India Pakistan War : પંજાબના સરહદી જિલ્લાઓમાં આજે પણ શાળાઓ બંધ રહેશે
India Pakistan War News LIVE Updates in Gujarati : ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે. પહેલગામ હુમલાનો બદલો લેવા માટે, પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરીને અસફળ હુમલા કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતની સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા. પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ, ભારતે વળતો જવાબ આપ્યો અને તેના ઘણા શહેરોને હચમચાવી નાખ્યા. પેજ રિફ્રેશ કરતા રહો...

ભારત અને પાકિસ્તાને ત્રણ દિવસથી ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે સીઝફાયરની જાહેરાત કરી છે. જોકે, થોડા કલાકો પછી, પાકિસ્તાન દ્વારા ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ભારતીય સેનાએ કહ્યું કે આ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કરારનું ઘોર ઉલ્લંઘન છે અને જો આવું થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
LIVE NEWS & UPDATES
-
ભારત પર હુમલો કરવા ઉડેલા પાકિસ્તાનના હાઇ-ટેક ફાઇટર્સને હવામાં જ ફુંકી માર્યુ હતું
ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાને ભારત પર અનેક હુમલાઓ કર્યા હતા આ તમામ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. ભારત ઉપર હુમલો કરવા માટે પાકિસ્તાનના એરપોર્ટ પરથી ઉડેલા હાઇ-ટેક ફાઇટર્સને ભારતે હવામાં જ ફુકી માર્યું હતું, જેનુ નામ હમણા જાહેર નહીં કરીએ, આ વાત છાની પણ રહેવાની નથી તમને તેની જાણ પણ થઈ જશે.
-
ઓપરેશન સિંદૂર બાદની સ્થિતિ યુદ્ધથી ઓછી નહોતી-ભારતીય સેના
આતંકવાદનો નાશ કરવા માટે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર હેઠળ જે કામગીરી થઈ હતી તે યુદ્ધથી ઓછી નથી. હવે એ કહેવું મુશ્કેલ છે કે હવે પછી શું કરાશે. પણ એટલું જરુર કહીશ કે દેશહિતમાં ભારતીય સેના બધુ જ કરશે.
-
-
પહેલગામ આતંકી હુમલા બાદ 21 ટાર્ગેટ નક્કી કરાયા, આતંકીઓ હોવાના પુરતા પુરાવા મળતા 9ને નિશાન બનાવ્યા
આતંકવાદનો નાશ કરવા માટે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, પહેલગામ આતંકી હુમલા બાદ, પાકિસ્તાન સ્થિત કુલ 21 ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાંથી પણ ફિલ્ટર કરીને 9 નક્કી કરાયા હતા. આ નવ એટલા માટે નક્કી કરાયા કે તેમાં આતંકવાદીઓની હાજરી હોવાના પુરાવાઓ મળ્યા હતા.
જો કે, પહેલગામ હુમલા બાદ ભારતે પ્રતિશોધ લેવાની ઉચ્ચારેલી પ્રતિજ્ઞા બાદ જ મોટાભાગના આતંકવાદીઓ તેમના કેમ્પ છોડીને ભાગી ગયા હતા. એટલુ જ નહીં કેમ્પમાં તાલિમ લેનારાઓ પણ કેમ્પ છોડીને ચાલ્યા હતા.
જો જરૂર પડશે તો જે 21 ટાર્ગેટ નક્કી કરેલા હતા. તેમાંથી જે 9 સિવાયના બાકી રહેલા કેમ્પને પણ તબાહ કરવામાં આવશે.
-
પાકિસ્તાનના 35-40 જવાનના મોતની સામે ઓપરેશન સિંદૂરની કામગીરી દરમિયાન ભારતના 5 જવાન શહીદ
આતંકવાદનો નાશ કરવા માટે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરની કામગીરીમાં પાકિસ્તાનાન 35-40 સૈનિકોની સામે ભારતના પણ 5 જવાન શહીદ થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
-
પાકિસ્તામાં ક્યાં સુધી હુમલો કરી શકીએ તેની ચેતવણી આપવા લાહોર એરબેઝ પર હુમલો કર્યો
આતંકવાદનો નાશ કરવા માટે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ભારત પાકિસ્તાનમાં ક્યા સુધી હુમલો કરી શકે છે તેની ચેતવણી આપવા માટે જ લાહોર એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું ભારતીય સેનાએ જણાવ્યું હતું.
-
-
હવે જો હુમલો થશે તો પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ અપાશે-ભારતીય સેના
ઓપરેશન સિંદૂરની સફળ કામગીરી અંગે જણાવતા ભારતીય સૈન્યે પાકિસ્તાનને જાહેરમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, હવે પછી જો, ભારતમાં હુમલો કરાશે તો પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ અપાશે, તેમ ભારતીય સેનાએ જણાવ્યું છે.
-
ઓપરેશન સિંદૂરમાં પુલવામાં એટેકનો આતંકી માર્યો ગયો- ભારતીય સૈન્ય
એલઓસીના ટૂંકા નામે ઓળખાતા લાઈન ઓફ કંટ્રોલને પાર હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂરમાં પુલવામાં હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણાતો આતંકવાદીને ખતમ કરવામાં આવ્યો છે.
-
આતંકવાદીઓને ખતમ કરવા ઓપરેશન સિંદૂર હાથ ધરાયું-ભારતીય સૈન્ય
ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સૈન્યે ખાસ પ્રેસકોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર આતંકવાદીઓ અને આંતકના પપેટને ખતમ કરવા માટે હાથ ઘરાયું હતું.
-
યુદ્ધ વિરામના ભંગ બદલ ત્વરીત જવાબી કાર્યવાહી કરવા આર્મી કમાન્ડરોને અપાઈ સંપૂર્ણ સત્તા
ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ સૈન્ય ટકરાવમાં હાલ વિરામની સ્થિતિ પ્રવર્તે છે. ઓપરેશન સિંદૂર અને ત્યાર બાદ શરુ કરાયેલા જવાબી કાર્યવાહીને ગઈકાલ સાંજે 5 વાગે સ્થગિત કરવામાં આવી છે. જો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક સીઝફાયર કરવામાં આવ્યું છે. આ સીઝ ફાયરનો ભંગ થાય તો ત્વરીત જ જવાબી કાર્યવાહી હાથ ધરવા માટે COAS એ આર્મી કમાન્ડરોને સંપૂર્ણ સત્તા આપી છે.
OPERATION SINDOOR
Consequent to the ceasefire and airspace violations on night of 10-11 May 2025, #GeneralUpendraDwivedi, #COAS reviewed the security situation with the Army Commanders of the Western Borders.
The #COAS has granted full authority to the Army Commanders for… pic.twitter.com/kyWGwePqN0
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 11, 2025
-
‘ઓપરેશન સિંદૂર’ ભારતે પ્રાપ્ત કરી આ સિદ્ધિ, પાકિસ્તાન જેના પર ગર્વ લે છે તે ફતેહ મિસાઈલને ભારતે હવામાં જ તોડી પાડી
- ભારતે પાકિસ્તાનથી 100 કિમી અંદર નવ લક્ષ્યો પર મિસાઇલ હુમલા કર્યા.
- ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના છ વાયુસેના મથકોનો નાશ કર્યો.
- લશ્કર અને જૈશના ટોચના આતંકવાદીઓ સહિત 100 થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો.
- આ કાર્યવાહી ભારતની સુરક્ષા નીતિમાં એક મોટો ફેરફાર દર્શાવે છે; હવે આતંકવાદી કાર્યવાહીનો જવાબ સર્જિકલ નહીં પણ વ્યૂહાત્મક લશ્કરી હુમલો હશે.
- લાહોર, રાવલપિંડી, સિયાલકોટ, શોરકોટ, જેકોબાબાદ અને રહીમયાર એરબેઝ પર મોટા હવાઈ હુમલા.
- પાકિસ્તાન જેના પર ગર્વ લે છે તે ફતાહ-II મિસાઇલો હવામાં જ તોડી નાખી.
- ભારતના S-400, બ્રહ્મોસ અને એરબેઝને કોઈ જ નુકસાન નહીં.
-
આતંકીઓ માટે સરહદ પારની જમીન પણ સુરક્ષિત નહીં રહેઃ રાજનાથ સિંહ
ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે. આ ઓપરેશન આતંકવાદ સામે ભારતની મજબૂત ઇચ્છાશક્તિ અને તેની લશ્કરી શક્તિની ક્ષમતા અને સંકલ્પનું પ્રદર્શન છે. અમે બતાવ્યું છે કે જ્યારે પણ ભારત આતંકવાદ સામે કાર્યવાહી કરશે, ત્યારે સરહદ પારની જમીન પણ આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે સુરક્ષિત નહીં રહે.
आपरेशन सिंदूर सिर्फ़ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनीतिक, सामाजिक और सामरिक इच्छाशक्ति का प्रतीक है। यह ऑपरेशन आतंकवाद के ख़िलाफ़ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है। हमने दिखाया है कि भारत आतंकवाद के ख़िलाफ़ जब…
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 11, 2025
-
અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલને જામીન
અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલને જામીન મળ્યા છે. હાઇકોર્ટે આરોપી તથ્ય પટેલના હંગામી જામીન કર્યા મંજૂર. હાઇકોર્ટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા. તથ્ય પટેલની સાથે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ રહેશે. તથ્ય પટેલની માતાની બીમારીનું કારણ આપીને જામીન માગ્યા હતા. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ તથ્ય પટેલ ના જામીન ફગાવ્યા હતા.
-
સરકારે ઓપરેશન સિંદૂર પર સંસદ સત્ર બોલાવવું જોઈએ… ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને પહેલગામ આતંકવાદી હુમલા, ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામની જાહેરાતો પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની વિપક્ષની સર્વસંમતિથી વિનંતીને પુનરાવર્તિત કરી છે.
-
આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ, સરહદ પાર પણ કાર્યવાહી કરીશુ : રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે બ્રહ્મોસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યુ કે ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે. આ ઓપરેશન આતંકવાદ સામે ભારતની મજબૂત ઇચ્છાશક્તિ અને તેની લશ્કરી શક્તિની ક્ષમતા અને સંકલ્પનું પ્રદર્શન છે. અમે બતાવ્યું છે કે જ્યારે પણ ભારત આતંકવાદ સામે કોઈ કાર્યવાહી કરશે, ત્યારે સરહદ પારની જમીન પણ આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે સુરક્ષિત રહેશે નહીં.
-
ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદીને પત્ર લખ્યો
Congress President and Leader of Opposition in Rajya Sabha Mallikarjun kharge writes to PM Modi, reiterating the Opposition’s unanimous request for a special session of Parliament to discuss the Pahalgam terror attack, Operation Sindoor and the ceasefire announcements—first by… pic.twitter.com/kVFkxmevhe
— ANI (@ANI) May 11, 2025
-
‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા બદલ અભિનંદન – સીએમ યોગી
-
ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે : ભારતીય વાયુસેના
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ ભારતીય વાયુસેના (IAF) એ મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.
The Indian Air Force (IAF) has successfully executed its assigned tasks in Operation Sindoor, with precision and professionalism. Operations were conducted in a deliberate and discreet manner, aligned with National Objectives. Since the Operations are still ongoing, a detailed…
— Tv9 Gujarati (@tv9gujarati) May 11, 2025
-
ભારત સાથે મુખ્ય મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે કાશ્મીર, સિંધુ જળ સંધિ અને આતંકવાદ ભારત સાથેના મુખ્ય મુદ્દાઓ છે અને પડોશી દેશ સાથે ભવિષ્યની કોઈપણ વાતચીતમાં આ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
-
સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ PM આવાસ પહોંચ્યા, જુઓ Video
ઘણા સમય પછી, શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. આ દરમિયાન, સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ પીએમ આવાસ પહોંચી ગયા છે, જ્યાં તેઓ પીએમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu
— ANI (@ANI) May 11, 2025
-
અમૃતસરમાં પરિસ્થિતિ સામાન્ય, લોકો કામ માટે ઘરોમાંથી બહાર નીકળ્યા
ડીસી અમૃતસરએ કહ્યું છે કે અમૃતસરમાં પરિસ્થિતિ સામાન્ય છે. લોકો પોતાના રોજિંદા કામ કરી રહ્યા છે. રવિવારે ઓફિસો ખુલતી નથી, પરંતુ બજારો ખુલ્લા રહે છે અને જનજીવન સામાન્ય રહે છે. સહકાર બદલ લોકોનો આભાર.
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ પોસ્ટ કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવાર, 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરાર અંગે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે કહ્યું કે મને ખુશી છે કે બંને દેશોની પરસ્પર સંમતિથી એક કરાર થયો છે. આ સાથે તેમણે લખ્યું કે તેઓ એ વાતથી પણ ખુશ છે કે અમેરિકાએ આ ઐતિહાસિક નિર્ણયમાં મદદ કરી છે. આ પોસ્ટમાં ટ્રમ્પે હવે કાશ્મીર અંગે મોટો દાવો કર્યો છે.
-
‘ભારત-પાકિસ્તાન યુદ્ધ વિનાશ તરફ દોરી શક્યું હોત…’, ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ પર નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે બંને દેશોની “બોલ્ડ અને નિર્ણાયક” ભૂમિકાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, ટ્રમ્પે આ પગલાને ઐતિહાસિક અને માનવતાવાદી ગણાવ્યું, અને અમેરિકાની ભૂમિકાને “નિર્ણાયક સાથી” તરીકે રજૂ કરી.
