57 વર્ષનો અભિનેતા અઠવાડિયામાં 36 કલાક ભૂખ્યો રહે છે આ પાછળ કારણ જણાવ્યું
અક્ષય કુમારે હાલમાં પોતાની ફિટનેસ અને હેલ્ધી હેબિટ્સ પર વાત કરી છે. તેમણે ખુલાસો કર્યો છે કે, અઠવાડિયામાં એક સમય એવો આવે છે. જ્યારે તે 36 કલાક સુધી કાંઈ ખાતો નથી, આ કરવા પાછળ ખુલાસો પણ કર્યો છે.

બોલિવુડ અભિનેતા અક્ષયકુમાર પોતાની ફિટનેસ અને હેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. તે માત્ર પોતાના વર્કઆઉટ પર જ નહી પરંતુ તેની લાઈફસ્ટાઈલ અને દિનચર્યાનું પણ ખુબ જ ધ્યાન રાખે છે. હાલમાં 'યોર બોડી ઓલરેડી નોઝ' પુસ્તકના વિમોચન દરમિયાન અક્ષય કુમારે તેની લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો શેર કરી, જેમાંથી સૌથી રસપ્રદ વાત એ હતી કે, તે દર સોમવારે ઉપવાસ રાખે છે.

તેમણે સૌથી મોટી વાતનો એ ખુલાસો કર્યો કે, તે 36 કલાક સુધી ભૂખ્યા રહે છે.આ પ્રકિયાને તે કેવી રીતે પુરું કરે છે. તેના પર તેમણે વાત કરી છે. સાથે ફિટનેસ માટે કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરી હતી.

અક્ષય કુમારે જણાવ્યું કે, અઠવાડિયામાં રવિવાર રાત્રે જમે છે. ત્યારબાદ સીધા મંગળવાર સવાર સુધી કાંઈ ખાતા નથી. એટલે કે, અંદાજે 36 કલાક સુધી ઉપવાસ રાખે છે. આ દરમિયાન તેમાત્ર પાણી કે પછી નારિયળ પાણી જ પીવે છે.

તેનું માનવું છે કે, આ રીતે ઉપવાસ કરવાથી શરીરને આરામ અને ખુદને ફિટનેસ કરવાની તક આપે છે. તેમણે ક્યું કે, જ્યારે આપણે સતત જમ્યા રાખીએ છીએ તો પેટને ક્યારે પણ આરામ મળતો નથી. પરંતુ જ્યારે તમે થોડા સમય માટે ભૂખ્યા રહો છો તો સ્ફુતિ રહે છે. તેમના ઉપવાસ પાછળનું કારણ ધાર્મિક નથી પણ ફિટનેસ સાથે વધુ સંબંધિત છે.

અભિનેતાનું માનવું છે કે, આજકાલ લોકો બીમારીઓની ઝપેટમાં જલ્દી આવી જાય છે. ખોટા સમયે અને મોડી રાત્રે ભોજન કરવું અને વારંવાર ખાવાની આદત આપણી પાચન પ્રકિયાને નુકસાન પહોંચાડે છે. એટલા માટે હું સાંજે 6:30 વાગ્યા સુધીમાં જમી લઉં છું, પણ દર સોમવારે ઉપવાસ કરીને પોતાના શરીરને ફરીથી સ્વસ્થ થવાની તક પણ આપે છે.

ખૂબ જ સરળ ભાષામાં સમજાવતા તેમણે કહ્યું, 'કલ્પના કરો, જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે શરીરના બધા ભાગો આરામ કરી રહ્યા હોય છે, પરંતુ પેટ નહીં. જો તમે રાત્રે મોડા ખાઓ છો, તો સૂતી વખતે પણ પેટ કામ કરી રહ્યું છે. આ ફક્ત પાચનમાં મદદ કરતું નથી પણ પાચનમાં પણ સુધારો કરે છે.'

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ ઉપવાસ કોઈ ધાર્મિક કે પરંપરાગત વિધિ નથી, પરંતુ એક હેલ્ધી પ્રેક્ટિસ છે. તેમનો ઉદ્દેશ્ય શરીરને સમય આપવાનો છે જેથી તે પોતાને ડિટોક્સ કરી શકે. તેમનું માનવું છે કે આમ કરવાથી માત્ર ઉર્જા જ નહીં પરંતુ માનસિક સ્પષ્ટતા પણ આવે છે
Akshay Kumar Family Tree : ફિલ્મ હેરા ફેરીમાં ચાહકોને પેટ પકડી હસાવનાર રાજુનો આજે છે જન્મજદિવસ, પત્ની પણ આપી ચૂકી છે હિટ ફિલ્મો અહી ક્લિક કરો
