છેલ્લી વખત IPLમાં રમવા ઉતર્યો હતો રોહિત શર્મા ? મુંબઈની હાર સાથે તેની કારકિર્દીનો આવ્યો અંત !
ક્વોલિફાયર-2 ની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવીને આ સિસીઝનમાંથી બહાર ફેંકી દીધું. પંજાબ કિંગ્સ 11 વર્ષ પછી IPLની ફાઇનલમાં પહોંચી છે. આ દરમિયાન, રોહિત શર્માના IPLમાં ભવિષ્યમાં રમવા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

પંજાબ સામે હાર બાદ મુંબઈનું છઠ્ઠું IPL ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થયું. આ ઉપરાંત, હવે એવા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે કે શું રોહિત શર્માએ 2 જૂને છેલ્લી વખત IPL મેચ રમી હતી? શું મુંબઈની હાર પછી તેની કારકિર્દી ખતમ થઈ ગઈ? લોકોના મનમાં આ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

હાર્દિક પંડ્યા મુંબઈનો કેપ્ટન બન્યો ત્યારથી, રોહિત ભાગ્યે જ IPLમાં ફિલ્ડિંગ માટે આવે છે. તેને સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે બેટિંગ કરવાની તક મળે છે. ગયા વર્ષે T20માંથી નિવૃત્તિ લીધા પછી, 38 વર્ષીય રોહિતે IPL 2025ની મધ્યમાં 7 મેના રોજ ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લીધી. હવે તે ફક્ત ODIમાં રમતો જોવા મળશે.

હવે જ્યારે મુંબઈ આ સિઝનમાંથી બહાર થયું છે, ત્યારે રોહિતના IPLમાં ભવિષ્યમાં રમવા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, કારણ કે તે હવે 38 વર્ષનો છે અને તેની ફિટનેસ ફિલ્ડિંગ માટે પૂરતી સારી નથી. તેથી જ તે આ સિઝન દરમિયાન બેન્ચ પર બેઠો જોવા મળ્યો હતો. જોકે, તેણે બેટિંગમાં ચોક્કસપણે દમદાર પર્ફોમ કર્યું છે.

રોહિત શર્માએ આ સિઝનમાં 15 મેચ રમી છે. આ દરમિયાન તેણે 29.85ની સરેરાશથી 418 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેણે IPLમાં 300 છગ્ગા ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે.

રોહિતે પોતાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે. તેણે અત્યાર સુધી IPL માં 272 મેચ રમી છે. તેની 267 ઈનિંગ્સમાં તેણે 29.73ની સરેરાશથી 7046 રન બનાવ્યા છે. તેણે બે સદી અને 47 અડધી સદી ફટકારી છે.

રોહિત શર્મા IPLની તમામ સિઝન રમનાર ખેલાડી છે અને સૌથી સફળ ટીમનો કેપ્ટન પણ રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે તે આગામી સિઝનમાં મેદાનમાં ઉતરશે કે IPL 2025 તેની છેલ્લી સિઝન હતી. (All Photo Credit : PTI / Getty Images)
IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સનું છઠ્ઠું IPL ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
