Women’s health : સ્ત્રીઓમાં ગેસ, કબજિયાત અને અપચો માત્ર આંતરડાની સમસ્યાઓ નથી, પરંતુ આ ગંભીર રોગની નિશાની છે
પેટમાં દુખાવો અને અપચાની સમસ્યા સામાન્ય લાગે છે પરંતુ કેટલીક વખત સામાન્ય જોવા મળતી આ સમસ્યા ગંભીર બીમારી પણ બની શકે છે. ખાસ કરીને આ સંકેત મહિલાઓમાં દેખાય તો તેમને હળવાશમાં લેવા જોઈએ નહી.આ સંકેત એન્ડોમેટ્રિઓસિસ નામની બીમારીમાં પણ જોવા મળે છે.

મહિલાઓ શરીરમાં થતાં કેટલાક બદલાવને ગંભીરતાથી લેતી નથી. આ બીમારી મોટું રુપ ધારણ કરી લે છે. તો ચાલો આજે આપણે વાત કરીએ એક એવી જાનલેવા બીમારી જેનું નામ એન્ડોમેટ્રિયોસિસ છે. જેના શરુઆતમાં સંકેત ખુબ સામાન્ય જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે,એન્ડોમેટ્રિયોસિસ મહિલાઓના ગર્ભાશય સંબંધિત બીમારી છે. જેમાં ગર્ભાશયની બહારની સ્કિન વધવા લાગે છે. જો કોઈ મહિલા આની સારવાર કરાવતી નતી. તો તેનાથી પ્રજનન સમસ્યઆઓથી લઈ ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. આ બીમારીનો સૌથી સામાન્ય સંકેત ગેસ,અપચો, એસિડિટી હોય છે. જે ડાઈજેશન સાથે જોડાયેલ હોય છે. તો ચાલો આના વિશે વિસ્તારથી જાણીએ.

એન્ડોમેટ્રિઓસિસ એ એક બીમારી છે જે મહિલાઓને અસર કરે છે. તે ગર્ભાશયની ઉપર ખોટી જગ્યાએ ટિશુના વિકાસને કારણે થાય છે, આ બીમારી જ્યારે મહિલાને દર મહિને પીરિયડ્સ આવે છે, ત્યારે ગર્ભાશયની અંદરનું સ્તર તૂટી જાય છે અને લોહી સાથે બહાર આવે છે.

એન્ડોમેટ્રિયોસિસથી થતા ટિશ્યુથી પીરિયડ્સ દરમિયાન સોજો આવે છે અને લોહી નીકળે છે પરંતુ કેટલીક વખત આ બ્લડ નીકળતું નથી. એન્ડોમેટ્રિયોસિસથી પેટમાં સોજો, ગાંઠ અને ખુબ દુખાવો થાય છે.

એન્ડોમેટ્રિયોસિસના સંકેતોની જો આપણે વાત કરીએ તો કોઈ મહિલાનું પેટ વારંવાર ફુલી જાય છે, કે પછી કબજીયાત અને અપચો જેવી સમસ્યાઓ આવે છે. તો આની અવગણના કરવી જોઈએ નહી, મહિલાઓ આને ગેસ કહીને નજરઅંદાજ કરે છે.

એન્ડોમેટ્રિયોસિસના લક્ષણો જોઈએ તો. શારીરિક સંબંધ બાંધતી વખતે દુખાવો થવો, પીરિયડ્સ દરમિયાન પેટની નીચેના ભાગમાં વધારે દુખાવો થવો. અનિયમિત કે હેવી પીરિયડ્સ, થાક અને નબળાઈ આવવી.

એન્ડોમેટ્રિયોસિસની સારવારની આપણે વાત કરીએ તો. ગાયનોકોલોજિસ્ટે કહ્યું આની કોઈ સારવાર નથી. આના માટે આપણે આપણી લાઈફસ્ટાઈલ સારી રીતે અપનાવવી જોઈએ.આ માટે યોગ્ય સારવાર છે. પરંતુ તમે તેનો જાતે સારવાર કરી શકતા નથી. આ માટે પણ તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તેમની પાસેથી યોગ્ય ગાઈડલાઈન લેવું જોઈએ.

આ ઉપરાંત, મહિલાઓએ યોગ્ય આહાર, કસરત અને દારૂ અને ધૂમ્રપાન જેવી આદતોથી દૂર રહેવું જોઈએ. મુખ્ય વાત લાઈફસ્ટાઈલ ખાસ સુધારવી જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
