Solar Panel New Rule : આજથી સોલાર પેનલ લગાવવા વાળા લોકો માટે નવા નિયમો લાગુ, જાણી લો
1 જૂન, 2026થી સોલાર પેનલ માટે નવા નિયમો અમલમાં આવ્યા છે. જેનાથી ઇન્સ્ટોલેશન ખર્ચ વધી શકે છે.

જો તમે ઘરનું વીજળી બિલ ઘટાડવા માટે રૂફટોપ સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકાર 1 જૂન, 2026થી સોલાર ઉદ્યોગ માટે નવો અને વધુ કડક નિયમ અમલમાં મૂકી રહી છે. આ નિયમનો સીધો અસર સોલાર સિસ્ટમના ખર્ચ પર પડી શકે છે.

સરકાર દ્વારા લાગુ થનારા નવા નિયમ મુજબ હવે ફક્ત સોલાર પેનલ્સ જ નહીં, પરંતુ પેનલ્સમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની મંજૂર યાદીમાં સામેલ હોવા જરૂરી બનશે. અત્યાર સુધી ALMM List-I હેઠળ માત્ર સોલાર પેનલ્સ માટે મંજૂરી જરૂરી હતી, પરંતુ હવે ALMM List-II હેઠળ સોલાર સેલ્સ માટે પણ સરકારી ધોરણો ફરજિયાત કરવામાં આવ્યા છે.

સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ બજારમાં નીચી ગુણવત્તાવાળા વિદેશી અને ખાસ કરીને ચાઇનીઝ સોલાર પ્રોડક્ટ્સ પર નિયંત્રણ લાવવાનો છે. સાથે જ “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને પ્રોત્સાહન આપીને સ્થાનિક ઉત્પાદકોને વધુ તક આપવા પર પણ સરકાર ભાર મૂકી રહી છે.

નવા નિયમોના કારણે સોલાર પેનલ બનાવતી કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. સ્થાનિક સોલાર સેલ્સનો ઉપયોગ ફરજિયાત બનતા પેનલ્સના ભાવ વધી શકે છે, જેના કારણે રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવાનો પ્રારંભિક ખર્ચ પણ વધી શકે છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ગ્રાહકોને અગાઉ કરતાં વધુ ખર્ચ કરવો પડી શકે છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે સરકાર સોલાર સબસિડી બંધ કરી શકે છે. જોકે, આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે. કેન્દ્ર સરકારની “પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના” હેઠળ મળતી સબસિડી યથાવત ચાલુ રહેશે.

હાલની યોજના મુજબ 1 કિલોવોટ સોલાર સિસ્ટમ પર ₹30,000 સુધીની સહાય, 2 કિલોવોટ પર ₹60,000 સુધીની સહાય અને 3 કિલોવોટ અથવા તેથી વધુ ક્ષમતા માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. ઉપરાંત, કેટલાક રાજ્ય સરકારો દ્વારા વધારાની ટોપ-અપ સબસિડી પણ આપવામાં આવે છે.

સોલર પેનલ્સ અંગેના નિયમો : પહેલી જૂનથી અમલમાં આવનાર ચોથો મહત્વપૂર્ણ ફેરફાર સૌર પેનલ્સને લગતો છે. 1 જૂન, 2026થી, સૌર પેનલ માટે માન્ય મોડેલ્સ અને ઉત્પાદકોની યાદી (ALMM યાદી-II) ફરજિયાત બનશે. આ નિયમના અમલીકરણ સાથે, સરકારી યોજનાઓ અને અન્ય વિવિધ સબસિડીવાળા પ્રોજેક્ટ્સ માટે ફક્ત તે જ સૌર મોડ્યુલો અને કોષોનો ઉપયોગ કરવો જરૂરી રહેશે જે આ ચોક્કસ યાદીમાં સમાવિષ્ટ છે. ગુણવત્તા અને માનકીકરણ સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે; પરિણામે, એવી આશંકા છે કે સૌર પેનલના ભાવમાં વધારો થઈ શકે છે.(ફોટો ક્રેડિટ-Google)