-
પાકિસ્તાન સામે કાર્યવાહી કરીને ભારતની ક્ષમતા દુનિયાએ જોઈ છે – ગજેન્દ્ર સિંહ શેખાવત
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, “સીમા પર જે તણાવ જોવા મળી રહ્યો છે. ભારતીય દળોએ આતંકવાદનો અંત લાવવાની તેમની પ્રતિબદ્ધતા સાથે સમાધાન કર્યા વિના પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. સેનાએ દેશના લોકોની અપેક્ષાઓ અનુસાર અદ્ભુત બહાદુરી અને હિંમત દર્શાવી છે અને અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીએ સમગ્ર વિશ્વમાં ભારતની લશ્કરી ક્ષમતાને એક નવી ઓળખ આપી છે.”
-
અમૃતસરમાં સામાન્ય ગતિવિધિઓ ફરી શરૂ કરવા માટે સાયરન વગાડવામાં આવશે
-
અમૃતસરમાં ફરી સાયરન વાગશે: ડીસી
અમૃતસર ડીસીએ આજે સવારે કહ્યું કે આજે પણ એક નાનું સાયરન વગાડવામાં આવશે. આનો અર્થ એ થશે કે આપણે આપણી સામાન્ય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકીશું. તમારા સહકાર બદલ આભાર.”
-
ભારતે સલાલ ડેમના અનેક દરવાજા ખોલ્યા
ભારતે રવિવારે વહેલી સવારે ચેનાબ પર રિયાસીમાં બનેલા સલાલ ડેમના કેટલાક દરવાજા ખોલી નાખ્યા. જેના કારણે ચિનાબ નદીનું પાણીનું સ્તર વધી ગયું છે અને પાણી ઝડપથી પાકિસ્તાન તરફ વહી રહ્યું છે.
#WATCH | Jammu and Kashmir | Latest visuals from Reasi’s Salal Dam, built on the Chenab River; several gates of the dam are seen open.
(Visuals shot at 6:30 am) pic.twitter.com/48taKYUYCw
— ANI (@ANI) May 11, 2025
-
પંજાબના ફિરોઝપુર અને પઠાણકોટમાં પરિસ્થિતિ સામાન્ય
પંજાબના ફિરોઝપુર અને પઠાણકોટમાં પરિસ્થિતિ સામાન્ય લાગે છે. રાત્રિ દરમિયાન કોઈ ડ્રોન, ગોળીબારનો કોઈ અહેવાલ નથી.
#WATCH | Punjab | Situation seems normal in Firozpur. No drones, firing or shelling was reported during the night. pic.twitter.com/0trmReczGV
— ANI (@ANI) May 11, 2025
-
યુદ્ધ ભારતનો વિકલ્પ નથી : અજિત ડોભાલ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી જેમાં બંને પક્ષોએ પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ જાળવવામાં સહયોગની ભૂમિકા પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન, NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે, ‘ યુદ્ધ ભારતનો વિકલ્પ નથી અને તે કોઈપણ પક્ષના હિતમાં નથી.’
-
જમ્મુ શહેરમાં પરિસ્થિતિ સામાન્ય
#WATCH | J&K | Situation seems normal in Jammu city. No drones, firing or shelling was reported during the night. pic.twitter.com/Hu4JSo1dQv
— ANI (@ANI) May 11, 2025
-
જમ્મુમાં પરિસ્થિતિ સામાન્ય
હાલમાં જમ્મુ શહેરમાં પરિસ્થિતિ સામાન્ય જણાય છે. રાત્રિ દરમિયાન ડ્રોન, ગોળીબારનો કોઈ અહેવાલ નથી.
-
દિલ્હી એરપોર્ટ દ્વારા ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી
Delhi Airport operations issues travel advisory. pic.twitter.com/jcbrqmHyh7
— ANI (@ANI) May 10, 2025
-
ઉધમપુર એરબેઝ પર પાકિસ્તાની ડ્રોન હુમલો – રાજસ્થાનનો પુત્ર શહીદ
જે દિવસે પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયું, તે જ દિવસે તેણે તેનું ઉલ્લંઘન કર્યું અને ભારતના અનેક શહેરો પર ડ્રોન હુમલા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. શનિવારે, પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર એરબેઝ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પર રહેલા રાજસ્થાનના સુરેન્દ્ર સિંહ મોગાને ડ્રોનના ટુકડાથી અથડાતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં, તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું અને તેઓ શહીદ થયા.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>STORY | Soldier killed guarding air base in J-K's Udhampur<br><br>READ: <a href=”https://t.co/3KqDuCTDpe”>https://t.co/3KqDuCTDpe</a> <a href=”https://t.co/sLsgmN2677″>pic.twitter.com/sLsgmN2677</a></p>— Press Trust of India (@PTI_News) <a href=”https://twitter.com/PTI_News/status/1921283291660890526?ref_src=twsrc%5Etfw”>May 10, 2025</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
-
જમ્મુના નાગરોટામાં આતંકવાદી ઘૂસણખોરીની આશંકા
જમ્મુ-કાશ્મીરના નાગરોટામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની શક્યતાને કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સેનાના ગણવેશમાં છુપાઈને આ વિસ્તારમાં પ્રવેશી શકે છે. સેના, પોલીસ અને સીઆરપીએફએ સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. નાગોરોટા ભૂતકાળમાં પણ હુમલાઓનો ભોગ બની ચૂક્યું છે અને આ વખતે પણ મોટા હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
-
શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ
બાંગ્લાદેશની વચગાળાની સરકારે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો છે. આજે શનિવારે, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે તેમના સત્તાવાર નિવાસસ્થાને એક કટોકટીકાળની બેઠક બોલાવી હતી. જ્યાં શેખ હસીનાની પાર્ટી પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા થઈ હતી, અને ત્યારબાદ સરકારે આ નિર્ણય લીધો.
-
પાક PM શાહબાઝ શરીફ પાકિસ્તાનની પ્રજાને સંબોધી શકે છે
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીને મળ્યા બાદ, પાક વડાપ્રધાન શાહબાજ શરીફ પાકિસ્તાનની જનતાને જાહેર સંબોધન કરી શકે છે.
-
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઘોર ઉલ્લંઘન, સેનાને જેવા સાથે તેવાની કાર્યવાહી કરવાના નિર્દેશ: વિદેશ મંત્રાલય
હુમલાને રોકવા પાકિસ્તાનને જણાવાયુ છે. છેલ્લા કેટલાક સમયમાં સીઝફાયરનો ભંગ કર્યો છે. આ ઘટનાની ગંભીર નોંધ લઈને સ્થિતિને પહોચી વળવાના આદેશ આપ્યા છે. તેવુ વિદેશ સચિવ મિસરીએ જણાવ્યું હતું.
-
અમે પાકિસ્તાન સાથે ઉભા છીએ… ચીનનું નિવેદન
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે ચીનનું નિવેદન બહાર આવ્યું છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યી કહે છે કે, અમે પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવવામાં તેની સાથે ઉભા રહીશું.
-
LoC પર હવે કોઈ ગોળીબાર નહીં, શ્રીનગરમાં કોઈ વિસ્ફોટ નહીં: સેના
સેનાએ કહ્યું કે LoC પર હવે કોઈ ગોળીબાર નહીં અને શ્રીનગરમાં પણ કોઈ વિસ્ફોટ થયો નથી, અને કોઈ બ્લેકઆઉટ થયું નથી. ડ્રોન સંબંધિત માહિતી પછીથી આપવામાં આવશે.
-
બનાસકાંઠા જિલ્લાના સીમાવર્તી 24 ગામમાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ જાહેર
બનાસકાંઠા જિલ્લાના સીમાવર્તી 24 ગામોમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બ્લેકઆઉટની સૂચના આપવામાં આવેલ છે. તમામ નાગરીકોને અફવાઓથી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા જિલ્લા કલેકટકરે અનુરોધ કર્યો છે.
-
કચ્છમાં તાત્કાલિક અસરથી બ્લેક આઉટની જાહેરાત
પાકિસ્તાને યુદ્ધ વિરામની જાહેરાતનો ભંગ કરીને ભારતમાં કાશ્મીરથી ગુજરાત સુધીના વિસ્તારમાં હુમલો કર્યાની વિગતો સામે આવી રહી છે. જેને ધ્યાને રાખીને કચ્છ જિલ્લા કલેકટરે, સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટની જાહેરાત કરી છે.
તાત્કાલિક અસરથી સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવે છે તમામ નાગરિકોને એનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે.@CMOGuj @InfoGujarat
— Collector & DM, Kachchh (@collectorkut) May 10, 2025
-
પાકિસ્તાને 4 કલાકમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ, પંજાબના પઠાણકોટમાં ડ્રોન દેખાયા
પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યાના 4 કલાકમાં જ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ભારત સરકારે BSFને યોગ્ય જવાબ આપવા સૂચના આપી છે. પાકિસ્તાને પંજાબના પઠાણકોટમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. થોડા સમય પહેલા પઠાણકોટની આસપાસ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા, ત્યારબાદ પઠાણકોટ અને ગુરદાસપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. જોકે, વિસ્ફોટનો કોઈ અવાજ સંભળાયો ન હતો.
-
પાકિસ્તાને કર્યો યુદ્ધવિરામનો ભંગ, શ્રીનગરમાં સતત સંભળાયા ધડાકા, પંજાબ, રાજસ્થાનમાં બ્લેકઆઉટ
યુદ્ધવિરામની જાહેરાત બાદ પાકિસ્તાને ફરી એકવાર પોતાનું નાપાક કૃત્ય કર્યું છે. પાકિસ્તાને ફરી એકવાર સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગોળીબાર શરૂ કરી દીધો છે. આ ઉપરાંત શ્રીનગર, બારામુલ્લા, ઉધમપુરમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો છે. શ્રીનગરમાં પણ સતત વિસ્ફોટ સંભળાઈ રહ્યા છે. બારામુરામાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. શ્રીનગર, બારામુલ્લા, ઉધમપુરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, ફિરોઝપુર, જેસલમેર, બાડમેર સહિત ઘણી જગ્યાએ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. ભારતીય સેના વળતો યોગ્ય જવાબ આપી રહી છે.
-
ભારતીય સેનાનો વળતો પ્રહાર
પાકિસ્તાને સિઝ ફાયરનો ભંગ કરીને જમ્મુ અને કાશ્મીરના અનેક ક્ષેત્રોમાં ડ્રોન હુમલો કર્યો છે. જેનો વળતો જવાબ ભારતીય સૈન્યે પણ આપ્યો છે.
-
જમ્મુ, પંજાબ, રાજસ્થાનમાં બ્લેક આઉટ
પાકિસ્તાને સિઝ ફાયર જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ તેનો ભંગ કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં ડ્રોન હુમલો કર્યો હતો. સાથોસાથ એલઓસી પર ભારે માત્રામાં ગોળીબાર કર્યો છે.
-
સીઝ ફાયરની વચ્ચે ત્રણેય સેનાના વડાઓ, PM મોદીને મળ્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયું છે. આ દરમિયાન, ત્રણેય સેનાના વડાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. આ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તેમને મળવા માટે વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
-
ભારતે કરેલા વળતા હુમલામાં પાકિસ્તાનના અનેક એરબેઝને ભારે નુકસાન પહોચાડ્યું છેઃ ભારતીય સૈન્ય
પાકિસ્તાન ઉપર ભારતે કરેલા વળતા હુમલામાં આજે પાકિસ્તાન સ્થિત અનેક એરબેઝને ભારે નુકસાન પહોચાડવામાં આવ્યું હોવાનું ભારતીય સૈન્યે જણાવ્યું છે.અમે જવાબદારી સાથે હુમલો અને યુદ્ધ કર્યું છે. પાકિસ્તાનના એક પણ ધાર્મિક સ્થળ ઉપર ભારતીય સૈન્યે હુમલો કર્યો નથી. પાકિસ્તાને પ્રોપેગેન્ડા ચલાવી રહ્યું છે. ભારતને કોઈ પ્રકારે નુકસાન થયું નથી.
-
ભારત-પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી રોકવા સહમત – વિદેશ મંત્રી જયશંકર
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાન સામેના યુદ્ધ વિરામ અંગે કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી રોકવા માટે સહમત થયા છે. સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું કે, આતંકવાદ સામે ભારતનું વલણ મક્કમ છે અને આતંકવાદ સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
India and Pakistan have today worked out an understanding on stoppage of firing and military action.
India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms and manifestations. It will continue to do so.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 10, 2025
-
મુંબઈથી પંજાબ અને જમ્મુ-કાશ્મીર જતી 5 ટ્રેનો રદ કરવામાં આવી, 3 ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર
ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા જતા તણાવ વચ્ચે, ઉત્તર ભારત, ખાસ કરીને પંજાબ અને જમ્મુ-કાશ્મીર જતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રદ કરાયેલી ટ્રેનોમાં CSMT-અમૃતસર એક્સપ્રેસ, LTT-જમ્મુ તાવી એક્સપ્રેસ, CSMT-પઠાણકોટ મેઇલ, LTT-શ્રીનગર સ્પેશિયલ સર્વિસ, CSMT-જમ્મુ સુપરફાસ્ટનો સમાવેશ થાય છે, જ્યારે જે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં પંજાબ મેઇલ, જમ્મુ મેઇલ, શ્રી શક્તિ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
-
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ – ટ્રમ્પનો દાવો
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ ગંભીર સંઘર્ષ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ નિવેદન સામે આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે.
