત છે', જે હવે 37 વર્ષની છે. રિયા પિલ્લઈથી તેને કોઈ સંતાન નથી. માન્યતા દત્તથી તેને જોડિયા બાળકો, એક છોકરો અને એક છોકરી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
