AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એનાલોગ પનીરમાં એવુ તો શું છે કે સ્વાસ્થ્ય માટે છે હાનિકારક ? પનીર અસલી છે કે નકલી તે કેવી રીતે જાણશો એનાલોગ પનીરમાં એવુ તો શું છે કે સ્વાસ્થ્ય માટે છે હાનિકારક ?

ગુજરાતે આજથી જ નકલી પનીર એટલે કે એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કે પરિવહન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ગ્રાહકોને અસલી પનીરના નામ હેઠળ નકલી ઉત્પાદનો વેચવામાં આવી રહ્યા હોવાની ફરિયાદોને પગલે લેવામાં આવ્યો છે. નિષ્ણાતોના મતે, પેકેટ લેબલ, કિંમત અને તેની બનાવટને તપાસીને ખરીદવું જોઈએ.

એનાલોગ પનીરમાં એવુ તો શું છે કે સ્વાસ્થ્ય માટે છે હાનિકારક ? પનીર અસલી છે કે નકલી તે કેવી રીતે જાણશો એનાલોગ પનીરમાં એવુ તો શું છે કે સ્વાસ્થ્ય માટે છે હાનિકારક ?
| Updated on: Aug 06, 2026 | 9:26 AM
Share

ગુજરાતે “એનાલોગ પનીર” ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. છત્તીસગઢ, મહારાષ્ટ્ર બાદ એનાલોગ પનીરને પ્રતિબંધિત કરનાર ગુજરાત ત્રીજુ રાજ્ય બન્યું છે. જાહેર આરોગ્યની ચિંતાઓ અને પનીરના ભ્રામક વેચાણ અંગે વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

તાજેતરમાં ચિંતા વધી રહી છે કે ઘણી હોટલો, રેસ્ટોરાં અને ખાણીપીણીની દુકાનો ડેરી સિવાયનું પનીર પીરસી રહી છે, જ્યારે તેને અસલી ડેરી પનીર તરીકે રજૂ કરી રહી છે. જ્યારે ભારતના ખાદ્ય નિયમો હેઠળ એનાલોગ પનીરનું વેચાણ કાયદેસર છે – જો તે યોગ્ય રીતે લેબલ થયેલ હોય – નિષ્ણાતો ભાર મૂકે છે કે ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે અને તે નિયમિત પનીરથી કેવી રીતે અલગ છે તે જાણવાનો અધિકાર છે.

એનાલોગ પનીર શું છે?

વધુ નફો કમાવવા માટે એનાલોગ પનીર એ અસલી પનીરના વિકલ્પ તરીકે હોટલ-રેસ્ટોરન્ટ અને પનીરના ઉત્પાદકોએ શોધી કાઢ્યો છે. એનાલોગ પનીર તાજા દૂધમાંથી બનાવવામાં આવતું નથી, પરંતુ વનસ્પતિ તેલ જેમ કે પામ તેલ, દૂધ પાવડર અથવા દૂધના ઘન પદાર્થો, સ્ટાર્ચ અને ઇમલ્સિફાયર જેવા ઘટકોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.

તેનાથી વિપરીત, પરંપરાગત કે અસલી પનીર, દૂધમાં લીંબુના રસ અથવા સાઇટ્રિક એસિડ જેવા એસિડિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. એનાલોગ પનીર, અસલી પનીર જેવુ જ દેખાય છે, તે સ્વાદમાં અસલી જેવું જ લાગે છે. જો કે, તે બનાવવામાં અસલી પનીરની સરખામણીએ ઘણો ઓછો ખર્ચ થાય છે. દેશમાં વર્તમાન ખાદ્ય નિયમો અનુસાર, જો એનાલોગ પનીરનો ઉપયોગ ખાદ્ય સામગ્રીમાં કરવામાં આવ્યો હોય, તો પેકેજિંગમાં સ્પષ્ટપણે “એનાલોગ પનીર” અથવા “નોન ડેરી” લખેલું હોવું જોઈએ.

એનાલોગ ચીઝ અને અસલી પનીર વચ્ચે શું તફાવત છે?

  • સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યાનુસાર એનાલોગ ચીઝમાં ઘણીવાર વનસ્પતિ તેલ અને સ્ટાર્ચ હોય છે, જ્યારે વાસ્તવિક ચીઝ મુખ્યત્વે દૂધમાંથી બનાવવામાં આવે છે.
  • એનાલોગ પનીરમાં કુદરતી રીતે બનતા પોષક તત્વો – જેવા કે પ્રોટીન અને વિટામિન B12 નું સ્તર અસલી પનીર કરતા ઓછું હોઈ શકે છે.
  • એનાલોગ પનીર સામાન્ય રીતે પામ તેલ અને દૂધના પાવડરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે, જે તેને અસલી પનીરથી અલગ બનાવે છે.
  • એનાલોગ પનીરમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોઈ શકે છે. જ્યારે અસલી પનીરમાં જોવા મળતા કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન B12 જેવા પોષક તત્વોનો અનાલોગ પનીરમાં અભાવ હોઈ શકે છે.

Breaking News : ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ, લોકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણય

Follow Us
g clip-path="url(#clip0_868_265)">