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
-
ભારત-પાકિસ્તાન તણાવને કારણે, મુંબઈમાં ફટાકડા ના ફોડવા આદેશ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન તણાવભરી સ્થિતિમાં, મુંબઈમાં કોઈએ ફટાકડા ના ફોડવા તેવો નિર્ણય લેવાયો છે. ગુજરાતે આ નિર્ણયના એક દિવસ પહેલા જ ફટાકડા નહીં ફોડવાની સાથેસાથે ડ્રોન પણ નહીં ઉડાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
-
મોદી સરકારનો મોટો નિર્ણય, કોઈપણ આતંકવાદી કાર્યવાહીને ભારત સામે યુદ્ધ કાર્યવાહી ગણાશે
‘ઓપરેશન સિંદૂર’ પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધ્યો છે. આ ઓપરેશન પછી, પાકિસ્તાને ભારત પર એક પછી એક હુમલા કર્યા છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાને દેશમાં 26 સ્થળોએ હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. હવે ભારત સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, ભારતે આતંકવાદ સામે કડક વલણ બતાવવાનો નિર્ણય લીધો છે. હવે પછી ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી કાર્યવાહીને ભારત સામે યુદ્ધ કાર્યવાહી ગણવામાં આવશે. અને જવાબ પણ તે જ રીતે આપવામાં આવશે.
-
પંજાબના રાજ્યપાલ એકશનમાં, આજે સાંજે બોલાવી સર્વપક્ષીય બેઠક
પાકિસ્તાન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને, પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ આજે ચંદીગઢમાં પંજાબ રાજભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 5 વાગ્યે બોલાવવામાં આવી છે.
-
JK: નૌશેરામાં તુર્કી બનાવટનો ડ્રોન મળી આવ્યો
જમ્મુ અને કાશ્મીરના નૌશેરા વિસ્તારના એક ગામમાંથી તુર્કી બનાવટનું કામિકાઝ ડ્રોન મળી આવ્યું છે. પાકિસ્તાન દેશના ઘણા નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.
-
હૈદરાબાદમાં લશ્કરી છાવણી વિસ્તારો નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
હૈદરાબાદ પોલીસે લશ્કરી છાવણી વિસ્તારોની નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ કમિશનર સીવી આનંદે જાહેર જનતાને અપીલ કરી છે કે તેઓ કોઈપણ જાહેર સ્થળ, મેળાવડા કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવાનું ટાળે કારણ કે તેનાથી સુરક્ષા ચિંતાઓ વધી શકે છે અને ગેરસમજ ઊભી થઈ શકે છે. બધા રહેવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જાહેર સહયોગ જરૂરી છે.
-
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ મંદિરમાં ભારતીય સેના માટે પ્રાર્થના કરી
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી અને તેલંગાણા ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડીએ હૈદરાબાદમાં ભારતીય સશસ્ત્ર દળો માટે પ્રાર્થના કરી.
#WATCH | Hyderabad | Union Minister for Coal and Mines and Telangana BJP President G Kishan Reddy offers prayers for Indian Armed Forces pic.twitter.com/Mwh3JAec13
— ANI (@ANI) May 10, 2025
(Credit Source: @ANI)
-
કચ્છઃ કંડલા પોર્ટ બંધ કરી દેવાયું
- કચ્છઃ કંડલા પોર્ટ બંધ કરી દેવાયું
- હાઈએલર્ટને પગલે પોર્ટ કામકાજ સંપૂર્ણ બંધ કરાયું
- અન્ય સુચના ન મળે ત્યાં સુધી બંધ રાખવા નિર્ણય
- પોર્ટના સત્તાવાર સૂત્રોએ આપી માહિતી
-
આતંકી હુમલાના તણાવ મુદે મહત્વના સમાચાર
- એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યકર્મીઓની રજા કેન્સલ કરાઈ
- રજા પર ગયેલા તબીબોને સાંજ સુધીમાં ડ્યુટી પર હાજર થવા અપાઈ સૂચના
- મેડિકલ ઇમરજન્સી માટે તબીબોની ટીમ તૈયાર
- સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની મળી બેઠક
- પૂરતો દવાઓનો જથ્થો, સ્ટાફ સાહિતને અપાઈ માહિતી
- સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો
-
રાજ્યમાં હજુ માવઠાનું સકંટ રહેશે યથાવત્
- કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
- આગામી ત્રણ દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ
- અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર
- સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- 50થી 60 કિમી ઝડપે ફૂંકાઈ શકે છે પવન
- સાત દિવસ બાદ 3થી 5 ડિગ્રી તાપમાન થશે વધારો
-
કચ્છઃ ભુજમાં જાહેર કરવામાં આવ્યું હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
- જિલ્લા વહિવટી તંત્ર દ્રારા સાયરન વગાડવામાં આવ્યા
- લોકોને સલામત સ્થળે ખસેડી જવા માટે તંત્રની અપીલ
- બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઇ
- અફવાઓ પર ધ્યાન ન આપવા અને ખોટી વાતો ધ્યાનમાં ન લેવા અપીલ કરાઇ
-
ઓપરેશન સિંદૂરમાં આ 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા, પાકિસ્તાનથી આવી ગઈ યાદી
ભારતના હુમલામાં મસૂદ અઝહરના સાળા અને બહેન પણ માર્યા ગયા હતા. પાકિસ્તાનથી મળેલા અહેવાલ મુજબ, ઓપરેશન સિંદૂર સ્ટ્રાઈકમાં 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા. આ બધા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સીધા જોડાયેલા હતા.
-
પંજાબના રાજ્યપાલે આજે સાંજે સર્વપક્ષીય બેઠક બોલાવી
પાકિસ્તાન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ આજે ચંદીગઢમાં પંજાબ રાજભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સાંજે 5 વાગ્યે બેઠક બોલાવવામાં આવી છે.
-
ભારત-પાકિસ્તાન સંઘર્ષને કારણે હજ ફ્લાઇટ્સ 14 મે સુધી રદ કરવામાં આવી
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, 14 મે સુધી બધી હજ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
-
પીએમ મોદી સાથે ત્રણેય સેના પ્રમુખોની મુલાકાત
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સેના પ્રમુખ, વાયુસેના પ્રમુખ અને નૌકાદળના વડા હાજર છે. તે જ સમયે, સંરક્ષણ પ્રધાન પણ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે.
-
શ્રીનગર એરપોર્ટ નજીક પાકિસ્તાનનું ડ્રોન તોડી પાડવામાં આવ્યું
પાકિસ્તાન ડ્રોન દ્વારા સતત મિસાઇલો છોડી રહ્યું છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે ADS એ શ્રીનગર એરપોર્ટ નજીક ડ્રોનને તોડી પાડ્યું હતું.
-
ભૂજ શહેરમાં વાગ્યા સાયરન, ફરી એક ડ્રોન તોડી પડાયુ
કચ્છ-ભૂજ નજીક વધુ નાપાક હરકત જોવા મળી. ભુજના લોરિયા નજીક ડ્રોન દેખાયું. ભારતીય સેનાએ ડ્રોનને તોડી પાડ્યું છે. નાગોર નજીક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હોવાની માહિતી છે. ફરી ભુજ શહેરમા સાયરન વાગ્યા છે. સાવચેતીના ભાગરુપે આ સાયરન વગાડવામાં આવી રહ્યા છે.
-
કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવા આગામી આદેશ સુધી સ્થગિત
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, ઉત્તરાખંડમાં સુરક્ષા કારણોસર કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવા આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે.
-
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આજે દિલ્હીમાં વિધાનસભા પક્ષની બેઠક
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આજે સાંજે 5 વાગ્યે દિલ્હી ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય પક્ષની બેઠક છે.
-
અમેરિકાના વિદેશ મંત્રીએ એસ જયશંકર સાથે વાત કરી
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી. સચિવ રુબિયોએ ભાર મૂક્યો હતો કે બંને પક્ષોએ તણાવ ઘટાડવા અને ગેરસમજ ટાળવા માટે સીધી વાતચીત ફરીથી સ્થાપિત કરવાના રસ્તાઓ ઓળખવાની જરૂર છે. ભવિષ્યમાં વિવાદો ટાળવા માટે તેમણે ચર્ચા પર ભાર મૂક્યો છે. આ માહિતી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે આપી છે.
-
S 400, બ્રહ્મોસનો સ્ટોક સંપૂર્ણપણે સુરક્ષિત: સેના
ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે પાકિસ્તાન સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી રહ્યું છે. S 400, બ્રહ્મોસના ભંડાર સંપૂર્ણપણે સલામત છે, પાકિસ્તાનનો દાવો ખોટો અને ખોટો પ્રચાર છે. પાકિસ્તાન આગળના વિસ્તારોમાં સૈનિકો તૈનાત કરી રહ્યું છે.
-
પાકિસ્તાનના ડ્રોનને કાયનેટિક અને નોન કાયનેટિક સાધનોથી તોડી પડાયા
ભારતીય સેનાએ કાયનેટિક અને નોન કાયનેટિક માધ્યમોનો ઉપયોગ કરીને ઘણા ડ્રોનને તોડી પાડ્યા. પાકિસ્તાની સેનાએ ભારે કેલિબર હથિયારોનો ઉપયોગ કરીને ગોળીબાર પણ કર્યો, જેના પરિણામે કેટલાક ભારતીય સૈનિકોના મોત અને ઇજા થઈ.
-
રાજસ્થાનઃ વિવિધ વિસ્તારોમાં મળ્યા મિસાઈલના ટુકડા
- હનુમાનગઢના ખેતરોમાં મિસાઈલના ટુકડા મળી આવ્યા
- લખુવાલી પાસે ગામમાંથી મિસાઈલના અવશેષો મળ્યા
- ભારતીય સેનાએ પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ બનાવ્યું
- પોખરણમાં પણ તુટેલી મિસાઈલના અવશેષો મળી આવ્યા
- સરગોડા એરબેઝ પર પણ મોડી રાતે કરાયો હતો હુમલો
- ભારતીય સેનાએ પાકિસ્તાનની મિસાઈલો તોડી પાડી
-
પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી ભાગ પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી: કર્નલ સોફિયા કુરેશી
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી ભાગ પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. ફાઇટર વિમાનોનો ઉપયોગ કર્યો.
-
ઓપરેશન સિંદૂર પર મહત્ત્વની પ્રેસકોન્ફરન્સ
પાકિસ્તાને નાગરિક વિમાનની આડમાં હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો: કર્નલ સોફિયા કુરેશી
-
રાજસ્થાનના જેસલમેર અને શ્રી ગંગાનગરમાં તમામ બજારો બંધ
રાજસ્થાનના જેસલમેર અને શ્રીગંગાનગરમાં તમામ બજારો બંધ કરી દેવામાં આવ્યા છે. જેસલમેર અને શ્રીગંગાનગરના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલાની શક્યતા છે. જિલ્લા વહીવટીતંત્રે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષા કારણોસર સમગ્ર શહેરને લોકડાઉન કરવામાં આવ્યું છે.
-
ઓડિશા સરકારે IPS અધિકારીઓની રજા રદ કરી
ઓડિશા સરકારે IPS અધિકારીઓની રજા રદ કરી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રજા પર ગયેલા અધિકારીઓને તાત્કાલિક મુખ્યાલય પરત ફરવા સૂચના આપવામાં આવી છે.
-
પાકિસ્તાનના સિયાલકોટમાં આતંકવાદી લોન્ચ પેડ તોડી પાડવામાં આવ્યું
અખનૂર સેક્ટરની સામે પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લામાં લુની ખાતે આવેલા આતંકવાદી લોન્ચ પેડને બીએસએફ દ્વારા સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો.
#WATCH | The terrorist launch pad at Looni, district Sialkot, Pakistan, opposite Akhnoor area, was completely destroyed by the BSF.
(Source – BSF) pic.twitter.com/TEuS7ZwgAm
— ANI (@ANI) May 10, 2025
(Credit Source: @ANI)
-
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ આજે અધિકારીઓ સાથે બેઠક કરશે
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આજે દેશભરમાં વૈજ્ઞાનિક અને તકનીકી સંસ્થાઓની સુરક્ષાની સમીક્ષા સિનિયર અધિકારીઓ અને તકનીકી સંસ્થાઓના વડાઓ સાથે કરશે.
-
પાકિસ્તાને અમૃતસર કેન્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ડ્રોન હવામાં તોડી પાડ્યા
ભારતીય સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સતત ડ્રોન હુમલા અને અન્ય હથિયારોથી આપણી પશ્ચિમી સરહદો પર હુમલો કરી રહ્યું છે. આવી જ એક ઘટનામાં આજે સવારે લગભગ 5 વાગ્યે, અમૃતસરના ખાસા કેન્ટ ઉપર ઘણા સશસ્ત્ર દુશ્મન ડ્રોન ઉડતા જોવા મળ્યા. અમારા હવાઈ સંરક્ષણ એકમોએ તરત જ દુશ્મનના ડ્રોન પર હુમલો કરીને તેનો નાશ કર્યો.
