કેળાના છોડની પૂજા કેમ માનવામાં આવે છે વિશેષ ફળદાયી ? જાણો ધાર્મિક માન્યતાઓ વિશે
હિંદુ ધર્મમાં વૃક્ષો અને છોડને માત્ર પ્રકૃતિનો હિસ્સો જ નહીં પરંતુ દૈવી શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. અનેક છોડ અને વૃક્ષો એવી માન્યતાઓ સાથે જોડાયેલા છે કે જે આધ્યાત્મિક, ધાર્મિક તેમજ ઔષધીય મહત્વ ધરાવે છે

હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, કેળાના છોડને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેમાં ભગવાન વિષ્ણુનું નિવાસ હોય છે, કેળાના છોડનો સંબંધ ગુરુ ગ્રહ (બૃહસ્પતિ) સાથે માનવામાં આવતો હોવાથી, આ પૂજા દ્વારા વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જા, સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે એવી માન્યતા છે

આજે અમે તમને એવા કેટલાક સરળ અને અસરકારક ઉપાયો જણાવીશું, જે કેળાના છોડ સાથે સંબંધિત છે અને જેને કરવાથી જીવનમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે એવી માન્યતા છે.

હિંદુ ધર્મમાં કેળાનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ છોડમાં ભગવાન વિષ્ણુનું નિવાસ છે અને તે ગુરુ ગ્રહનો પ્રતીક પણ છે. એટલે જ ગુરુવારના દિવસે કેળાના છોડની પૂજા વિશેષ લાભદાયી માનવામાં આવે છે.

હિંદુ પરંપરા મુજબ, જ્યારે કેળાના છોડની પૂજા કરવામાં આવે ત્યારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાનું શુભ માનવામાં આવે છે, કારણ કે પીળો રંગ ગુરુ ગ્રહ અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. આ વિધિ દરમિયાન જો કેળાના છોડને હળદર, ગોળ તથા ચણાની દાળ અર્પણ કરવામાં આવે, તો તેને વિશેષ પુણ્યદાયી અને કલ્યાણકારી માનવામાં આવે છે. (Credits: - Canva)

પૂજા વિધિના અંતે જો ભક્ત કેળાના છોડની પરિક્રમા કરીને ગુરુ ગ્રહનું સ્મરણ કરે, તો તેને વિશેષ શુભફળ પ્રાપ્ત થાય છે. માન્યતા એવી છે કે આ રીતે કરેલી ઉપાસનાથી ભક્ત પર ભગવાન બૃહસ્પતિની કૃપા તેમજ શ્રી વિષ્ણુના આશીર્વાદ બંને વરસે છે. (Credits: - Canva)

જો કેળાના છોડના મૂળને ઘરે લાવીને તેને પીળા દોરાથી બાંધી તિજોરીમાં શાંતિપૂર્વક સ્થાપિત કરવામાં આવે, તો માન્યતા છે કે આ ઉપાયથી આર્થિક મુશ્કેલીઓ હળવી થાય છે અને ઘરમાં સમૃદ્ધિ વધવા લાગે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
