આ ખેલાડી હતો કપિલ દેવનો 432મો શિકાર, બાદમાં કરિયરનો આવ્યો દુઃખદ અંત

કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો 432મો શિકાર કોને બનાવ્યો? શું તમે જાણો છો? આ એક એવો બેટ્સમેન છે જે પોતાના દેશનો મોટો ખેલાડી હતો પરંતુ તેની કારકિર્દી અચાનક જ ખતમ થઈ ગઈ. એકવાર તે ટીમમાંથી થયો પછી ફરી ટીમમાં કમબેક કરી જ ના શક્યો.

| Updated on: Feb 08, 2024 | 11:57 PM
તેમની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, કપિલ દેવે 687 વિકેટ લીધી છે, જેમાંથી તેણે ટેસ્ટ ક્રિકેટમાં 434 વિકેટ લીધી છે. ક્રિકેટના આ ફોર્મેટમાં તેનો 432મો શિકાર શ્રીલંકાના હસન તિલકરત્ને હતો. હવે તમે કહેશો કે અચાનક કપિલ દેવના 432મા શિકાર વિશે વાત કરવાની જરૂર કેમ પડી? તો એટલા માટે કે કપિલે આ શિકાર 30 વર્ષ પહેલા 8 ફેબ્રુઆરીએ કર્યો હતો. આ તે સમય હતો જ્યારે હસન તિલકરત્ને શ્રીલંકન ક્રિકેટના મોટા ખેલાડીઓમાંના એક હતો. જ્યારે કપિલ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના છેલ્લા વર્ષમાં હતો.

તેમની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, કપિલ દેવે 687 વિકેટ લીધી છે, જેમાંથી તેણે ટેસ્ટ ક્રિકેટમાં 434 વિકેટ લીધી છે. ક્રિકેટના આ ફોર્મેટમાં તેનો 432મો શિકાર શ્રીલંકાના હસન તિલકરત્ને હતો. હવે તમે કહેશો કે અચાનક કપિલ દેવના 432મા શિકાર વિશે વાત કરવાની જરૂર કેમ પડી? તો એટલા માટે કે કપિલે આ શિકાર 30 વર્ષ પહેલા 8 ફેબ્રુઆરીએ કર્યો હતો. આ તે સમય હતો જ્યારે હસન તિલકરત્ને શ્રીલંકન ક્રિકેટના મોટા ખેલાડીઓમાંના એક હતો. જ્યારે કપિલ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના છેલ્લા વર્ષમાં હતો.

1 / 5
ભારત અને શ્રીલંકા વચ્ચેની તે ટેસ્ટ 8 ફેબ્રુઆરી 1994થી અમદાવાદમાં શરૂ થઈ હતી, જેમાં કપિલ દેવે હસન તિલકરત્નેના રૂપમાં તેની 432મી વિકેટ લીધી હતી. તે ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવ્યો અને પહેલા જ દાવમાં કપિલે હસન તિલકરત્નેને આઉટ કર્યો હતો. તે ઈનિંગમાં હસન માત્ર 5 રન જ બનાવી શક્યો હતો.

ભારત અને શ્રીલંકા વચ્ચેની તે ટેસ્ટ 8 ફેબ્રુઆરી 1994થી અમદાવાદમાં શરૂ થઈ હતી, જેમાં કપિલ દેવે હસન તિલકરત્નેના રૂપમાં તેની 432મી વિકેટ લીધી હતી. તે ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવ્યો અને પહેલા જ દાવમાં કપિલે હસન તિલકરત્નેને આઉટ કર્યો હતો. તે ઈનિંગમાં હસન માત્ર 5 રન જ બનાવી શક્યો હતો.

2 / 5
હસન તિલકરત્નેએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જ્યારે તેણે ભારત સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. તેમની કારકિર્દી 15 વર્ષ સુધી ચાલી હતી. આ સમયગાળા દરમિયાન તે શ્રીલંકાનો કેપ્ટન પણ રહ્યો હતો. પરંતુ, જે રીતે તેની કારકિર્દીનો અંત આવ્યો તે ખૂબ જ પીડાદાયક હતું.

હસન તિલકરત્નેએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જ્યારે તેણે ભારત સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. તેમની કારકિર્દી 15 વર્ષ સુધી ચાલી હતી. આ સમયગાળા દરમિયાન તે શ્રીલંકાનો કેપ્ટન પણ રહ્યો હતો. પરંતુ, જે રીતે તેની કારકિર્દીનો અંત આવ્યો તે ખૂબ જ પીડાદાયક હતું.

3 / 5
હકીકતમાં, હસન તિલકરત્ને એક વાર ટીમમાંથી બહાર થયો પછી પાછો ટીમમાં ફરી શક્યો જ નહીં. આ વર્ષ 2004માં થયું હતું જ્યારે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે હોમ સિરીઝમાં 0-3થી હારનો સામનો કર્યા બાદ તેની ટેસ્ટ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા બાદ તેને ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો અને તે ફરીથી ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. બે વર્ષ પછી 2006માં તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને કોચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.

હકીકતમાં, હસન તિલકરત્ને એક વાર ટીમમાંથી બહાર થયો પછી પાછો ટીમમાં ફરી શક્યો જ નહીં. આ વર્ષ 2004માં થયું હતું જ્યારે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે હોમ સિરીઝમાં 0-3થી હારનો સામનો કર્યા બાદ તેની ટેસ્ટ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા બાદ તેને ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો અને તે ફરીથી ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. બે વર્ષ પછી 2006માં તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને કોચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.

4 / 5
કપિલ દેવનો 432મો શિકાર બનેલા હસન તિલકરત્નેએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 83 મેચ રમી હતી, જેમાં તેણે 11 સદીની મદદથી 4545 રન બનાવ્યા હતા, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 204 અણનમ રહ્યો હતો. તે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ શ્રીલંકન બેટ્સમેન છે. હસન તિલકરત્ને શ્રીલંકા તરફથી 200 વનડે પણ રમ્યો હતો.

કપિલ દેવનો 432મો શિકાર બનેલા હસન તિલકરત્નેએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 83 મેચ રમી હતી, જેમાં તેણે 11 સદીની મદદથી 4545 રન બનાવ્યા હતા, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 204 અણનમ રહ્યો હતો. તે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ શ્રીલંકન બેટ્સમેન છે. હસન તિલકરત્ને શ્રીલંકા તરફથી 200 વનડે પણ રમ્યો હતો.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">