-
ઇસ્લામાબાદમાં બધા પેટ્રોલ પંપ બંધ રહ્યા
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તમામ પેટ્રોલ અને ડીઝલ ફિલિંગ સ્ટેશનો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ માટે તાત્કાલિક આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
-
AIIMS ભુવનેશ્વરે તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી
AIIMS ભુવનેશ્વરે ઉભરતા સંજોગોને ધ્યાનમાં રાખીને રજાઓ અને સ્ટેશન રજાઓ સહિત તમામ પ્રકારની રજાઓ રદ કરવાની જાહેરાત કરી છે.
-
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે NCA ની બેઠક બોલાવી
ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે નેશનલ કમાન્ડ ઓથોરિટી (NCA) ની બેઠક બોલાવી છે.
-
ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો
ભારતીય સેનાએ જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે, જ્યાંથી ટ્યુબ લોન્ચ ડ્રોન પણ લોન્ચ કરવામાં આવી રહ્યા હતા. સંરક્ષણ સૂત્રોના હવાલાથી આ માહિતી પ્રકાશમાં આવી છે.
#WATCH | Pakistani Posts and Terrorist Launch Pads from where Tube Launched Drones were also being launched, have been destroyed by the Indian Army positioned near Jammu: Defence Sources
(Source – Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw
— ANI (@ANI) May 10, 2025
(Credit Source: @ANI))
-
કચ્છના ભૂજમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે 3 ડ્રોન તોડી પાડયા
કચ્છ, ગુજરાત: પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ સતત ઉશ્કેરણીજનક હરકતો કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારતીય સરહદની નજીક પાકિસ્તાની ડ્રોન દાખલ થયા હોવાની માહિતી મળી છે. ભારતીય સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને ડ્રોનને હવામાં જ તોડી નાંખ્યા હતા.
-
પંજાબઃ જલંધરમાં પાકિસ્તાનનો ડ્રોન હુમલો
- જલંધરમાં પાકિસ્તાની ડ્રોનના ટુકડા મળ્યા
- પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું
- ખેતરમાં ડ્રોનના ટુકડા મળી આવ્યા
- 4થી 5 ડ્રોન જલંધરમાં જોવા મળ્યા હતા
- ભારતીય ડિફેન્સ સિસ્ટમે ડ્રોન તોડી પાડ્યા
- આર્મી કેમ્પની પાસેના વિસ્તારોમાં ટુકડા મળ્યા
-
રાજસ્થાનઃ બાડમેરમાં ફરી સંભળાયા ધડાકા
- રાતની શાંતિ બાદ વહેલી સવારે ધડાકાના અવાજો
- સવારે 5.15 કલાકે ફરી ધડાકાઓથી ગૂંજ્યું બાડમેર
- બોડમેરમાં થયો વહેલી સવારે ડ્રોન એટેક
- સેનાએ આકાશમાં જ એક બાદ એક ડ્રોન તોડી પાડ્યા
-
કચ્છ : બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરાઇ અપીલ
કચ્છ-જિલ્લા કલેક્ટર દ્રારા લોકોને અપીલ કરાઇ. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરાઇ અપીલ. અફવાઓ પર ધ્યાન ન આપવા પણ અપીલ કરાઇ.
-
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે G7 દેશોની અપીલ
- ધીરજ રાખવા અને વાતચીતથી વિવાદ ઉકેલવા અપીલ
- ભારત-પાકિસ્તાનને સંયમ રાખવા અમારી અપીલ: G7 દેશો
- “કોઈપણ સૈન્ય કાર્યવાહી શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો”
- “અમને બન્ને પક્ષના નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા”
- “બન્ને દેશોને તણાવ ઓછો કરવા અને શાંતિ માટે સીધી વાત કરવા આગ્રહ”
- G7 દેશોએ પહલગામ આતંકી હુમલાની કરી નિંદા
-
કચ્છના અબડાસામા પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયુ
કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાનનું નાપાક કૃત્ય સામે આ્વ્યુ છે. સરહદી વિસ્તારોના ગામડાઓ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. અબડાસા વિસ્તારના નાની ધુફી ગામમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ડ્રોનને હવામાં મારવાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ભારતીય સેના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. ડ્રોનનો કાટમાળ શોધવાના પ્રયાસો ચાલુ છે.
-
ભારતે પાકિસ્તાનના 2થી 3 વિમાનને તોડી પાડ્યા
ભારતે પાકિસ્તાનના 2થી 3 વિમાનને તોડી પાડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઇ નથી. IAFએ રહીમયાર એરબેઝ સ્ટ્રીય તબાહ કરી નાખી.
-
દેશની આર્થિક રાજધાની મુંબઈ હાઈ એલર્ટ પર, દરિયાકાંઠાના સ્થળો પર પેટ્રોલિંગ વધારી દીધું
- ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દેશની આર્થિક રાજધાની મુંબઈ હાઈ એલર્ટ પર
- મુંબઈ પોલીસે જુહુ ચોપાટી, ગિરગાંવ ચોપાટી, દાદર ચોપાટી, મઢ, માર્વે, કોલાબા, વર્સોવા સહિત તમામ દરિયાકાંઠાના સ્થળો પર પેટ્રોલિંગ વધાર્યું
- દરિયાકાંઠાના પર્યટન સ્થળ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
- ક્વિક રિસ્પોન્સ ટીમના કમાન્ડો તૈનાત કરાયા
- પોલીસ સિવિલ ડ્રેસમાં પણ બાજનજર રાખી રહી છે
- મુંબઈના સમુદ્રમાં કોઈપણ શંકાસ્પદ ફિશિંગ બોટ કે પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ખાસ સ્પીડ બોટ સાથે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.તો બીજી તરફ હેલિકોપ્ટરની મદદથી પણ નજર રાખવામાં આવી રહી છે
-
પાકિસ્તાન જવાબ આપવાની સ્થિતિમાં નથી: ભૂતપૂર્વ ભારતીય રાજદૂત
દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર, ભૂતપૂર્વ ભારતીય રાજદૂત વિદ્યા ભૂષણ સોનીએ કહ્યું કે, એ દુઃખદ છે કે પાકિસ્તાને ભૂતકાળમાંથી કોઈ પાઠ શીખ્યો નથી. પાકિસ્તાન એક નિષ્ફળ રાજ્ય હોવાથી પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નથી, જેને તમામ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને વિશ્વ સંસ્થાઓ દાયકાઓથી સ્વીકારે છે.
તો, જ્યારે તેઓ તેના માટે તૈયાર ન હોય ત્યારે તેઓ કેવી પ્રતિક્રિયા આપે છે? સરકારનો કયો ભાગ તૈયાર છે? નાગરિક સરકારનું નિયંત્રણ નથી. આતંકવાદી દળોનું વર્ચસ્વ છે. આર્મી ચીફ એવા નિવેદનો આપે છે જે ભાગ્યે જ વ્યાવસાયિક હોય છે અને તેમને જમીની પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી.
પાકિસ્તાન આટલું મૂર્ખામીભર્યું પગલું કેવી રીતે ભરી શકે? પહેલગામ ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે જ્યાં હુમલો થયો હતો. આ અણધાર્યું હતું. તેમને સંદેશ મોકલવાની જરૂર છે કારણ કે તેઓ આવું કરતા રહે છે. આપણે એક જવાબદાર રાષ્ટ્ર છીએ. અમે ખૂબ જ જવાબદારીપૂર્વક પ્રતિક્રિયા આપી છે અને કોઈ પણ પગલું ભર્યું નથી જેમાં ભૂલ મળી શકે. તેથી એકવાર તેઓ પહેલ કરી લે, પછી તેમને કહેવું જરૂરી છે કે હવે બહુ થયું. અમે હવે આ સ્વીકારવાના નથી. તેથી પ્રતિભાવ ખૂબ જ વિચારશીલ અને સચોટ રહ્યો છે.
#WATCH | Delhi: On India Pakistan escalation, Former Indian Ambassador Vidya Bhushan Soni says, “It’s sad that Pakistan has not learnt lessons from the past. Pakistan is not in a position to respond at all because it’s a failed state that has been acknowledged for decades by all… pic.twitter.com/RhsqD7q89c
— ANI (@ANI) May 9, 2025
(Credit Source: @ANI)
-
પાકિસ્તાને ગઈરાતે ફરી કરી અવળચંડાઈ
- પાકિસ્તાને ગઈરાતે ફરી કરી અવળચંડાઈ
- 26 જગ્યાએ પર હુમલા કરાયાનો દાવો
- ભારતે પણ આપ્યો વળતા જવાબ
- LoC પર અનેક સ્થળો પર ગોળીબાર
-
જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો
જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદી દેવામાં આવ્યો છે. સાયરનના અવાજો સંભળાય છે.
-
સવારે 05:45 વાગ્યે સાઉથ બ્લોક ખાતે મીડિયા બ્રીફિંગ
સવારે 5:45 વાગ્યે સાઉથ બ્લોક લૉન પાસે સાઉથ બ્લોક ખાતે મીડિયા બ્રીફિંગ.
-
બિહારમાં જ્યારે પણ ચૂંટણી થાય છે, ત્યારે આવી ઘટનાઓ બને છે: આરજેડી સાંસદ મીસા ભારતી
નોકરી માટે જમીનના મુદ્દા પર, આરજેડી સાંસદ મીસા ભારતીએ કહ્યું, અમારા પરિવાર માટે કોઈ મુદ્દો નવો નથી. બિહારમાં જ્યારે પણ ચૂંટણી હોય છે, ત્યારે આવી ઘટનાઓ બનતી રહે છે. મારા પિતા સારવાર લીધા પછી ગઈકાલે જ પટના પહોંચ્યા. બીજી તરફ, રાષ્ટ્રપતિએ કેસ ચલાવવાની મંજૂરી આપી છે. ઘણી એજન્સીઓએ અમારી તપાસ કરી છે, પરંતુ અમે ખોટા નથી. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને હું તેના પર વધુ ટિપ્પણી કરીશ નહીં. ટૂંક સમયમાં બધું સ્પષ્ટ થઈ જશે.
-
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ
જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. વિસ્ફોટો અને સાયરનના અવાજો સંભળાય છે.
#WATCH | Jammu & Kashmir | A complete blackout has been enforced in Akhnoor. Explosions and sirens can be heard.
(Visuals deferred by an unspecified time) pic.twitter.com/aWtA1C5Ob3
— ANI (@ANI) May 9, 2025
(Credit Source: @ANI)
-
પંજાબના જાલંધરમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો
પંજાબના જાલંધરમાં કેટલાક ડ્રોન જોવા મળ્યાના અહેવાલો બાદ અમે થોડા સમય માટે બ્લેકઆઉટ લાગુ કર્યું છે. સુરક્ષા દળો તપાસ કરી રહ્યા છે. કૃપા કરીને શાંતિ રાખો અને બ્લેકઆઉટ પ્રોટોકોલનું પાલન કરો: ડીસી, જલંધર
-
રાવલપિંડી: એક પછી એક ત્રણ વિસ્ફોટ, નૂર ખાન એરબેઝ પર પણ મોટો વિસ્ફોટ
પાકિસ્તાનના રાવલપિંડી નજીક એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા છે. રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પાસે પણ એક શક્તિશાળી વિસ્ફોટ થયો છે. આ દરમિયાન, ઇસ્લામાબાદના રહેવાસીઓએ સતત ત્રણ ધડાકા સાંભળ્યા. પોલીસ અને બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
-
પાકિસ્તાનના ડ્રોન હુમલા નિષ્ફળ, ભારતે PoKમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કર્યો ગોળીબાર
પાકિસ્તાન એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્તાને ડ્રોનથી ભારતના ઘણા ભાગો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. તે જ સમયે, ભારતે પણ પીઓકેમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી છે.
-
India-Pakistan War:દિલ્હી એરપોર્ટે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી
દિલ્હી એરપોર્ટની કામગીરી હાલમાં સામાન્ય છે. જોકે, બદલાતી એરસ્પેસ પરિસ્થિતિઓ અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના આદેશો અનુસાર વધેલા સુરક્ષા પગલાંને કારણે, કેટલાક ફ્લાઇટ શેડ્યૂલ પર અસર પડી શકે છે અને સુરક્ષા ચેકપોઇન્ટ પ્રક્રિયા સમય લાંબો થઈ શકે છે.
Delhi Airport travel advisory | Delhi Airport operations are normal at present. However, due to changing airspace conditions and increased security measures as per orders from the Bureau of Civil Aviation Security, some flight schedules might be impacted and security checkpoint… pic.twitter.com/RE4755DWfw
— ANI (@ANI) May 9, 2025
-
India-Pakistan War: પાકિસ્તાનમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ
પાકિસ્તાનમાં રાત્રે 01.44 વાગ્યે (IST)4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનુ સામે આવ્યુ છે.
An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit Pakistan at 01.44 am (IST) today: National Center for Seismology (NCS) pic.twitter.com/zAuDQQ2WRQ
— ANI (@ANI) May 9, 2025
-
BLAની સેનાએ ક્વેટા-સિંધ હાઇવે પર કર્યો કબજો, PAK સેના પોસ્ટ છોડીને ભાગી
પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવ વચ્ચે, બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેનાને ભગાડવાનું શરૂ કરી દીધું છે. BLA એ બલુચિસ્તાનમાં પાંચ પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર કબજો જમાવ્યો છે. હવે સમાચાર છે કે BLA એ ક્વેટા-સિંધ હાઇવે પર કબજો કરી લીધો છે. બીએલએ અને પાકિસ્તાની સેના વચ્ચે લગભગ 2 કલાકથી ગોળીબાર ચાલી રહ્યો છે. દરમિયાન, એવા સમાચાર છે કે BLA એ પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓ પર કબજો કરી લીધો છે.
