IND vs ENG : ભારત માટે ODI ડેબ્યૂ કરનાર બીજા સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો વરુણ ચક્રવર્તી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા માટે એક ખેલાડીએ ડેબ્યૂ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે તેની પ્લેઈંગ 11માં બે ફેરફાર કર્યા છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની પહેલી મેચ ટીમ ઈન્ડિયાએ પોતાને નામ કરી હતી. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ ચાલી રહી છે. ચેમ્પિયન ટ્રોફી 2025ની તૈયારીઓ માટે આ સીરિઝને ખુબ મહત્વ માનવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયા પોતાના તમામ ખેલાડીઓને તૈયાર કરી રહી છે.

આ સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી એક સ્ટાર ખેલાડીએ પોતાનું વનડે ડેબ્યુ કર્યું છે. આ ખેલાડી અન્ય કોઈ નહિ પરંતુ વરુણ ચક્રવર્તી છે. વરુણ ચક્રવર્તીને ટીમ ઈન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ડેબ્યુ કેપ પહેરાવી છે.

વરુણ ચક્રવર્તીએ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટી20 સીરિઝ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતુ. આ કારણે વનડે સીરિઝ શરુ થવા પહેલા તેને ટીમ ઈન્ડિયાના સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે રોહિત શર્માએ તેને ડેબ્યુ માટે તક આપી છે. ત્યારે ચાહકોને પણ આશા છે કે, તે વનડે સીરિઝ દરમિયાન પણ પોતાની તાકાત દેખાડશે.

વરુણ ચક્રવર્તીએ ટી20 સીરિઝમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચમાં 14 વિકેટ લીધી હતી. તેને તક આપવા માટે, કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો છે. જે લાંબા ઈજાના વિરામને કારણે ટીમ ઈન્ડિયાની બહાર હતો.

આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ વાપસી કરી રહ્યો છે. તે ઈજાના કારણે સીરિઝની પહેલી મેચ રમી શક્યો ન હતો. ત્યારે પ્લેઈંગ 11માં સામેલ કરવાને કારણે વધુ એક બદલાવ કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીની વાપસીના કારણે યશસ્વી જ્યસ્વાલ પ્લેઈંગ 11થી બહાર થયો છે. તે સીરિઝની પહેલી મેચમાં માત્ર 15 રન બનાવી શક્યો હતો.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.
વરુણ ચક્રવર્તીએ તેની મિત્ર નેહા ખેડેકર સાથે પ્રેમ લગ્ન કર્યા છે. એક સ્ટાર ખેલાડીએ પોતાનું વનડે ડેબ્યુ કર્યું છે વરુણ ચક્રવર્તીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો
