Vastu Tips : સિલબટ્ટા, કાકમુખી અને ડબલ રથ આકારના ઘરમાં રહો છો ? જાણો વાસ્તુશાસ્ત્રમાં શું છે મહત્ત્વ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ ઘર ચોક્કસ નિયમોનું પાલન કરીને બનાવવામાં આવે છે, તો તે ઘર સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ લાવે છે. ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર કયા પ્રકારનો પ્લોટ ઘર બનાવવામાં ઉત્તમ માનવામાં આવે છે.

વધતી જતી મોંઘવારીના યુગમાં, જ્યારે માણસની જરૂરિયાતો વધી રહી છે, ત્યારે ઘર બનાવવું એક મોટી સમસ્યા બની ગઈ છે. દરેક માણસ પોતાનું ઘર રાખવાનું સ્વપ્ન જુએ છે. માણસ ગરીબ હોય કે અમીર, તે ઘર બનાવવાનું સ્વપ્ન જુએ છે.

ત્યારે તમે ઘર ખરીદો છો કે ઘર બનાવવા માટે પ્લોટ ખરીદો છો ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવીશું. તેમજ ક્યાં આકારનો પ્લોટ કે ઘરનું વાસ્તુ શાસ્ત્રમાં શું મહત્વ છે તે જણાવીશું.

સિલ બટ્ટાકારનો પ્લોટને ખરીદી છે. આ પ્રકારનો પ્લોટ એક બાજુથી અડધા ગોળા જેવો અને પછી આગળથી લંબ હોય છે. આ પ્રકારના પ્લોટમાં રહેતા વ્યક્તિના ઘરનો અડધો ભાગ અર્ધચંદ્રાકાર જેવો રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારના ઘર કે પ્લોટમાં રહેનાર વ્યક્તિને ધનહાનિ થાય છે. વાસ્તુઅનુસાર આ પ્રકારની જમીન અશુભ માનવામાં આવે છે.

કાકમુખી પ્રકારનો પ્લોટ આગળ સાંકડો અને બાજુ પહોળો હોય છે. આ પ્રકારના પ્લોટમાં રહેનાર વ્યક્તિ ખુશ અને સમૃદ્ધ રહે છે. તે ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે.

ડબલ રથ આકારનો પ્લોટ મકાન બાંધકામની દ્રષ્ટિએ સારો માનવામાં આવતો નથી. વાસ્તુ શાસ્ત્રના નિયમો અનુસાર, આવા પ્લોટ ઘરમાલિકને આમતેમ દોડાવે છે. તેને એક જગ્યાએ કાયમી સુખ મળતું નથી. તે એક અશુભ સંકેત છે. આ પ્રકારનો પ્લોટ ક્યારેય ખરીદવો જોઈએ નહીં.(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