-
પંજાબમાં પાકિસ્તાને ક્યાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો?
પંજાબના 7 શહેરો પર ડ્રોન હુમલાનો પ્રયાસ પાકિસ્તાને કર્યો છે.
- અમૃતસર
- પઠાણકોટ
- ફિરોઝપુર
- ફાઝિલ્કા
- હોશિયારપુર
- ગુરદાસપુર
- તરનતારન
-
આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ
પાકિસ્તાનના હુમલા બાદ ભારતે પીઓકેમાં જવાબી કાર્યવાહી કરી છે. આ દરમિયાન, એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ પારથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે, જેનો સેના અને બીએસએફ જવાબ આપી રહ્યા છે.
-
ગુજરાતના 7 સહિત દેશના 32 એરપોર્ટ 15 મે સુધી બંધ
ગુજરાતના 7 સહિત દેશના 32 એરપોર્ટ 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. પંજાબમાં અમૃતસર, લુધિયાણા, પટિયાલા, ભટિંડા, હલવારા, પઠાણકોટ એરપોર્ટ બંધ રહેશે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ભુંતાર, શિમલા, કાંગડા-ગગ્ગલ એરપોર્ટ બંધ રહેશે. કેન્દ્રશાસિત પ્રદેશના ચંદીગઢ એરપોર્ટ, શ્રીનગર, જમ્મુ, જમ્મુ-કાશ્મીરના લેહ એરપોર્ટ અને લદ્દાખ, રાજસ્થાનના કિશનગઢ, જેસલમેર, જોધપુર, બિકાનેર એરપોર્ટ અને ગુજરાતના મુંદ્રા, જામનગર, હિરાસર-રાજકોટ, પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ એરપોર્ટ બંધ રહેશે.
-
POKમાં અનેક સ્થળોએ ડ્રોન હુમલા
ભારતે જવાબી કાર્યવાહી શરૂ કરી.જલાલપુર જાટન વિસ્તારમાં પણ બદલાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
-
જિલ્લા પોલીસ ખૂબ જ સતર્ક છે: કચ્છના પૂર્વ ઝોનના એસપી
ગુજરાતના કચ્છના પૂર્વ ઝોનના એસપીએ જણાવ્યું હતું કે સરહદી જિલ્લાઓમાં અને વર્તમાન પરિસ્થિતિમાં જિલ્લા પોલીસ ખૂબ જ સતર્ક છે. તે સરહદી ગામડાઓના લોકો સાથે વાત કરી રહી છે. અમે લોકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ. જિલ્લાની વાત કરીએ તો, વહીવટીતંત્રે નિર્ણય લીધો છે અને લોકોને સ્વૈચ્છિક બ્લેકઆઉટ માટે અપીલ કરી છે. બધા તરફથી સકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે.
-
પ્રધાનમંત્રી મોદી સમગ્ર પરિસ્થિતિ પર રાખી રહ્યા છે નજર
પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓ વચ્ચે, કિશ્તવાડના ભાજપના ધારાસભ્ય શગુન પરિહારે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. ભારતીય સશસ્ત્ર દળો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે. પ્રધાનમંત્રી મોદી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કોઈને ચિંતા કરવાની જરૂર નથી. અમને અમારા સશસ્ત્ર દળો પર ગર્વ છે. અમે સેનાના કોઈપણ નિર્ણયને સમર્થન આપીશું.
-
India Pakistan War News LIVE : પાકિસ્તાની સેના પર તહરીક-એ-તાલિબાનનો મોટો હુમલો, 10 સૈનિકો માર્યા ગયા
તહેરીક એ તાલિબાને પણ પાકિસ્તાની સૈન્ય ઉપર હુમલો કર્યો છે. તહેરિક એ તાલિબાને કરેલા હુમલામાં 10 સૈનિકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તો બીજી બાજુ BLA ના લડવૈયાઓએ બલુચિસ્તાનમાં પાંચ સ્થળોએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો. BLA દ્વારા હુમલો કરાયેલા પાકિસ્તાની સૈન્યના ઠેકાણાઓમાં ક્વેટા, ઉથલ, સોહબતપુર, પંજગુરનો સમાવેશ થાય છે.
-
India Pakistan War News LIVE : ભારતના વિરોધ વચ્ચે IMF એ પાકિસ્તાનને આપી 8500 કરોડની લોન
આઈએમએફના ટૂંકા નામે ઓળખાતા ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફંડે, ભારતના વિરોધ વચ્ચે કંગાળ થઈ ચૂકેલા પાકિસ્તાનને રૂપિયા 8500 કરોડની લોન મંજૂર કરી છે. ભારતે લોન મંજૂર કરતા કહ્યું હતુ કે પાકિસ્તાન આ નાણાનો ઉપયોગ આસપાસ અને વિશ્વના દેશોમાં આતંક ફેલાવવા માટે કરી રહ્યું છે.
-
India Pakistan War News LIVE : પાકિસ્તાને ડ્રોનથી ભારતના 26 સ્થળોએ કર્યો હુમલો, ભારતે તમામ ડ્રોન હવામાં જ તોડી પાડ્યા
પાકિસ્તાને આજે જમ્મુ કાશ્મીરથી લઈને કચ્છ-ભૂજ સુધીમાં કુલ 26 સ્થળોએ ડ્રોનથી હુમલો કર્યો હતો. જો કે પાકિસ્તાનના ડ્રોન હુમલાને ભારતની રક્ષા પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાન દ્વારા હુમલા સ્વરુપે મોકલાયેલા ડ્રોનને ભારતે હવામાં જ તોડી પાડ્યા હતા.
-
India Pakistan War News LIVE : ગુજરાતના 7 સહિત દેશના 24 એરપોર્ટ 15 મે સુધી બંધ
પંજાબમાં અમૃતસર, લુધિયાણા, પટિયાલા, ભટિંડા, હલવારા, પઠાણકોટ એરપોર્ટ બંધ રહેશે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ભુંતાર, શિમલા, કાંગડા-ગગ્ગલ એરપોર્ટ બંધ રહેશે. કેન્દ્રશાસિત પ્રદેશના ચંદીગઢ એરપોર્ટ, શ્રીનગર, જમ્મુ, જમ્મુ-કાશ્મીરના લેહ એરપોર્ટ અને લદ્દાખ, રાજસ્થાનના કિશનગઢ, જેસલમેર, જોધપુર, બિકાનેર એરપોર્ટ અને ગુજરાતના મુંદ્રા, જામનગર, હિરાસર-રાજકોટ, પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ એરપોર્ટ બંધ રહેશે.
-
India Pakistan War News LIVE : શ્રીનગર એરપોર્ટ પર પાકિસ્તાનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવાયો
શ્રીનગર એરપોર્ટને નિશાન બનાવીને પાકિસ્તાનમાંથી છોડવામાં આવેલા ડ્રોનને ભારતીય સુરક્ષા પ્રણાલીએ હવામાં જ તોડી પાડીને હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.
-
કચ્છના હરામીનાલા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા
ગુજરાતના લખપત કચ્છમાં હરામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. પાકિસ્તાને ડ્રોન સ્વરૂપે કરેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાને છોડેલા ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા છે.
-
India Pakistan War News LIVE : કાશ્મીરથી રાજસ્થાન સુધી પાકિસ્તાનના નિષ્ફળ ડ્રોન હુમલા બાદ, PM મોદી સાથે અજીત ડોવાલ, એસ જયશંકર, વિક્રાંત મિશ્રીની બેઠક
પાકિસ્તાને સતત ત્રીજા દિવસની રાત્રે જમ્મુ કાશ્મીરથી લઈને રાજસ્થાન સુધીના વિસ્તારોમાં કરેલા ડ્રોન હુમલાને ભારતની સરક્ષા પ્રણાલીએ તોડી નાખ્યાં છે. જો કે આ ઘટના બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એનએસએ અજીત ડોવાલ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને વિદેશ સચિવ વિક્રાંત મિશ્રી મળ્યા હતા. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યા સુધી બેઠક ચાલી રહી છે.
-
India Pakistan War News LIVE : રાજૌરીમાં પાકિસ્તાને છોડેલા 10 ડ્રોન તોડી પાડ્યા
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને મોકલેલા 10 જેટલા ડ્રોનને ભારતની રક્ષા પ્રણાલીએ હવામાં જ તોડી પાડ્યા હતા. આ પાકિસ્તાન ભારતમાં છોડી રહેલ તૂર્કીયેના ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારાનુ રેકોર્ડીગ કરાઈ રહ્યું હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે.
-
India Pakistan War News LIVE : પાકિસ્તાને વધુ એકવાર ભારત પર કાશ્મીરથી રાજસ્થાન સુધી ડ્રોનથી કર્યો હુમલો
પાકિસ્તાને વધુ એકવાર, કાશ્મીરથી રાજસ્થાન સુધીની સરહદ ઉપર હુમલો કર્યો છે. પાકિસ્તાને ડ્રોન છોડીને ભારત સ્થિત સૈન્ય મથકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ એક ચોકાવનારી વિગત એવી સામે આવી છે કે, પાકિસ્તાન આ પ્રકારે ડ્રોન મોકલીને તેમા રહેલ કેેમેરાથી સંવેદનશીલ વિસ્તારોને રેકોર્ડ કરી રહ્યું છે. જો કે, ભારત તુર્કિયેના ડ્રોનને હવામાં જ તોડી પાડી રહ્યું છે.
-
India Pakistan War News LIVE : LoC પર પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ
એલઓસી પર પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો. પાકિસ્તાનના ઘણા ડ્રોન તોડી પાડવામાં આવ્યા.
-
India Pakistan War News LIVE : કુપવાડામાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર
કુપવાડામાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો.
-
પંજાબના ફિરોઝપુરમાં આર્મી કેમ્પ પર પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો
પાકિસ્તાને પંજાબના ફિરોઝપુરમાં આર્મી અને બીએસએફ બેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી આવી રહેલી ડ્રોનને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ તોડી પાડી.
-
LOC પર ગતિવિધિ વધી, ઉરીમાં ભારે ગોળીબાર, એર સાયરન ગુંજી ઉઠી
પાકિસ્તાન સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. ઉરી સેક્ટરના ગોહાલન વિસ્તારમાં પાકિસ્તાને ભારે ગોળીબાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન સાયરન પણ વાગવાની શરૂ થઈ છે. ભારત પાકિસ્તાનના દરેક નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપી રહ્યું છે.
-
India Pakistan War News LIVE : ભારતે કરેલા વળતા હુમલામાં પાકિસ્તાનની એર ડિફેન્સ રડાર તોડી પાડ્યુ
પાકિસ્તાને, ભારતમાં કાશ્મીરથી ગુજરાત સુધીમાં 300થી 400 ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો. જેને ભારતે નિષ્ફળ બનાવી દેવાયો હતો. ભારતના વળતા જવાબમાં, પાકિસ્તાનના એક એર ડિફેન્સ રડારને નષ્ટ કરી દીધુ.
-
ગુજરાતમાં બધા જ સરકારી કર્મચારીઓની રજા રદ કરાઈ, કર્મચારીઓને હેડ કવાર્ટર નહીં છોડવા આદેશ
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક (હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
-
પાકિસ્તાને ભારતના 36 સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો
પાકિસ્તાને ગઈકાલ રાત્રે ભારતના વિવિધ શહેરોમાં 36 સ્થળોને નિશાન બનાવ્યા હતા. જે તમામે તમામને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા.
-
પાકિસ્તાન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છેઃ વિદેશ સચિવ
વિદેશ સચિવ મિશ્રીએ કહ્યું કે, પાકિસ્તાને ગઈકાલે કાયરતા પૂર્વક વર્તન કર્યું છે. પાકિસ્તાન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. પુછમાં ગુરુદ્વારાને નિશાન બનાવ્યુ હોવા છતા પાકિસ્તાન ખોટુ કહે છે કે અમે ગુરુદ્વારા પર હુમલો નથી કર્યો
-
ભારતના વળતા હુમલાથી પાકિસ્તાનની અનેક સૈન્ય ચોકી તોડી પડાઈ
કર્નલ સોફિયા કુરેશીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાન દ્વારા ગેર જવાબદારી ભર્યુ વર્તન કરવામાં આવી રહ્યું છે. તે નાગરિક ક્ષેત્રમાંથી ભારતમાં ગોળીબાર કરી રહ્યું છે. અખનુર, ઉધમપુર, રાજૌરી, મેઢક સેકટરમાં ભારે હુમલો કર્યો હતો. જેમં ભારતના સૈન્ય બળને પણ નુકસાન થવા પામ્યુ છે. જેની સામે ભારતે વળતો હુમલો કરીને પાકિસ્તાનની ચોકીને પણ ભારે નુકસાન પહોચાડ્યું છે.
