કાનુની સવાલ : શું રસોઈ કે ડ્રેસિંગ પર પત્નીને મેણા-ટોણા મારવા ગંભીર ક્રૂરતા છે? જાણો કોર્ટે શું કહ્યું
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક મહિલા દ્વારા તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દાખલ કરાયેલી FIR અને ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી હતી. તો ચાલો કાનુની સવાલમાં આપણે જાણીએ કે, આ આખો કેસ શું હતો.

બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. એક મહિલા દ્વારા પોતાના પતિ અને સાસરિયા વિરુદ્ધ નોંધાયેલી એક ફરિયાદ અને ફોજદારી કાર્યવાહી રદ કરવામાં આવી છે.

કોર્ટે કહ્યું કે, પત્નીના કપડાં પર મેણા-ટોણા મારવા કે જમવાનું બનાવવા પર મેણા મારવા.ભારતીય દંડ સિંહતાની કલમ 498-A હેઠળ ગંભીર ક્રુરતા કે 'પજવણી' ગણી શકાય નહી.

જસ્ટિસ વિભા કંકનવાડી અને સંજય એ દેશમુખની બેન્ચે ટિપ્પણી કરતા કહ્યું કે, જ્યારે સંબંધો બગડે છે તો હંમેશા આરોપ વધારીને લગાડવામાં આવે છે. જો લગ્ન પહેલા બધી વાતો સ્પષ્ટ કરવામાં આવે તો આરોપ સામાન્ય કે ગંભીર નથી. તો 498-Aની વ્યાખ્યા હેઠળ ક્રૂરતા ગણવામાં આવશે નહીં. આવા કિસ્સાઓમાં પતિ અને તેના પરિવારને ટ્રાયલનો સામનો કરવો એ કાયદાનો દુરુપયોગ છે.

હવે આપણે કલમ 498-Aશું છે તેના પર વાત કરીએ. આઈપીસીની કલમ 498-A પતિ કે તેના સંબંધીઓ દ્વારા મહિલા પ્રતિ કરવામાં આવેલી ક્રુરતા સંબંધિત છે.તે એક ઓળખી શકાય તેવો, બિન-જામીનપાત્ર અને બિન-સમર્પણપાત્ર ગુનો છે,જેનો મતલબ કે, પોલિસ વગર વોરંટે ધરપકડ કરી શકે છે.જામીન એ અધિકાર નથી, અને આ મામલો કોર્ટની બહાર ઉકેલી શકાતો નથી.

હવે આખો મામલો શું છે તેના પર વિસ્તારથી વાત કરીએ. કપલના લગ્ન 24 માર્ચ 2022ના રોજ થયા હતા. આ મહિલાના બીજા લગ્ન હતા. તેમણે 2013માં આપસી સમંતિથી પહેલા પતિને છુટાછેડા આપ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, લગ્નના દોઢ મહિના બાદ તેની સાથે દુવ્યવ્હાર શરુ થયો હતો. તેના પતિએ તેની માનસિક અને શારીરિક બીમારીઓ છુપાવી હતી.

પરંતુ કોર્ટને ચાર્જશીટમાં સામેલ લગ્ન પહેલાની ચેટથી જાણવા મળ્યું કે, પતિએ પોતાની બીમારીઓ અને દવાઓ વિશે જણાવ્યું હતુ. કોર્ટે કહ્યું કે, મહિલાને લગ્ન પહેલા પતિની બીમારીઓની જાણકારી હતી.

પત્નીએ એ પણ આરોપ લગાવ્યો કે, દિવાળીની આસપાસ 15 લાખની માંગ ફ્લેટ ખરીદવા માટે કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ અંગે શંકા વ્યક્ત કરી, કારણ કે, પતિ પાસે પહેલેથી જ પોતાનો ફ્લેટ હતો. કોર્ટે એમ પણ કહ્યું કે પરિવારના સભ્યો પર લગાવવામાં આવેલા આરોપો "સામાન્ય..." હતા. જે કલમ 498-A હેઠળ ક્રુરતા અનુરુપ ન હતા.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
