કાનુની સવાલ : જો કોઈ કેસમાં આરોપીનું મૃત્યુ થાય, તો કોને સજા થાય છે?
જો ફોજદારી કેસ દરમિયાન એકમાત્ર આરોપીનું મૃત્યુ થાય છે, તો કેસ બંધ થઈ જાય છે. કોર્ટ મૃત વ્યક્તિ સામે ટ્રાયલ ચાલુ રાખી શકતી નથી કારણ કે ફોજદારી જવાબદારી વ્યક્તિગત છે અને સજા ફક્ત જીવંત વ્યક્તિ પર જ લગાવી શકાય છે.

ભારતમાં, જો કોઈ ગુનાહિત કેસમાં આરોપીનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થાય છે, તો મૃતક આરોપીને સજા થઈ શકતી નથી અને તેની સામેની ફોજદારી કાર્યવાહી રદ થઈ જાય છે. આનું કારણ એ છે કે ફોજદારી સજા વ્યક્તિ સામે વ્યક્તિગત રીતે લાગુ કરવામાં આવે છે.

પરંતુ આવા કેસમાં એકથી વધારે આરોપી છે. તો અન્ય જીવિત આરોપી પર કેસ ચાલે છે અને દોષ સાબિત થવા પર તેને સજા પણ થઈ શકે છે.

સરળ વાત આરોપીનું મૃત્યું થઈ જાય તો તેના સ્થાને તેના પરિવાર કે અન્ય કોઈ બીજા વ્યક્તિને સજા મળતી નથી. કેસની પ્રકૃતિ અને પેન્ડિંગ અપીલના આધારે કેટલાક કાનૂની અપવાદો હોઈ શકે છે. BNSS ની કલમ 435 અપીલ દરમિયાન આરોપીના મૃત્યુની જોગવાઈ કરે છે.

અપવાદો અને અન્ય પરિસ્થિતિઓ દંડ અથવા અપીલ છે. જો આરોપી સજા સામે અપીલ દરમિયાન મૃત્યુ પામે છે અને તેને દંડ ફટકારવામાં આવ્યો છે, તો કેટલાક કિસ્સાઓમાં કાનૂની વારસદારો દંડ સામે અપીલ ચાલુ રાખી શકે છે.

સિવિલ કેસો જો કેસ પૈસાની લેવડદેવડ અથવા મિલકતના વિવાદ (સિવિલ) સાથે સંબંધિત હોય, તો કેસ પ્રતિવાદી (આરોપી પક્ષ) ના મૃત્યુ પર સમાપ્ત થતો નથી, તેના બદલે તેના કાનૂની વારસદારોને કોર્ટમાં પક્ષકાર બનાવવામાં આવે છે.

ટુંકમાં આરોપીના મૃત્યુનું સર્ટીફિકેટ કોર્ટમાં રજુ કર્યા બાદ આ કેસ બંધ કરી દેવામાં આવે છે. આરોપીની સજા તેના પરિવારના સભ્યોને કરવામાં આવતી નથી. પરંતુ મામલો પૈસાની લેવડ દેવડ સાથે જોડાયેલો છે. તો મામલો અલગ છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