-
India Pakistan War News LIVE : પાકિસ્તાને નાગરિક હવાઈ ક્ષેત્રનો ઢાલ સ્વરૂપે ઉપયોગ કર્યો
જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં ડ્રોન સહીતના સાધનોથી ગોળીબાર કર્યા હતા.જેમાં ભારતીય લોકોને અસર થઈ હતી. ગેર જવાબદારી ભર્યુ વર્તન સામે આવ્યું હતું. પાકિસ્તાને નાગરિક હવાઈ ક્ષેત્ર બંધના કર્યું તેણે ઢાલ તરીકે ઉપયોગ કર્યો છે.
-
India Pakistan War News LIVE : પાકિસ્તાને તુર્કીયેના ડ્રોનથી ભારતમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો
પાકિસ્તાને પશ્ચિમ ભારતમાં સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવાનો પ્રયાસ કરીને આંતરરાષ્ટ્રીય હવાઈ સરહદને ઓળગવાનો પ્રયાસ કર્યો હતો. 36 સ્થળોએ કાઈનેટિક અને નોન કાઈનેટિક સાધનોનો ઉપયોગ કરીને પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યા હતા.
-
અમદાવાદ ડિવિઝનથી દોડતી આટલી ટ્રેન રદ રહેશે
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનથી દોડતી કેટલીક ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નં. 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ સ્પેશિયલ તારીખ 10.05.2025 2. ટ્રેન નં. 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ તારીખ 09.05.2025 3. ટ્રેન નં. 94802 ૯૪૮૦૨ ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ તારીખ 10.05.2025 4. ટ્રેન નં. 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ તારીખ 09.05.2025 5. ટ્રેન નં. 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ તારીખ 10.05.2025
-
તાકીદની સ્થિતિને પહોંચી વળવાની તૈયારી રાખવા રાજ્યોને કેન્દ્રીય ગૃહવિભાગે લખી ચિઠ્ઠી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયો, વિવિધ રાજ્યોને એક ચિઠ્ઠી લખી છે. જેમાં પાકિસ્તાન સામે યુદ્ધ જેવી સ્થિતિને પહોચી વળવા માટે કોઈ પણ પ્રકારની તાકીદની સ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી કરી રાખવા જણાવ્યું છે.
-
ગુજરાતમાં ફટાકડા ફોડવા, ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
ગુજરાતમાં આગામી 15મી મે સુધી કોઈ પણ પ્રસંગે, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથોસાથ ડ્રોન ઉડાવવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
-
પાકિસ્તાને ભારત સામે લડવા ચીનના તકલાદી માલનો કર્યો ઉપયોગ, તોડી પડાયેલા ડ્રોનના અવશેષના આધારે થયો ખુલાસો
પાકિસ્તાને છેલ્લા બે દિવસથી ભારતના નાગરિક વિસ્તારમાં કરી રહેલ ડ્રોન અને મિસાઈલ હુમલાને ભારતની સુરક્ષા પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાનના તોડી પડાયેલા ડ્રોનના અવશેષથી સામે આવ્યું છે કે, પાકિસ્તાને ચીનનો તકલાદી માલનો ઉપયોગ કર્યો છે. પઠાણકોટના કરોલી ગામ પાસે એક ડ્રોન મળી આવ્યું છે. સેનાએ તેને કસ્ટડીમાં લઈ લીધો છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
-
ભારતનું ‘ઓપરેશન સિંદૂર’ વધુ આક્રમક બનવાના એંધાણ
ભારતનું ‘ઓપરેશન સિંદૂર’ વધુ આક્રમક બનવાના એંધાણ છે. રાજધાની દિલ્લીમાં હાઇલેવલ બેઠકોનો દોર ચાલુ છે. ભારત સરકારના 4 મંત્રાલયની 4 મોટી બેઠકો મળી. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. CDS અનિલ ચૌહાણ અને ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે બેઠક યોજી. ગૃહપ્રધાન અમિત શાહે BSF અને CISFના DG સાથે બેઠક યોજી. બોર્ડર પર હુમલા બાદની સ્થિતિ અને નાગરિકોની સુરક્ષાની કરી સમીક્ષા. આરોગ્યપ્રધાન જેપી નડ્ડાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. દેશની હોસ્પિટલોમાં સારવાર, સુવિધા અને દવાની સ્થિતિ અંગે સમીક્ષા કરી.
-
આર્મી ચીફને આપવામાં આવ્યો વિશેષ અધિકાર
આર્મી ચીફને વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. તે જરુર પડે તો ટેરિટોરિયલ આર્મી બોલાવી શકે છે. તે નિયમિત સેનાને મદદ માટે બોલાવી શકે છે.
-
ભરૂચના જંબુસરના વાતાવરણમાં પણ પલટો
ભરૂચના જંબુસરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ છે. ધોધમાર વરસાદ પડતા સોસાયટીમાં પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયુ છે.
-
વિશ્વ બેંકના પ્રમુખ, અજય બાંગાએ IndusWaterTreaty સસ્પેન્શન પર આપી પ્રતિક્રિયા
વિશ્વ બેંકના પ્રમુખ, અજય બાંગાએ IndusWaterTreaty સસ્પેન્શન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ –આપણી પાસે સુવિધા આપનાર સિવાય કોઈ ભૂમિકા નથી. મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે કે વિશ્વ બેંક કેવી રીતે દખલ કરશે અને સમસ્યાનું નિરાકરણ કરશે પરંતુ બધું જ અધૂરું છે. વિશ્વ બેંકની ભૂમિકા ફક્ત સુવિધા આપનાર તરીકેની છે.
We have no role to play beyond a facilitator. There’s a lot of speculation in the media about how the World Bank will step in & fix the problem but it’s all bunk. The World Bank’s role is merely as a facilitator
-World Bank President, Ajay Banga on #IndusWaterTreaty Suspension… pic.twitter.com/6bbiZpKf0o
— PIB India (@PIB_India) May 9, 2025
-
પાકિસ્તાન સાથે તણાવ વધતા પોરબંદર પોલીસ બની સતર્ક
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા પોરબંદરના દરિયાકાંઠે સઘન ચેકિંગ કરાયું. દરિયાકિનારે બોટના પાર્કિંગ વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, માછીમારી કરતી તમામ બોટની અંદર ચેકિંગ કરાયું. આ ઉપરાંત, દરિયામાં માછીમારી કરવા જતી તેમજ પાછી ફરતી બોટ ઉપર પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. જેનાથી આતંકી પ્રવૃત્તિ કે દેશવિરોધી પ્રવૃત્તિને વેગ ન મળે અને રાજ્યની સાથે દેશની સુરક્ષા જોખમાય નહીં. પોલીસ દ્વારા દરિયાકાંઠાના રહેણાંક વિસ્તારોમાં પણ સઘન સર્ચ કરાયું.. તેમજ લોકોને અપીલ કરાઈ કે, અજાણ્યા લોકો કે શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસનો સંપર્ક કરે.
-
RSS એ ઓપરેશન સિંદૂર પર આપી પહેલી પ્રતિક્રિયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઓપરેશન સિંદૂર અંગે નિવેદન આપવામાં આવ્યુ છે. કહેવામાં આવ્યુ કે પહેલગામમાં થયેલી કાયરતાપૂર્ણ આતંકવાદી ઘટના પછી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ અને તેમના સમર્થક પર્યાવરણ સામે નિર્ણાયક કાર્યવાહી “ઓપરેશન સિંદૂર” કરવા બદલ ભારત સરકાર અને સશસ્ત્ર દળોના નેતૃત્વને હાર્દિક અભિનંદન. હિન્દુ યાત્રાળુઓના ક્રૂર હત્યાકાંડમાં પીડિત પરિવારો અને સમગ્ર રાષ્ટ્રને ન્યાય અપાવવા માટે લેવામાં આવી રહેલી આ કાર્યવાહીથી સમગ્ર રાષ્ટ્રના આત્મસન્માન અને હિંમતમાં વધારો થયો છે. અમે એમ પણ માનીએ છીએ કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ, તેમના માળખાગત સુવિધાઓ અને સહાયક પ્રણાલી સામે કરવામાં આવી રહેલી લશ્કરી કાર્યવાહી દેશની સુરક્ષા માટે જરૂરી અને અનિવાર્ય પગલું છે. રાષ્ટ્રીય સંકટની આ ઘડીમાં, આખો દેશ તન, મન અને ધનથી સરકાર અને સશસ્ત્ર દળોની સાથે ઉભો છે.
-
આરોગ્ય મંત્રી જેપી નડ્ડા આરોગ્ય સુવિધાઓને લઇને આરોગ્ય મંત્રાલય સાથે કરશે બેઠક
Union Health Minister JP Nadda to take the review meeting with Senior officers of the health Ministry on health infrastructure and preparedness: Official Sources (File Pic)#IndiaPakistanWar #IndiaPakistanWar2025 #IndianArmy #IndiaPakistanTensions #IndiaAttacksPakistan #LOC… pic.twitter.com/SFcVWR3uMT
— Tv9 Gujarati (@tv9gujarati) May 9, 2025
-
વડાપ્રધાન મોદીએ ગુજરાતની સ્થિતિની કરી સમીક્ષા
વડાપ્રધાન મોદીએ ગુજરાતની સ્થિતિની સમીક્ષા કરી. PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી.
-
IPL 2025ને કરાઇ સ્થગિત
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ બીસીસીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ આઈપીએલને સ્થિગત કરવામાં આવી છે. બીસીસીઆઈ ટુંક સમયમાં આની જાહેરાત કરી શકે છે. બુધવારના રોજ પાકિસ્તાને ભારતના અનેક શહેરોમાં ડ્રોન અટેક કર્યો હતો. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા મિસાઈલ અને ડ્રોનથી અટેક કર્યો હતો પરંતુ આ હુમલાની અસર આઈપીએલ પર જોવા મળી હતી. આઈપીએલની 58મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટ્લસ વચ્ચે ધર્મશાળામાં રમાઈ રહી હતી. તેને પણ અધવચ્ચે બંધ કરવાની ફરજ પડી હતી.
-
અમિત શાહ BSF ના ડાયરેક્ટર જનરલ અને CISF ના ડાયરેક્ટર જનરલ સાથે કરશે બેઠક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ બપોરે 12:30 વાગ્યે BSF ના ડાયરેક્ટર જનરલ, CISF ના ડાયરેક્ટર જનરલ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે સરહદની સ્થિતિ અને એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવશે.
Union Home Minister #AmitShah to convene a meeting at 12:30 pm with the Director General of #BSF, the Director General of CISF, and senior officials of the Ministry of Home Affairs to review the border situation and airport security arrangements. #IndiaPakistanWar…
— Tv9 Gujarati (@tv9gujarati) May 9, 2025
-
દેશભરમાં પૂરતો ઇંધણ સ્ટોક-ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ
ઇન્ડિયન ઓઇલ કોર્પો. લિમિટેડ કહે છે કે, “ઇન્ડિયન ઓઇલ પાસે દેશભરમાં પૂરતો ઇંધણ સ્ટોક છે અને અમારી સપ્લાય લાઇન સરળતાથી કાર્યરત છે. ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી – ઇંધણ અને LPG અમારા બધા આઉટલેટ્સ પર સરળતાથી ઉપલબ્ધ છે.”
Indian Oil Corp Ltd says, “Indian Oil has ample fuel stocks across the country and our supply lines are operating smoothly. There is no need for panic buying -fuel and LPG are readily available at all our outlets.” #IndiaPakistanWar #IndiaPakistanWar2025 #IndianArmy… pic.twitter.com/m7gIXo9Zo5
— Tv9 Gujarati (@tv9gujarati) May 9, 2025
-
દેવભૂમિદ્વારકામાં બ્લેકઆઉટ જેવી સ્થિતિ
દેવભૂમિદ્વારકામાં બ્લેકઆઉટ જેવી સ્થિતિ છે. ખંભાળિયા અને દ્વારકામાં તમામ સ્ટ્રીટ લાઇટો બંધ કરાઈ. ખંભાળિયા આસપાસ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.
-
BSFના જવાનોએ 7 આતંકવાદીઓને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીર : સાંબામાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. BSFના જવાનોએ 7 આતંકવાદીઓને ઠાર કર્યા. આતંકવાદીઓ સાંબામાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.
#WATCH | On 8-9 May 2025, BSF foiled a major infiltration bid at the International Boundary in Samba district, J&K by killing at least seven terrorists and causing extensive damage to the Pakistan Post Dhandhar, says BSF.
(Source: BSF) pic.twitter.com/c2MWOUuvQs
— ANI (@ANI) May 9, 2025
-
ગુજરાત સરકારે તમામ આરોગ્ય કર્મચારીઓની રજા રદ કરી
ગુજરાત સરકારે તમામ આરોગ્ય કર્મચારીઓની રજા રદ કરી છે. દેશમાં સર્જાયેલી આકસ્મિક પરિસ્થિતિના કારણે રજા રદ કરાઈ. તમામ તબીબો, પેરા મેડિકલના અધિકારી, કર્મચારીઓને હેડ ક્વાર્ટર પર જવા સૂચના અપાઇ છે. નવો આદેશ ન આવે ત્યાં સુધી હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ અપાયા.
-
પંજાબઃ હોશિયારપુરમાં પાકિસ્તાનની મિસાઈલ તોડી પડાઈ
પંજાબઃ હોશિયારપુરમાં પાકિસ્તાનની મિસાઈલ તોડી પડાઈ. કમાહી દેવીના રામપુર ગામમાં પાક.ની મિસાઈલ તોડી પડાઈ છે. અહીંના આર્મી કેમ્પે રડારથી મિસાઈલને નાકામ કરી. જાનમાલને કોઈ નુકસાન નહીં. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી. ચાઈનીઝ બનાવટની PL-15 મિસાઈલ મળી.
