8 વર્ષ નાની અભિનેત્રી સાથે બીજા લગ્ન કરનાર રાજ નિદિમોરુનો આવો છે પરિવાર
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધાના ચાર વર્ષ પછી દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા છે. તો આજે આપણે રાજ નિદિમોરુના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

રાજ નિદિમોરુ અને સામંથા રૂથ પ્રભુના લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાલો જાણીએ કે રાજ નિદિમોરુ અને સામંથાની લવ સ્ટોરી.તેમજ રાજ નિદિમોરુની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

સામંથા રૂથ પ્રભુના પતિ રાજ નિદિમોરુની વાત કરીએ તો, તેઓ એક જાણીતા દિગ્દર્શક અને નિર્માતા છે. જેમની કૃષ્ણા ડીકે સાથેની જોડી ખૂબ જ લોકપ્રિય છે. તેમણે ધ ફેમિલી મેનનું દિગ્દર્શન કર્યું હતું, જે હાલમાં દેશની નંબર વન વેબસિરીઝ છે.

8 વર્ષ નાની અભિનેત્રી સાથે બીજા લગ્ન કરનાર રાજ નિદિમોરુનો આવો છે પરિવાર

સામંથા અને રાજ નિદિમોરુ બંને માટે આ બીજા લગ્ન છે. સામંથાએ 2017માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા, જ્યારે રાજ નિદિમોરુના પણ છૂટાછેડા થઈ ગયા છે. નાગા ચૈતન્ય અને સામંથાના લગ્ન ચાર વર્ષ સુધી ચાલ્યા અને પછી છૂટાછેડા થયા હતા.

રાજ નિદિમોરુની વાત કરીએ તો તે આંધ્રપ્રદેશનો રહેવાસી છે. 4 ઓગસ્ટ, 1979ના રોજ જન્મેલા રાજે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી યુએસ ગયા, જ્યાં તેમની મુલાકાત ધ ફેમિલી મેનના ડીકે સાથે થઈ હતી.

રિપોર્ટ અનુસાર રાજની નેટ વર્થ અંદાજે 80 થી 85 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. પતિ પત્ની બંન્ને કરોડોની સંપત્તિના માલિક છે.

રાજ નિદિમોરુની વાત કરીએ તો તેમનો જન્મ 4 ઓગસ્ટ, 1979ના રોજ થયો હતો, જ્યારે સામંથા રૂથ પ્રભુનો જન્મ 28 એપ્રિલ, 1987 ના રોજ થયો હતો. આનો અર્થ એ થયો કે બંને વચ્ચે લગભગ 7 થી 8 વર્ષનો તફાવત છે.

તમને જણાવી દઈએ કે, રાજ નિદિમોરુના છૂટાછેડા થઈ ગયા છે.

તેમની ભૂતપૂર્વ પત્ની શ્યામલી ડે છે, જે રંગ દે બસંતી અને ઓમકારા જેવી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક રહી ચૂકી છે, અને લેખક પણ છે. આ દંપતી 2022માં અલગ થયું હતુ.

રાજ મુંબઈના એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે. તેમની પાસે મોંઘી કાર છે.

દિગ્દર્શક તેમની મોટાભાગની આવક ફિલ્મો, OTT પ્રોજેક્ટ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી મેળવે છે. એકંદરે રાજનું જીવન લક્ઝરી લાઈફ સ્ટાઈલથી ભરેલું છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી સહીતના જાણીતા અને ખ્યાતનામ લોકોના ફેમિલી ટ્રી જોવા મળશે. અહી ક્લિક કરો
