માતા-પિતાના મૃત્યુ પછી જોઇન્ટ બેંક એકાઉન્ટમાંથી મળેલી રકમ પર ‘ટેક્સ’ લાગશે કે નહીં? શું તમને આવકવેરા વિભાગના આ નિયમ વિશે ખબર છે?
ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે, શું માતા-પિતાના મૃત્યુ પછી તેમના જોઇન્ટ બેંક એકાઉન્ટમાંથી આપણા નામે ટ્રાન્સફર થયેલી રકમ પર ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે કે નહીં?

ટેક્સ નિષ્ણાતોના મતે, પિતાના બેંક એકાઉન્ટમાંથી મળેલા પૈસાને 'ગિફ્ટ' તરીકે નહીં પરંતુ તેને વારસા (Inheritance) તરીકે ગણવામાં આવે છે. આથી, આના પર કોઈ 'ટેક્સ' ચૂકવવાપાત્ર નથી. ટેક્સ નિષ્ણાતો કહે છે કે, ભારતમાં હાલમાં વારસાગત (Inheritance) ટેક્સ લાગુ પડતો નથી.

આનો અર્થ એ છે કે, માતા અથવા પિતાના ખાતામાંથી 'કાનૂની વારસદાર' દ્વારા પ્રાપ્ત થતી રકમ સંપૂર્ણપણે Tax-Free છે. એવામાં, જો તમે આ પૈસા કોઈ જગ્યાએ રોકાણ કરો છો અને કેપિટલ ગેઈન જેવી આવક મેળવો છો, તો તમારે તેના પર ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે.

બેંકિંગ નિયમો અનુસાર, Joint Account માં "Either or Survivor" કલૉઝ (Clause) હોય છે. આનો અર્થ એ થાય કે, એક એકાઉન્ટ હોલ્ડરના મૃત્યુ પછી બીજા એકાઉન્ટ હોલ્ડરને કાનૂની રીતે તે રકમનો માલિક માનવામાં આવે છે. જો કોઈ વસીયત (Will) હોય, તો તે મુજબ રકમ વહેંચવામાં આવશે અને ન હોય તો રકમ સીધી બીજા હોલ્ડરને ટ્રાન્સફર થઈ જાય છે.

'Either or Survivor' કલૉઝ 'જોઇન્ટ' બેંક એકાઉન્ટની એક સુવિધા છે, જેમાં બંને એકાઉન્ટ હોલ્ડરને સ્વતંત્ર રીતે પૈસા ઉપાડવાનો અને ખાતું ચલાવવાનો હક્ક હોય છે.

જો કોઈ એક ધારકનું અવસાન થઈ જાય, તો બીજો (Survivor) એકાઉન્ટ હોલ્ડર કાનૂની રીતે તે ખાતાનો અને તેમાં રહેલી આખી રકમનો માલિક બની જાય છે. આનો અર્થ એ થયો કે, આ કલમ હેઠળ ખાતાના બેલેન્સને ઍક્સેસ કરવા માટે કોઈ વધારાની કાનૂની પ્રક્રિયાની જરૂર નથી, જે પરિવાર અથવા પાર્ટનર માટે સરળ બનાવે છે.
Breaking News: SEBI એ કરી મોટી કાર્યવાહી! આ કંપની પર 2 વર્ષનો પ્રતિબંધ અને લાખોનો દંડ લાદ્યો, રોકાણકારોના રૂપિયા પાણીમાં