-
રાજસ્થાનના જેસલમેરમાં જીવતો બોમ્બ મળ્યો
જેસલમેરના કિશનઘાટ વિસ્તારમાં એક જીવતો બોમ્બ મળી આવ્યો, કિશનઘાટ નજીક આવેલી નર્સરીની સામે જોગીઓની વસાહતમાં એક બોમ્બ મળી આવ્યો હતો. પ્રત્યક્ષદર્શી અર્જુન નાથે કિશનઘાટ સરપંચના પ્રતિનિધિ કલ્યાણરામને જાણ કરી. કલ્યાણ રામે કંટ્રોલ રૂમ દ્વારા પોલીસને જાણ કરી, શુક્રવારે સવારે પોલીસ અને વાયુસેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બોમ્બ જ્યાંથી મળ્યો હતો તે જગ્યા સીલ કરી દેવામાં આવી હતી. આ ઘટના ગઈકાલે રાત્રે 10:30 વાગ્યે પાકિસ્તાન દ્વારા જેસલમેર પર કરવામાં આવેલા હુમલા દરમિયાન બની હોવાનું કહેવાય છે.
-
રાજસ્થાન: જેસલમેરમાં ડ્રોન હુમલાનો બીજો પ્રયાસ, ભારતે તેને નિષ્ફળ બનાવ્યો
રાજસ્થાનના જેસલમેરના રામગઢમાં વહેલી સવારે ડ્રોન હુમલાનો ફરી એક પ્રયાસ થયો. આ પ્રયાસ સવારે 4.30 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો. આ હુમલો બીએસએફ વિસ્તાર પર થયો હતો. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ સમયસર ડ્રોનને તોડી પાડ્યું. સરહદી વિસ્તાર રામગઢ હજુ પણ નિશાન પર છે. રામગઢને જેસલમેરનો સૌથી સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે.
-
10 મેએ લેવાનારી CA ફાઇનલની પરીક્ષા સ્થગિત
10 મેએ લેવાનારી CA ફાઇનલની પરીક્ષા સ્થગિત
Institute of Chartered Accountants of India – ICAI tweets, “Important Announcement-In view of the tense security situation in the Country, the remaining papers of #CAFinal, Intermediate & PQC Examinations [International Taxation–Assessment Test (INTT AT)] May 2025 from 9th May… pic.twitter.com/YQGYVAl6pu
— Tv9 Gujarati (@tv9gujarati) May 9, 2025
-
જામનગરઃ પાકિસ્તાનના હુમલા બાદ સરહદી વિસ્તારમાં સર્તકતા
- જામનગરઃ પાકિસ્તાનના હુમલા બાદ સરહદી વિસ્તારમાં સર્તકતા
- દરિયામાં ગયેલા માછીમારોને બંદર પરત જવા સૂચના
- જામનગરના સચાણા બંદર પર માછીમારોને સાવચેત કરાયા
- દરીયાકાંઠે શંકાસ્પદ ગતિવિધિ જણાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવા સૂચના
- તમામ બોટનું સઘન ચેકિંગ
- મરીન પોલીસ, મરીન કમાન્ડો, SOG સહીતની ટીમોએ વધારી સુરક્ષા
- નાઈટ પેટ્રોલીંગ કાંઠા વિસ્તારોમા વધારવામા આવી
- રાત્રી દરમ્યાન પોલીસ દ્વારા સચાણા બંદર પર માછીમારો સાવચેત રહેવા સુચના
-
Stock Market Update: pen Interest સૂચવે છે કે બજાર આજના નીચા સ્તરને તોડી શકે
Open Interest સૂચવે છે કે બજાર આજના નીચા સ્તરને તોડી શકે છે અને થોડો વધુ નીચે જઈ શકે છે.
-
સુરતના દરિયાકિનારે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
સુરતના દરિયાકિનારે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. સુરતની તમામ પોલીસ ટીમને એલર્ટ રહેવા આદેશ અપાયા. પોલીસ કમિશનરે તમામ ટીમને એલર્ટ રહેવા આદેશ આપ્યો.
-
Stock Market Update: બજારમાં હાલમાં નીચે તરફનો ટ્રેન્ડ, FnO ના 220 માંથી 198 શેર હજુ પણ ઘટાડા સ્થિતિમાં
બજારમાં હાલમાં નીચે તરફનો ટ્રેન્ડ છે. FnO ના 220 માંથી 198 શેર હજુ પણ ઘટાડા સ્થિતિમાં છે.
-
Stock Market Update: જો નિફ્ટી આજના નીચા સ્તરને તોડે, તો તે 23800 અથવા 23850 સુધી જઈ શકે
જો નિફ્ટી આજના નીચા સ્તરને તોડે છે, તો તે 23800 અથવા 23850 સુધી જઈ શકે છે. આગામી મજબૂત સપોર્ટ આ બે સ્તરો પર છે.
-
કચ્છ: ભારત-પાક.ના વધતા તણાવને લઈ નિર્ણય
કચ્છ: ભારત-પાક.ના વધતા તણાવને લઈ સેનાના હવાલે કરવામાં આવ્યું ભુજ એરપોર્ટ. સામાન્ય લોકો માટે ભુજ એરપોર્ટ કરાયું બંધ. 1971નાં યુદ્ધ સમયે ભુજ એરબેઝને બનાવ્યું હતું નિશાન. ભુજ એરબેઝની એરસ્ટ્રીપને પહોંચાડ્યું હતું નુકસાન.જમીન, દરિયાઈ અને હવાઈ સીમાઓથી જોડાયેલું છે કચ્છ.
-
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ, મુંબઈમાં પોલીસ એલર્ટ પર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, મુંબઈમાં જાહેર સ્થળોએ પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા અને તાજ હોટેલ પર પોલીસ એલર્ટ મોડ પર છે. મુંબઈમાં ઘણા જાહેર સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તણાવને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે તમામ પોલીસકર્મીઓને નવી રજાઓ આપવા પર પ્રતિબંધ મૂક્યો.
-
વલસાડ: પાકિસ્તાનની તરફેણ કરનાર યુવકની ધરપકડ
વલસાડ: પાકિસ્તાનની તરફેણ કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી. “પાકિસ્તાનને ઇન્ડિયા કે દો જહાજ ગિરાયે” કહી અટ્ટહાસ્ય કર્યું. યુવકનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી. યુવકના સહકર્મીએ પોતાના ફોનમાં વીડિયો ઉતાર્યો હતો. વીડિયોના આધારે ફરિયાદ નોંધાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે વાપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
Stock Market Update: કરાચી સ્ટોક એક્સચેન્જ ફરી ડાઉન..
કરાચી સ્ટોક એક્સચેન્જ ફરી ડાઉન.. પહેલગામ હુમલા પછી પણ નીચે રહ્યું હતુ. બે દિવસમાં તેમાં 10%નો ઘટાડો નોંધાયો
-
કચ્છના કોટેશ્વર બોર્ડર વિસ્તારમાં શંકાસ્પદ આકાશી ગતિવિધિ દેખાઈ
કચ્છના કોટેશ્વર બોર્ડર વિસ્તારમાં શંકાસ્પદ આકાશી ગતિવિધિ દેખાઈ. લખપતમાં ડ્રોન જેવી વસ્તુઓ દેખાઈ. કચ્છના મોટા ભાગના વિસ્તારમાં બ્લેક આઉટ. કોટેશ્વર મંદિર પણ બપોર બાદ અગમચેતી રૂપે બંધ કરાયું. લખપતના કોરિયાણી દરિયાઈ સરહદ નજીક ડ્રોન મળ્યાના સમાચાર સામે આવ્યા છે.
-
ચંદીગઢમાં વાગી રહી છે સાયરન, લોકોને ઘર બહાર ન નીકળવા કરાઇ અપીલ
ચંદીગઢમાં વાગી રહી છે સાયરન, લોકોને ઘર બહાર ન નીકળવા કરાઇ અપીલ કરવામાં આવી છે. મોહાલી તંત્ર દ્વારા આ અપીલ કરવામાં આવી છે. લોકોને સાવચેતી રાખવા કહેવામાં આવ્યુ છે.
-
ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિમાં સુરત એલર્ટ
ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિમાં સુરત એલર્ટ પર છે. સુરત કલેકટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરાશે. વોર રૂમ સાથે પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે. વોર રૂમ ખાતેથી સીધો કેન્દ્ર સરકાર સાથે સંપર્ક કરી શકાશે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઇદળ સાથે સંપર્ક કરી શકાશે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ કામ કરવા વહીવટીતંત્ર તૈયાર છે. NCC, NSS સાથે યોજાશે મહત્વની બેઠક મળશે.
-
પાકિસ્તાન સુપર લીગની તમામ મેચ UAEમાં શિફ્ટ કરાઇ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ત્યારે પાકિસ્તાન સુપર લીગની તમામ મેચ UAEમાં શિફ્ટ કરાઇ છે.
-
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની 8 મિસાઇલ તોડી પાડી
પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં રાતભર પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. જો કે ભારતે પાકિસ્તનના તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની 8 મિસાઇલ ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવી છે.
-
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠક
ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાત એલર્ટ જાહેર કરાયા છે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠક છે. સવારે 10-30 વાગ્યે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક યોજાશે. રાજ્ય સરકારના પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ રાજ્યની વર્તમાન સ્થિતિને લઇને સમીક્ષા કરશે.
-
Stock Market News: પ્રી-ઓપનમાં નિફ્ટી 50, 347 પોઈન્ટ ડાઉનથી ખુલ્યું
નિફ્ટી 50 પ્રી-ઓપન 347 પોઈન્ટ ડાઉનથી ખુલ્યું છે.
-
બનાસકાંઠા જિલ્લામાં યુદ્ધની પરિસ્થિતિના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
બનાસકાંઠા જિલ્લામાં યુદ્ધની પરિસ્થિતિના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે, જેમાં અધિકારીઓ અને તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવા અને તલાટીઓને ફરજિયાત ગ્રામ પંચાયતમાં હાજર રહેવા આદેશ આપાયો છે; તેમજ તલાટીઓએ ગ્રામજનોને સાવચેતી અને સુરક્ષા બાબત માહિતગાર કરવાની સૂચના અપાઈ છે. ભુજ અને જેસલમેરમાં થયેલા ડ્રોન હુમલાઓના પગલે બનાસકાંઠાને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યો છે અને સરહદના ગામડાઓમાં પોલીસ પેટ્રોલિંગ સહિતની ગતિવિધિઓ તેજ બનાવાઈ છે. SPએ મોડી રાત્રે સુઈગામ વિસ્તારના ગામડાઓની મુલાકાત લીધી હતી અને સરપંચો તથા સ્થાનિક આગેવાનોના ફોન નંબર પણ મેળવવામાં આવ્યા છે. તંત્ર સ્થળાંતરની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર થયું છે અને બોર્ડર સુરક્ષા તેમજ સરહદી વિસ્તારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સરહદી ગામડાઓના લોકોનો જુસ્સો યથાવત્ રહ્યો છે.
-
સાંબા સેક્ટરમાં પાકનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
જમ્મુ કાશ્મીરના રાજૌરી, પૂંછમાં ગોળીબાર થઇ રહ્યો છે.LoC પર એક બાદ એક વિસ્ફોટના અવાજ સંભળાઇ રહ્યા છે. બંને દેશો વચ્ચે મધરાતથી મોટાપાયે ગોળીબાર થઇ રહ્યો છે. સાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરાયો છે. ઘૂસણખોરીના પ્રયાસને BSFએ નાકામ બનાવ્યો.
-
પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યાનો video ભારતીય સેનાએ કર્યો જાહેર
પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યાનો video ભારતીય સેનાએ જાહેર કર્યો છે.
Indian Army says, “Pakistan Armed Forces launched multiple attacks using drones and other munitions along entire Western Border on the intervening night of 8 and 9 May 2025. Pak troops also resorted to numerous cease fire violations (CFVs) along the Line of Control in Jammu and… pic.twitter.com/5eMWup5sxo
— Tv9 Gujarati (@tv9gujarati) May 9, 2025
-
અમૃતસરમાં હવાઈ હુમલાનું એલર્ટ જાહેર, વાગી રહ્યા છે સાયરન
અમૃતસરમાં હવાઈ હુમલાની ચેતવણી ચાલુ છે, સતત સાયરન વાગી રહ્યા છે, શાળાઓ બંધ રાખવામાં આવી છે.
-
આજે ભુજ-ગાંધીધામના માર્ગની ટ્રેન રદ
સરહદ પર તંગ દિલને લઈને ટ્રેન નં. 94802 ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ્દ થઇ છે. આજરોજ ભુજ-ગાંધીધામના માર્ગની ટ્રેન રદ કરી છે. આ ટ્રેન સવારે 6.05 કલાકે રાબેતા મુજબ ગાંધીધામથી ઉપડશે. ભુજમાં એરપોર્ટ બંધ થયા બાદ રેલમાર્ગ ખોરવાયો છે.
-
ભારત સરકારના આદેશ પર X પર 8000 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા
ભારત સરકારના આદેશ પર X પર 8000 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા X એ માહિતી આપી છે કે સરકારના એક્ઝિક્યુટિવ ઓર્ડરને પગલે તેણે ભારતમાં 8000 એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે.
