AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ વિમાન દુર્ઘટનાના રિપોર્ટને લઈ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ કર્યો મોટો ખુલાસો, જાઓ શું કહ્યું

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયાના દાવાઓને નકારી કાઢ્યા છે.

| Updated on: Jul 20, 2025 | 8:58 PM
Share
અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયાના દાવાઓને નકારી કાઢતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું છે કે તેઓ ભારતમાં ચાલી રહેલી તપાસ પ્રક્રિયા પર પૂરો વિશ્વાસ ધરાવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે એર ક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસ પારદર્શક અને વ્યાવસાયિક ધોરણે ચાલી રહી છે.

અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયાના દાવાઓને નકારી કાઢતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું છે કે તેઓ ભારતમાં ચાલી રહેલી તપાસ પ્રક્રિયા પર પૂરો વિશ્વાસ ધરાવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે એર ક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસ પારદર્શક અને વ્યાવસાયિક ધોરણે ચાલી રહી છે.

1 / 6
મંત્રીએ જણાવ્યું હતું કે આ પહેલો પ્રસંગ છે જ્યારે બ્લેક બોક્સમાંથી ડેટાનું ડીકોડિંગ ભારતમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. અગાઉ આવા પ્રકારનો ડેટા વિદેશ મોકલવો પડતો હતો. “આ દેશ માટે મોટી ઉપલબ્ધિ છે કે હવે ટેકનિકલ રીતે અમે આ કાર્ય માટે આત્મનિર્ભર બની ગયા છીએ,” એમ તેમણે ઉમેર્યું.

મંત્રીએ જણાવ્યું હતું કે આ પહેલો પ્રસંગ છે જ્યારે બ્લેક બોક્સમાંથી ડેટાનું ડીકોડિંગ ભારતમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. અગાઉ આવા પ્રકારનો ડેટા વિદેશ મોકલવો પડતો હતો. “આ દેશ માટે મોટી ઉપલબ્ધિ છે કે હવે ટેકનિકલ રીતે અમે આ કાર્ય માટે આત્મનિર્ભર બની ગયા છીએ,” એમ તેમણે ઉમેર્યું.

2 / 6
મંત્રીએ અમેરિકાના કેટલાક મીડિયા હાઉસ, ખાસ કરીને વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સ તરફથી પાઇલટ્સને દોષી ઠેરવતી અણધારી રીતે પ્રકાશિત થયેલી માહિતી પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે આ પ્રકારની અણાધારિત વિગતોથી સામાન્ય જનતામાં ભ્રમ ન ફેલાવાની અપીલ કરી.

મંત્રીએ અમેરિકાના કેટલાક મીડિયા હાઉસ, ખાસ કરીને વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સ તરફથી પાઇલટ્સને દોષી ઠેરવતી અણધારી રીતે પ્રકાશિત થયેલી માહિતી પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે આ પ્રકારની અણાધારિત વિગતોથી સામાન્ય જનતામાં ભ્રમ ન ફેલાવાની અપીલ કરી.

3 / 6
“પ્રારંભિક અહેવાલ આવી ગયો છે, પરંતુ આખરી રિપોર્ટ હજુ બાકી છે. તેનાથી પહેલા કોઈ પણ પ્રકારના નિષ્કર્ષ પર ન પહોંચવું એ જ સાવચેતી રહેશે,” એમ નાયડુએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે દરેકને અધૂરી માહિતીની બદલે તપાસ માટે થોડો સમય આપવો જોઈએ જેથી અધિકારીઓ સંપૂર્ણ ડેટાની છણાવટ કરી શકે.

“પ્રારંભિક અહેવાલ આવી ગયો છે, પરંતુ આખરી રિપોર્ટ હજુ બાકી છે. તેનાથી પહેલા કોઈ પણ પ્રકારના નિષ્કર્ષ પર ન પહોંચવું એ જ સાવચેતી રહેશે,” એમ નાયડુએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે દરેકને અધૂરી માહિતીની બદલે તપાસ માટે થોડો સમય આપવો જોઈએ જેથી અધિકારીઓ સંપૂર્ણ ડેટાની છણાવટ કરી શકે.

4 / 6
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, દેશની તપાસ એજન્સી AAIB સંપૂર્ણ વ્યવસાયિક રીતે અને ટેકનિકલ ક્ષમતા સાથે કાર્યરત છે અને તેમને ભારતની કામગીરી પર ગૌરવ છે.

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, દેશની તપાસ એજન્સી AAIB સંપૂર્ણ વ્યવસાયિક રીતે અને ટેકનિકલ ક્ષમતા સાથે કાર્યરત છે અને તેમને ભારતની કામગીરી પર ગૌરવ છે.

5 / 6
તેમણે સૌને અનુરોધ કર્યો કે તેઓ માત્ર સત્તાવાર અહેવાલોની જ રાહ જોવે અને પણાંખી દાવાઓથી દૂર રહે.

તેમણે સૌને અનુરોધ કર્યો કે તેઓ માત્ર સત્તાવાર અહેવાલોની જ રાહ જોવે અને પણાંખી દાવાઓથી દૂર રહે.

6 / 6

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">