Ahmedabad Breaking News: પદભાર સંભાળતા જ મેયર એક્શનમાં! ખારીકટ કેનાલની કામગીરીનું મેદાનમાં જઈ કર્યું નિરીક્ષણ
અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર હિતેશ બારોટે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે એક્શન મોડમાં જોવા મળ્યા હતા. શહેરમાં ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તેમણે સીધી મેદાની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા શરૂ કરી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર હિતેશ બારોટે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે એક્શન મોડમાં જોવા મળ્યા હતા. શહેરમાં ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તેમણે સીધી મેદાની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા શરૂ કરી છે.
મેયર હિતેશ બારોટે વસ્ત્રાલ વિસ્તારમાં ચાલી રહેલી ખારીકટ કેનાલ સંબંધિત કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે અધિકારીઓ અને સંબંધિત કાર્યકરો સાથે ચર્ચા કરી અને કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો
મેયરે ખાસ કરીને ચોમાસા પહેલાં તમામ જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ મજબૂત બને અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેનાલ સાથે જોડાયેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મુલાકાત દરમિયાન મેયરે અધિકારીઓને કામગીરીની ગુણવત્તા જાળવવા તેમજ સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. અમદાવાદમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે.
નવનિયુક્ત મેયરના આ સક્રિય અભિગમને કારણે શહેરના વિકાસ અને વરસાદી સિઝનમાં રાહત માટેની કામગીરીને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
Breaking News : બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સર તૌસીફ પાંચભાયાએ વિવાદ છંછેડ્યો, ઉહાપોહ મચતાં બાદમાં માફી માંગી!