-
ભારતે પાકિસ્તાનના 50થી વધુ ડ્રોન તોડી પાડ્યા
ગઈકાલે રાત્રે, પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદો પર અનેક સ્થળોએ સ્વોર્મ ડ્રોન મોકલ્યા, જેને એન્ટી-ડ્રોન ઓપરેશન દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નાગરોટા અને પઠાણકોટમાં ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમોએ મોટા પાયે ડ્રોન વિરોધી કાર્યવાહી હાથ ધરી અને 50 થી વધુ ડ્રોનને તોડી પાડ્યા. આ અથડામણમાં L-70 તોપો, Ju-23 mm, શિલ્કા સિસ્ટમ્સ અને અન્ય અદ્યતન કાઉન્ટર-UAS સાધનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી હવાઈ ખતરોનો સામનો કરવાની સેનાની મજબૂત ક્ષમતા દર્શાવવામાં આવી.
-
ભારત-પાક તણાવ પર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, પરિસ્થિતિ ઝડપથી શાંત થાય
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે એક ઇન્ટરવ્યુમાં એક મોટું નિવેદન આપ્યું છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું કે અમારા રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધું છે કે અમે શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને શાંત કરવા માંગીએ છીએ. આપણે એવા યુદ્ધમાં પડવાના નથી જે મૂળભૂત રીતે આપણા કાર્યક્ષેત્રમાં નથી.
-
જમ્મુ-કાશ્મીરમાં ફરી બ્લેકઆઉટ, સતત વાગતા સાયરન
જમ્મુના સંવેદનશીલ વિસ્તારોમાં ફરીથી બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં સાયરનનો અવાજ ગુંજી રહ્યો છે. પાકિસ્તાન તરફથી ગોળીબાર બાદ જમ્મુ વિસ્તારમાં ફરી એકવાર અંધારપટ છવાઈ ગયો છે. માત્ર જમ્મુ જ નહીં, જમ્મુ વિભાગના રાજૌરી, પૂંછ અને સાંબામાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.
-
જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક વિસ્ફોટોના અવાજ સંભળાયા
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. દરમિયાન, મોડી રાત્રે, જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) નજીક વિસ્ફોટોના અવાજો સંભળાયા. આખા વિસ્તારમાં અંધારું છે.
-
India Pakistan War News LIVE : ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, PoKના કોટલીમાં ડ્રોન અને તોપથી હુમલો
ભારતે PoKના કોટલીમાં મોટો હુમલો કરીને પાકિસ્તાન સામે બદલો લીધો. ભારતે તોપો અને ડ્રોન બંનેથી હુમલો કર્યો છે. આ બદલાની કાર્યવાહીમાં મોટા પાયે નુકસાન થયાની શક્યતા છે.
-
India Pakistan War News LIVE : PoKના મુઝફ્ફરાબાદ શહેરમાં મોટો વિસ્ફોટ, આખા શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના મુઝફ્ફરાબાદ શહેરમાં એક જોરદાર વિસ્ફોટ થયો છે. જેના કારણે સમગ્ર શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ અને અંધારપટ છવાઈ ગયો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ મુઝફ્ફરાબાદની હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.
-
પાકિસ્તાનમાં ઈમરાનખાનના સમર્થકો સરકારની વિરુદ્ધ ઉતર્યા રોડ પર
ભારત પર હુમલો કરીને ભરાઈ ગયેલા પાકિસ્તાનમાં ઈમરાનખાનના સમર્થકો હવે શાહબાઝ શરીફની સરકારની વિરુદ્ધમાં રોજ પર ઉતર્યાં છે. સરકાર વિરુદ્ધ અને ઈમરાન તરફી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
-
ડ્રોન અને તોપથી ભારતનો PoK માં ભારે હુમલો
ભારતે પીઓકેમાં મોટો બદલો લેવાનો પ્રયાસ કર્યો છે. ડ્રોન અને તોપમાંથી ગોળા છોડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ડ્રોનનો ઉપયોગ કરીને વળતો હુમલો પણ કરવામાં આવ્યો હતો. ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
-
પાકિસ્તાનના 15 શહેરમાં ભારતનો એકસાથે હલ્લાબોલ
પાકિસ્તાનને ભૂતકાળમાં ક્યારેય પણ ના થઈ એટલી ખુવારીનો વારો આવે તેવી સ્થિતિ ભારતે સર્જી દીધી છે. એક વાર છોડ્યા બાદ ફરી હુમલો કરવાનુ દુસાહસ કરનાર પાકિસ્તાનને 10 પેઢી ના ભૂલે તેવો માર આપવા ભારતે કમ્મર કસી લીધી છે. ભારતે એક સાથે પંદર શહેર પર હલ્લાબોલ કર્યો છે.
-
લાહોર, પેશાવર, સિયાલકોટ, ઈસ્લામાબાદ બાદ હવે કરાચીનો વારો, બંદરને મેદાનમા ફેરવી નાખશે ભારત
ભારતે પાકિસ્તાન સામે બદલો લીધો છે અને કરાચી બંદરને ખેદાનમેદાન કરી નાખ્યું છે. પાકિસ્તાનને તેના દુષ્કૃત્યની ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.
-
ભારતનો કરાચી બંદર પર હુમલો, નેસ્તનાબૂદ કરાયું
પાકિસ્તાનને વળતા જવાબ રૂપે ભારત દ્વારા કરાઈ રહેલા હુમલામાં, કરાચી બંદરનો પણ ખુરદો બોલાવી દેવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારતે પાકિસ્તાનના સૌથી મોટા બંદર કરાચીમાં ઠેર ઠેર હુમલો કરીને બંદર ઉપરની કામગીરીને ભારે અસર કરી છે.
-
પાકિસ્તાન સેના પર BLAનો હુમલો
ભારતના વળતા પ્રહાર વચ્ચે BLA એ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો કર્યો છે. BLA પાકિસ્તાનની ગેસ પાઇપલાઇન ઉડાવી દેવામાં દીધી છે.
-
India Pakistan War News LIVE : ભારતના વળતા પ્રહારથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન, આતંરરાષ્ટ્રીય સમૂહ પાસે માંગી મદદ
ભારત પર 24 કલાકમાં નિષ્ફળ હુમલો કર્યા બાદ હવે પાકિસ્તાન પસ્તાઈ રહ્યું છે. ભારતના વળતા આક્રમણને ખાળી ના શકનાર પાકિસ્તાને અનેક ક્ષેત્રે પારવાર નુકસાનનો સામનો કરી રહ્યું છે. ભારતના હુમલાથી પાકિસ્તાન રીતસરનું ફફડી રહ્યું છે. પાકિસ્તાને આતંરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદ માગી છે.
-
India Pakistan War News LIVE : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, સરહદી પરિસ્થિતિ અંગે બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ સાથે વાત કરી છે. તેમણે એરપોર્ટની સુરક્ષા અંગે CISFના ડાયરેક્ટર જનરલ સાથે પણ વાત કરી.
-
India Pakistan War News LIVE : સંરક્ષણ મંત્રાલયનું નિવેદન, પાકિસ્તાનના તમામ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા, કોઈ જાનહાની નહીં
પાકિસ્તાન દ્વારા ભારત ઉપર કરવામાં આવેલા હુમલા અંગે સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, આજે પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોએ જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતા. SOP મુજબ પાકિસ્તાનના આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનના હુમલાથી કોઈ જાનહાનિ કે નુકસાન થયાના અહેવાલ નથી. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને પોતાના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
-
India Pakistan War News LIVE : ભારતે પાકિસ્તાનના તોડી પાડેલા ફાઈટર જેટના પાઈલટને જીવતો પકડ્યો
ભારતે, પાકિસ્તાનના તોડી પાડેલા ફાઈટર જેટ વિમાનનો પાઈલટ રાજસ્થાન પાસેથી જીવતો પકડી પાડવામાં આવ્યો છે.
-
India Pakistan War News LIVE : ગુજરાતના ભુજ, કેશોદ, પોરબંદર સહીત 28 એરપોર્ટ બંધ કરાયા
પાકિસ્તાનને વળતો જવાબ આપવા અને ભારતીય હવાઈદળને વધુ સરળતા સાનુકુળતા કરવા માટે દેશના 28 એરપોર્ટ બંધ કરી દેવાયા છે. જેમાં ગુજરાતના ભુજ, કેશોદ, પોરબંદર એરપોર્ટનો પણ સમાવેશ થાય છે.
-
અમદાવાદ એરપોર્ટ સહીત ગુજરાતના સંવેદનશીલ જિલ્લામાં એલર્ટ
પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગુજરાતમાં અમદાવાદના એરપોર્ટ સહીત પાકિસ્તાન બોર્ડર નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.
-
અરબ સાગરમાં ભારતીય નૌકાદળ આવ્યુ એકશનમાં
પાકિસ્તાને બીજીવાર કરેલા હુમલાને નિષ્ફળ બનાવ્યા બાદ, ભારતે કરેલા વળતા હુમલામાં અનેક શહેરોમાં તબાહી મચાવી દીધી છે. ભારતીય વાયુદળે મિસાઈલ અને ડ્રોનથી કરેલા હુમલાઓ બાદ, અરબ સાગરમાં ભારતીય નૌકાદળ પણ સક્રીય થયું છે. અરબ સાગરમાં નૌકાદળના લડાકુ જહાજ આંતરરાષ્ટ્રીય મરિનલાઈન નજીક પહોચી રહ્યાં છે.
-
ભારતે અત્યાર સુધી સયંમ રાખ્યો, પાકિસ્તાને તોડી લક્ષ્મણરેખા, હવે કરીશુ ખેદાન મેદાન
વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ટેલિફોનીક વાત કરી છે. આ પછી, એસ. જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર કરેલ એક પોસ્ટમાં કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે કામ કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું.
-
પાકિસ્તાનની દરેક કાર્યવાહીનો વળતો જવાબ આપીશું: એસ. જયશંકર
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે, અમેરિકાના વિદેશ પ્રધાન સાથે વાત કરી. એસ જયશંકરે અમેરિકાને કહ્યું કે હુમલાની શરુઆત પાકિસ્તાને કરી છે, ભારત પાકિસ્તાનના તમામ હુમલાનો વળતો જવાબ આપશે.
Had a telecon with DPM & FM @Antonio_Tajani of Italy.
Discussed India’s targeted and measured response to firmly counter terrorism. Any escalation will see a strong response.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 8, 2025
-
ભારતે મુલતાન, ફેસલાબાદની એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડી
ભારતે કરેલા વળતા હુમલામા પાકિસ્તાનના મુલતાન અને ફેસલાબાદની એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડી છે. આ સિસ્ટમ તોડી નાખ્યા બાદ, હવે તમામ મથકો ભારતના નિશાને આવી ગયા છે.
-
ભારતનો ઈસ્લામાબાદ, લાહોર, સિયાલકોટમાં મોટાપાયે મિસાઈલ હુમલો
પાકિસ્તાનના બીજા હુમલાને નિષ્ફળ બનાવીને ભારતે વળતો પ્રહાર કર્યો છે. ભારતે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ, લાહોર અને સિયાલકોટમાં ભારે મિસાઈલ મારો કર્યો છે.
-
સિયાલકોટમાં મિસાઈલ હુમલો કરીને પાકિસ્તાનની AWACS સિસ્ટમ તબાહ કરતુ ભારત
ભારતે સિયાલકોટમાં પણ હુમલો કર્યો છે. ભારતે સિયાલકોટમાં મિસાઈલ હુમલો કરીને પાકિસ્તાનની AWACS સિસ્ટમને તબાહ કરી નાખી છે. સિયાલકોટની સાથે લાહોરમાં પણ ભારતે મિસાઈલથી હુમલો કર્યો છે.
-
ભારતનો વળતો પ્રહાર, લાહોરમાં મિસાઈલથી કર્યો હુમલો
પાકિસ્તાનના બીજા હવાઈ હુમલાને નિષ્ફળ બનાવ્યા બાદ, ભારતે પાકિસ્તાન પર વળતો પ્રહાર કર્યો છે. લાહોરમાં મિસાઈલ ફેકી છે.
-
PM મોદી, NSA અજીત ડોવાલ વચ્ચે તાકીદ બેઠક
પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં બીજીવાર ડ્રોન અને મિસાઈલથી કરેલા હુમલાને લઈને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનએસએ અજીત ડોવાલ વચ્ચે તાકીદની બેઠક યોજાઈ હતી.
-
ગુજરાતથી લઈને જમ્મુ કાશ્મીર સુધી પાકિસ્તાનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં બ્લેક આઉટ
જમ્મુ અને કાશ્મીરથી લઈને ગુજરાત સુધીના સરહદી જિલ્લાઓ અને એર સ્ટેશન વિસ્તારોમાં બ્લેકઆઉટ રહેશે. શ્રીનગર, મોહાલી, પંચકુલા અને ચંદીગઢમાં સંપૂર્ણ બ્લેક આઉટ છે. જ્યારે, રાજસ્થાનના જોધપુરમાં બ્લેકઆઉટ રહેશે.
-
રાજનાથસિંહે સેનાની ત્રણેય પાંખના વડા સાથે યોજી તાકીદની બેઠક
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે, સેનાની ત્રણેય પાંખના વડા, સીડીસી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી છે.
Published On - May 08,2025 9:42 PM





