સસરા અને પિતા હતા ડાયરેક્ટર અને પતિ ડિરેક્ટર, નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રીનો પરિવાર જુઓ
અભિનેત્રી રાની મુખર્જીએ તેમની કારકિર્દીમાં કોમર્શિયલ ફિલ્મો સિવાય તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આજે આપણે નેશનલ એવોર્ડ વિજેતા રાની મુખર્જીના પરિવાર વિશે વાત કરીશું.

રાની મુખર્જી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાના કરિયરમાં અનેક હિટ અને સુપરહિટ ફિલ્મો આપી છે. અભિનેત્રીએ તેની કારકિર્દીમાં ઘણા યાદગાર પાત્રો ભજવ્યા છે, જેમાંથી કેટલાકમાં મોટા સામાજિક સંદેશા હતા.આજે અભિનેત્રી તેનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે,

આજે અમે તમને ઈન્ડસ્ટ્રીની એક એવી જ સુંદર અભિનેત્રીના પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે 47 વર્ષની ઉંમરમાં પણ ચાહકોના દિલ પર રાજ કરે છે.

રાની મુખર્જીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

રાની મુખર્જીનો જન્મ 21 માર્ચ 1978ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતા રામ મુખર્જી, ભૂતપૂર્વ ફિલ્મ નિર્દેશક અને ફિલ્માલય સ્ટુડિયોના સ્થાપકોમાંના એક હતા. તેની માતા, કૃષ્ણા મુખર્જી ભૂતપૂર્વ પ્લેબેક સિંગર છે.

તેને એક મોટા ભાઈ, રાજા મુખર્જી, ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તેની મામી દેબાશ્રી રોય, બંગાળી ફિલ્મ અભિનેત્રી છે અને તેની બીજી પિતરાઇ બહેન, કાજોલ બોલિવુડ અભિનેત્રી છે.અન્ય પિતરાઈ ભાઈ અયાન મુખર્જી, સ્ક્રિપ્ટ રાઈટર અને ફિલ્મ ડિરેક્ટર છે.

રાની મુખર્જીના પરિવારમાં મોટા ભાગના સગા સંબંધીઓ બોલિવુડ ફિલ્મ સાથે સંકરાયેલા છે. રાની મુખર્જીને ફિલ્મમાં કારકિર્દી બનાવવામાં રસ ન હતો. તેમણે કહ્યું, "ઘરે પહેલેથી જ ઘણી બધી અભિનેત્રીઓ હતી અને હું કોઈ અલગ બનવા માંગતી હતી,

રાની મુખરજીએ તેમનું શિક્ષણ જુહુની માણેકજી કૂપર હાઇસ્કૂલમાં મેળવ્યું હતું અને SNDT મહિલા યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સમાં ડિગ્રી સાથે સ્નાતક થઈ હતી. બોલિવુડ અભિનેત્રી દસમા ધોરણમાં હતી, ત્યારે તેણે નૃત્યનું સ્વરૂપ શીખવાનું શરૂ કર્યું હતું.

પરંપરાના ભાગરૂપે, મુખર્જી પરિવાર દર વર્ષે સાંતાક્રુઝ વિસ્તારમાં દુર્ગા પૂજાનો તહેવાર ઉજવે છે. મુખર્જી તેના સમગ્ર પરિવાર સાથે આ તહેવારોમાં ભાગ લે છે.

1994માં દિગ્દર્શક સલીમ ખાને મુખર્જીને તેમના દિગ્દર્શન, આ ગલે લગ જામાં મુખ્ય મહિલાની ભૂમિકા ભજવવા માટે સંપર્ક કર્યો. તેના પિતાએ આટલી નાની ઉંમરે ફિલ્મમાં પૂર્ણ-સમયની કારકીર્દિને નામંજૂર કરી હતી, તેથી તેમણે ઓફર નકારી કાઢી હતી.

રાની મુખર્જીએ 1996માં ફિલ્મ 'રાજા કી આયેગી બારાત'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ સફળ રહી ન હતી, પરંતુ તેમાં તેની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી હતી.

1998માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગુલામ' અને 'કુછ કુછ હોતા હૈ' તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મોની સફળતા બાદ રાની મુખર્જીને અનેક મોટા પ્રોજેક્ટ મળવા લાગ્યા અને તે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક બની ગઈ.

રાની મુખર્જીએ પોતાની 29 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં 'કુછ કુછ હોતા હૈ' (1998), 'સાથિયા' (2002), 'ચલતે ચલતે' (2003), 'હમ તુમ' (2004),

'વીર-ઝારા' (2004), કભી અલવિદા ના કહેના' (2006), 'નો વન કિલ્ડ જેસિકા' (2011) અને 'મર્દાની' (2014) તેમની ફિલ્મોને માત્ર ચાહકોએ પસંદ નથી કરી પરંતુ તેમને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા.

બોલિવુડ અભિનેત્રી રાની મુખર્જી ઈન્ડસ્ટ્રીના એ સ્ટારમાંથી એક છે. જે પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દુર રાખવાનું પસંદ કરે છે.તેમણે અનેક હિટ ફિલ્મો આપ્યા બાદ વર્ષ 2014માં બોલિવુડના ફેમસ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે. બંન્ને એક દીકરીના માતાપિતા છે.

લગ્ન બાદ રાની મુખર્જીએ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તેમણે હિચકી અને મર્દાની 2 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ભલે તે પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે પરંતુ આજે પણ તેની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. આજે પણ તેની ગણતરી બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાં થાય છે
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
