ફ્રીઝમાં આ 10 ચીજો ક્યારેય ન રાખવી, વિટામીન થશે નષ્ટ, સ્વાદ પણ બગડશે
ઉનાળામાં લોકો ઘણીવાર ફ્રીઝરનો ઉપયોગ ખોરાકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા અથવા તેને ઠંડુ કરવા માટે કરે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેને ફ્રીઝરમાં રાખવાથી બચવું જોઈએ. ચાલો જાણીએ તેમના વિશે. વસ્તુઓ બગડતી અટકાવવા માટે રેફ્રિજરેટરના ફ્રીઝરમાં રાખવામાં આવે છે. પરંતુ ફ્રીઝરમાં ઘણી વસ્તુઓ બગડી જાય છે. આને કોઈપણ સંજોગોમાં ફ્રીઝરમાં ન રાખવી જોઈએ.

રાંધેલા કે શેકેલા બટાકા ફ્રીઝરમાં રાખી શકાય છે. આ માટે હવાચુસ્ત કન્ટેનરનો ઉપયોગ કરો. પરંતુ કાચા બટાકા ફ્રીઝરમાં રાખવાનું ટાળવું જોઈએ. કાચા બટાકામાં ઘણું પાણી હોય છે. ફ્રીઝરમાં રાખવાથી બટાકાની રચના પર અસર પડે છે.

લેટીસનો ઉપયોગ સેન્ડવીચથી લઈને બર્ગર સુધી દરેક વસ્તુનો સ્વાદ વધારવા માટે થાય છે. તેને ફ્રીઝરમાં સ્ટોર કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે જામી શકે છે. જ્યારે વાનગીમાં ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ બગડી શકે છે.

કાચા ઈંડા ફ્રીઝરમાં સંગ્રહિત ન કરવા જોઈએ. આનાથી ઈંડાનો અંદરનો ભાગ ફેલાઈ શકે છે. જેના કારણે ઈંડાનું સેલ (ઉપરનો ભાગ) પણ તુટી શકે છે. આનાથી ફ્રીઝ પણ ગંદુ થઈ શકે છે.

દરેક વ્યક્તિ ઉનાળામાં પોતાના ગળાને ઠંડુ કરવા માંગે છે. આ માટે સોફ્ટ ડ્રિંક્સ અને અન્ય પીણાંનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ઝડપથી ઠંડુ કરવા માટે ઘણીવાર ફ્રીઝરમાં રાખવામાં આવે છે. પરંતુ આ તમારી તરસ છીપાવવામાં ઉપયોગી થશે નહીં. કારણ કે તેને ફ્રીઝરમાં રાખવાથી સોફ્ટ ડ્રિંકનો ડબ્બો ફાટી શકે છે. તેથી તેને ફ્રીજમાં સંગ્રહિત કરવાની સલાહ આપવામાં આવે છે.

મેયોનીઝનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે. પરંતુ તેને ફ્રીઝરમાં રાખવાથી તેનો સ્વાદ બગડી શકે છે. તેને ફ્રીઝરમાં રાખવાથી મેયોનેઝમાં રહેલું તેલ અને ઈંડાનો જરદી અલગ થઈ શકે છે. આ મેયોનેઝની રચનાને બગાડી શકે છે.

ખોરાકને તળવામાં આવે છે, જેથી તે ક્રિસ્પી બને અને મોંનો સ્વાદ વધારે. પરંતુ જો તેને ફ્રીજમાં રાખવામાં આવે તો તેનો ક્રિસ્પી સ્વાદ ગાયબ થઈ જાય છે.

હાર્ડ ચીઝ ફ્રીજરમાં રાખી શકાય છે. પરંતુ સોફ્ટ પનીર જેવું કે બ્રી, કેમેમ્બર્ટ અથવા ક્રીમી ચીઝમાં ચરબી અને પાણીનું પ્રમાણ વધુ હોય છે. આ કારણે ફ્રીજરમાં ફ્રીજમાં મુકવામાં આવે ત્યારે તે અલગ થઈ શકે છે. ચીઝ ઓગળવા પર પાતળું થઈ જાય છે. આવી સ્થિતિમાં તેને ફ્રીજમાં રાખવું વધુ સારું છે.

જ્યારે મોટી માત્રામાં વાનગી બનાવવામાં આવે છે, ત્યારે તમે તેને ફ્રીજરમાં રાખવાનું વિચારો છો. પરંતુ જ્યારે તમે તેને ફ્રીજરમાંથી બહાર કાઢો છો અને ખાઓ છો, ત્યારે તેનો સ્વાદ બદલાઈ ગયો હશે. તળેલા ખોરાકની જેમ, તે પણ તેની ક્રિસ્પનેસ ગુમાવી દેશે. તે ભીનું અને સ્વાદહીન થઈ જશે.

ઘણીવાર લોકો કોફી બીન્સ ફ્રીજરમાં સ્ટોર કરે છે. પરંતુ આમ કરવાથી કોફી બીન્સની સુગંધ અને સ્વાદમાં ફેરફાર અનુભવી શકાય છે.
કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.

































































