એએમસીની સ્લમ ક્વાર્ટરની યોજનાઓમાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ અને લાભાર્થીઓએ હોબાળો કર્યો હતો. મુખ્યમંત્રી આવાસ યોજના અથવા તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે જુદા જુદા વિસ્તારોમા આવેલી બંધ મીલોની જમીનો પર જે તે સમયે બાંધવામા આવેલા સ્લમ ક્વાટર્સ અને સ્લમ ક્વાટર્સના રીડેવેલપમેન્ટ માટેની યોજનાઓમા મુળ લાભાર્થીને લાભ મળવાની જગ્યાએ હાઉસીંગ પ્રોજેક્ટના નામે મળતીયા બિલ્ડર્સોને FSIથી લઇને ક્ષેત્રફળના અલગ અલગ માપદંડોના આધારે કરોડોનો લાભ કરવામા આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે.
બહેરામપુરા વીરમાયા નગરમાં 1961માં બનેલા મકાનો ખુબ જ જર્જરિત થઇ ગયા હોવાથી 2016મા તમામ મકાન માલીકોએ અપીલ કરી જણાવ્યુ કે મકાનો જર્જરિત થઇ ગયા હોવાથી ગમે ત્યારે પડી જાય તેમ છે. બિલ્ડરો રીડેવલોપમેન્ટ માટે તૈયાર થતા નથી તેવું બહાનું કરી એએમસી આ મકાનો રીડેવેલપમેન્ટ કરવામા આવતુ નથી
મણિનગર રામગલીમાં 2016માં રામગલી આવાસ યોજનામા 400 મકાનો બનાવવાનુ આયોજન કરવામા આવ્યુ છે. પરંતુ આજદીન સુધી ફક્ત 164 મકાન માલીકોને કબજો સોપવામા આવ્યો છે. 45 મકાનો તૈયાર હોવા છત્તા તેના લાભાર્થીઓને કબજો આપવામા આવતો નથી.
રામગલીમાં 2016માં લાભાર્થી અનિતાબેન વાઘેલાને મકાનની ચાવી આપવામાં આવી હતી. પરંતુ આજ સુધી તેમને મકાન આપવામાં આવ્યું નથી. અસારવા પતરાવાળી ચાલીમાં 2019માં 576 મકાનોની યોજનાનુ ટેન્ડર પાસ કરવામા આવ્યુ હતું..પરંતુ હજુ સુધી આ યાજના શરૂ થઇ શકી નથી. આ યોજનામા બિલ્ડરને લાભ કરાવા લાભાર્થીઓને મળવા પાત્ર ક્ષેત્રફળમા કાપ મુકી પ્રજાને છેતરવાના કામો થઇ રહયા હોવાનો લાભાર્થીઓ અને વિપક્ષે આક્ષેપ કર્યો છે.
વિવિધ યોજનાના મુળ લાભાર્થી પૈકી ઘણા લાભાર્થીઓ હજુ સુધી પોતાનુ ઘરનુ ઘર મેળવી શક્યા નથી. આ બાબતે વિપક્ષે અને લાભાર્થીઓએ મેયરને રજુઆત કરી વીજીલન્સ તપાસ કરાવાની માંગ કરી છે. ( Photos By- Tausif Malik, Edited By- Omprakash Sharma)