Ahmedabad : પાણીની આવક વધતા વાસણા બેરેજના 5 દરવાજા ખોલવામાં આવ્યા, જૂઓ Photo

સાબરમતી નદીમાં હાલ 14,500 ક્યુસેક આવક છે. જેની સામે 12,500 ક્યુસેક જાવક રખાઇ છે. તો કેનાલના દરવાજા 15 ઇંચ ખોલી 680 ક્યુસેક જાવક રાખવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 12:07 PM
અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમમાંથી ગાંધીનગરના સંત સરોવરમાં આવેલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા નદીનું લેવલ મેઇન્ટેઇન રાખવામાં આવ્યુ છે.

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમમાંથી ગાંધીનગરના સંત સરોવરમાં આવેલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા નદીનું લેવલ મેઇન્ટેઇન રાખવામાં આવ્યુ છે.

1 / 5
પાણીની આવક વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજના 30 દરવાજામાંથી પાંચ દરવાજા ખોલાયા છે. ત્રણ દરવાજા ત્રણ ફૂટ જ્યારે બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે.

પાણીની આવક વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજના 30 દરવાજામાંથી પાંચ દરવાજા ખોલાયા છે. ત્રણ દરવાજા ત્રણ ફૂટ જ્યારે બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે.

2 / 5
વાસણા બેરેજના સંચાલકોને 132.50 ફૂટ લેવલ મેન્ટેન રાખવા જાણ કરવામાં આવી છે. લેવલ મેન્ટેન રાખવાને લઈને 30 દરવાજામાંથી પાંચ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું છે.

વાસણા બેરેજના સંચાલકોને 132.50 ફૂટ લેવલ મેન્ટેન રાખવા જાણ કરવામાં આવી છે. લેવલ મેન્ટેન રાખવાને લઈને 30 દરવાજામાંથી પાંચ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું છે.

3 / 5
નદીના પટમાં આવતા 25 થી 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ ગામના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવા કલેકટર વિભાગને જાણ કરવામાં આવી છે.

નદીના પટમાં આવતા 25 થી 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ ગામના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવા કલેકટર વિભાગને જાણ કરવામાં આવી છે.

4 / 5
સાબરમતી નદીમાં હાલ 14,500 ક્યુસેક આવક છે. જેની સામે 12,500 ક્યુસેક જાવક રખાઇ છે. તો કેનાલના દરવાજા 15 ઇંચ ખોલી 680 ક્યુસેક જાવક રાખવામાં આવી છે. ગઇ કાલે 5 હજાર ક્યુસેક પાણી છોડી સાયરન મારી ગામોને એલર્ટ કરાયા હતા. આજે પણ પાણી છોડતા પહેલા નદીના પટમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે.

સાબરમતી નદીમાં હાલ 14,500 ક્યુસેક આવક છે. જેની સામે 12,500 ક્યુસેક જાવક રખાઇ છે. તો કેનાલના દરવાજા 15 ઇંચ ખોલી 680 ક્યુસેક જાવક રાખવામાં આવી છે. ગઇ કાલે 5 હજાર ક્યુસેક પાણી છોડી સાયરન મારી ગામોને એલર્ટ કરાયા હતા. આજે પણ પાણી છોડતા પહેલા નદીના પટમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">