AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને વિઝનને વ્યક્ત કરતા નેશનલ એક્ઝિબિશનનો પ્રારંભ, જુઓ PHOTOS

Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ચિત્રો અને આકર્ષક પેઈન્ટીંગ્ઝને રજૂ કરતાં એક આકર્ષક એક્ઝિબિશન Modi@20 નો શુક્રવારે અમદાવાદમાં પ્રારંભ થયો છે.

Naresh Rajora
| Edited By: | Updated on: Jun 02, 2023 | 8:07 PM
Share
આ પ્રદર્શનમાં દેશભરમાંથી પસંદ કરાયેલા 100 પ્રસિધ્ધ યુવા કલાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શનનુ આયોજન ભુવનેશ્વરના સુભદ્રા ટ્રસ્ટના એક એકમ સુભદ્રા આર્ટ ગેલેરીએ કર્યુ છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ વિવધ કલાકૃતિઓનો ઉપયોગ કરીને ગુજરાતના અને દેશના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર મજલ અને વિઝનરી નેતૃત્વ અંગે જાણકારી આપવાનો છે.

આ પ્રદર્શનમાં દેશભરમાંથી પસંદ કરાયેલા 100 પ્રસિધ્ધ યુવા કલાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શનનુ આયોજન ભુવનેશ્વરના સુભદ્રા ટ્રસ્ટના એક એકમ સુભદ્રા આર્ટ ગેલેરીએ કર્યુ છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ વિવધ કલાકૃતિઓનો ઉપયોગ કરીને ગુજરાતના અને દેશના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર મજલ અને વિઝનરી નેતૃત્વ અંગે જાણકારી આપવાનો છે.

1 / 6
Modi@20માં જે કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિધ્ધિઓ, રાષ્ટ્ર માટે વ્યાપક સમર્પણ ભાવના અને વિકસિત ભારતના રૂપાંતર અંગેના વિઝનને આવરી લેવામાં આવ્યુ છે.

Modi@20માં જે કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિધ્ધિઓ, રાષ્ટ્ર માટે વ્યાપક સમર્પણ ભાવના અને વિકસિત ભારતના રૂપાંતર અંગેના વિઝનને આવરી લેવામાં આવ્યુ છે.

2 / 6
આ અનોખા પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીના જીવનના વિવિધ તબક્કાને આવરી લેવામાં આવ્યા છે. અને તેમના પ્રેરણાદાયી નેતૃત્વ, સામાજીક પ્રયાસો અને પ્રગતિ માટેની અપાર ખેવનાનાં વિવિધ પાસાં દર્શાવવામાં આવ્યાં છે. આ પ્રદર્શનનુ આયોજન સુભદ્રા આર્ટ ગેલેરીના ડિરેકટર અશોક નાયક દ્વારા કરવામાં આવ્યું છે

આ અનોખા પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીના જીવનના વિવિધ તબક્કાને આવરી લેવામાં આવ્યા છે. અને તેમના પ્રેરણાદાયી નેતૃત્વ, સામાજીક પ્રયાસો અને પ્રગતિ માટેની અપાર ખેવનાનાં વિવિધ પાસાં દર્શાવવામાં આવ્યાં છે. આ પ્રદર્શનનુ આયોજન સુભદ્રા આર્ટ ગેલેરીના ડિરેકટર અશોક નાયક દ્વારા કરવામાં આવ્યું છે

3 / 6
Modi@20 અંગે વાત કરતાં બદ્રી મહાપાત્ર, ચેરમેન, રિસેપ્શન કમિટી જણાવે છે કે આ પ્રદર્શન દ્વારા અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર સિધ્ધિઓને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રદર્શન એ તેમના વિઝનરી નેતૃત્વના ઉદાહરણરૂપ છે. અમને આ પ્રદર્શન અમદાવાદમાં રજૂ કરવાનો આનંદ છે. અમને વિશ્વાસ છે કે આ પ્રદર્શન લોકોને તેમના વધુને વધુ પરિવર્તન અને પ્રગતિલક્ષી પાસાનો સાચા અર્થમાં પરિચય કરાવશે.

Modi@20 અંગે વાત કરતાં બદ્રી મહાપાત્ર, ચેરમેન, રિસેપ્શન કમિટી જણાવે છે કે આ પ્રદર્શન દ્વારા અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર સિધ્ધિઓને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રદર્શન એ તેમના વિઝનરી નેતૃત્વના ઉદાહરણરૂપ છે. અમને આ પ્રદર્શન અમદાવાદમાં રજૂ કરવાનો આનંદ છે. અમને વિશ્વાસ છે કે આ પ્રદર્શન લોકોને તેમના વધુને વધુ પરિવર્તન અને પ્રગતિલક્ષી પાસાનો સાચા અર્થમાં પરિચય કરાવશે.

4 / 6
આ પ્રદર્શન ભુવનેશ્વર, ગુવાહાટી, નાગપુર અને ભોપાલમાં યોજાઈ ચૂક્યું છે અને તેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. આ પ્રદર્શન તા. 2 થી 4 જૂન દરમ્યાન ગુજરાત સ્ટેટ લલિતકલા આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે.

આ પ્રદર્શન ભુવનેશ્વર, ગુવાહાટી, નાગપુર અને ભોપાલમાં યોજાઈ ચૂક્યું છે અને તેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. આ પ્રદર્શન તા. 2 થી 4 જૂન દરમ્યાન ગુજરાત સ્ટેટ લલિતકલા આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે.

5 / 6
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ કે. બારોટ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સુભદ્રા આર્ટ ગેલેરીના ચેરમેન ડૉ સૂર્ય રથ અને સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીના ચેરમેન એચ.કે.દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ કે. બારોટ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સુભદ્રા આર્ટ ગેલેરીના ચેરમેન ડૉ સૂર્ય રથ અને સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીના ચેરમેન એચ.કે.દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

6 / 6
Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">