Anil Ambani : 17,000 કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં અનિલ અંબાણી ED સમક્ષ હાજર, જાણો પછી શું થયું ?
એજન્સીએ 24 જુલાઈના રોજ મુંબઈમાં 50 કંપનીઓના 35 પરિસર અને તેમના વ્યવસાયિક જૂથના અધિકારીઓ સહિત 25 લોકો પર તપાસ કર્યા બાદ સમન્સ જારી કરવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે EDને શંકા છે કે લોન આપવામાં આવે તે પહેલાં, યસ બેંકના પ્રમોટરોને તેમની કંપનીઓમાં પૈસા મળ્યા હતા.

રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનીલ અંબાણી મંગળવારે નવી દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના મુખ્યાલયે મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં પૂછપરછ માટે હાજર રહ્યા. 66 વર્ષીય આ ઉદ્યોગપતિનો નિવેદન મની લોન્ડરિંગ રોકવા માટે લાગુ કરાયેલા કાયદા – પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવ્યું હતું.

આ મામલો અનીલ અંબાણીના ગ્રૂપની ઘણી કંપનીઓ સાથે જોડાયેલા અનેક ઠગાઈના કેસોથી સંબંધિત છે. પૂછપરછ દરમિયાન અંબાણીએ ઈડી અધિકારીઓને જણાવ્યું કે તેમને આ કેસ સંબંધિત તમામ દસ્તાવેજો અને વિગતો એકત્રિત કરવા માટે ઓછામાં ઓછા 7 થી 10 દિવસની જરૂર પડશે.

અંબાણીએ ઈડી સમક્ષ અરજી કરી કે તેઓને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે થોડો સમય આપવામાં આવે. સૂત્રો અનુસાર, તેમની માગણીના આધારે ઈડી આગામી 7 થી 10 દિવસમાં ફરીથી તેમને સમન્સ મોકલી શકે છે અને વધુ પૂછપરછ માટે બોલાવી શકે છે.

આ ઠગાઈનો કેસ આશરે રૂ. 17,000 કરોડનાં ચુકવાયેલા ન લોન પર આધારિત છે, જે અંબાણી સાથે જોડાયેલી વિવિધ કંપનીઓ દ્વારા લેવામાં આવી હતી. ઈડીના અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે આ રકમ ક્યાં ગઈ અને કોણ-કોણ આ ભ્રષ્ટાચારમાં સામેલ હતું.

સૂત્રો જણાવે છે કે પૂછપરછ દરમિયાન અનીલ અંબાણીએ પોતાને આ કેસમાં કોઈપણ પ્રકારની સીધી ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો. તેમણે દલીલ આપી કે કંપનીની અંદરની બોર્ડે આર્થિક નિર્ણયો લીધા હતા અને તેમને માત્ર અંતે દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાનું હતું.
શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે કમાણીનો મોકો, ટાટા ગ્રુપની આ કંપની IPO લાવવાની તૈયારીમા, જાણવા માટે અહીં ક્લિક કરો..
