AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips : જો તમારા બાળકનું ધ્યાન કોઈ કામમાં રહેતું નથી તો માનસિક બીમારી હોય શકે છે

બાળકને આ બધી સમસ્યાઓ હોય અને તેના ઘરમાં તણાવનું વાતાવરણ હોય તો આ રોગ ખૂબ જ વધવા લાગે છે. જેમાં બાળકોની અંદર ઘણા ગંભીર લક્ષણો પણ આવવા લાગે છે. ADHD માટે કોઈ નિર્ધારિત સારવાર નથી. બાળકોનું કાઉન્સેલિંગ કરીને અને વિવિધ માધ્યમો દ્વારા લક્ષણોને દૂર કરીને આ રોગને સુધારી શકાય છે.

Parenting Tips : જો તમારા બાળકનું ધ્યાન કોઈ કામમાં રહેતું નથી તો માનસિક બીમારી હોય શકે છે
If your child's attention is not focused on any work, then there may be mental illness(Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 8:15 AM
Share

જો તમારું બાળક(Child ) કોઈપણ કામ કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ એક માનસિક(Mental ) સમસ્યાની નિશાની છે, જેને તબીબી ભાષામાં એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) કહેવાય છે. આ રોગને કારણે બાળકના મગજનો વિકાસ અન્ય સામાન્ય બાળકોની સરખામણીમાં યોગ્ય રીતે થઈ શકતો નથી.

આ કારણે તે કોઈપણ કામ યોગ્ય રીતે કરી શકતો નથી. પ્રારંભિક તબક્કામાં, માતાપિતા બાળકોમાં આ સમસ્યાને અવગણે છે. જેના કારણે પાછળથી આ સમસ્યા ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. તબીબોના મતે બાળપણમાં મગજની કોઈપણ ઈજા, આનુવંશિક કારણો અને ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું મગજ વિકસિત ન થાય તો તે આ રોગનો ભોગ બની શકે છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અનુસાર, ADHDની સમસ્યા મોટાભાગે પ્રી-સ્કૂલ બાળકોમાં જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં, આ રોગ કિશોરાવસ્થા અને પુખ્ત અવસ્થામાં પણ થઈ શકે છે. સિનિયર સાઇકિયાટ્રી સ્પેશિયાલિસ્ટ ડૉ.રાજકુમારના જણાવ્યા અનુસાર બાળકોમાં ADHDના લક્ષણો શરૂઆતમાં જ જોવા મળે છે. આ રોગમાં બાળક પોતાનામાં ખોવાયેલ રહે છે. તે કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. એ જ ભૂલવારંવાર કરે છે. બાળક કાં તો બહુ બોલે છે અથવા ઘણીવાર મૌન રહે છે. આ બાળકો અન્ય કોઈ બાળક સાથે સરળતાથી રહી શકતા નથી. ક્યારેક તેઓ અચાનક ગુસ્સે થઈ શકે છે. આવા બાળકોને કંઈપણ યાદ રાખવામાં તકલીફ થાય છે.

જો બાળકને આ બધી સમસ્યાઓ હોય અને તેના ઘરમાં તણાવનું વાતાવરણ હોય તો આ રોગ ખૂબ જ વધવા લાગે છે. જેમાં બાળકોની અંદર ઘણા ગંભીર લક્ષણો પણ આવવા લાગે છે. ADHD માટે કોઈ નિર્ધારિત સારવાર નથી. બાળકોનું કાઉન્સેલિંગ કરીને અને વિવિધ માધ્યમો દ્વારા લક્ષણોને દૂર કરીને આ રોગને સુધારી શકાય છે. આ રોગથી પીડિત બાળકોની સારવાર પણ દવાઓ દ્વારા કરવામાં આવે છે.

  1. આ બાબતો ધ્યાનમાં રાખો
  2. બાળકોને બહાર લઈ જાઓ
  3. તેમને ચા અને કોફીથી દૂર રાખો
  4. ખોરાકમાં પ્રોટીન અને વિટામિન્સ આપો
  5. બાળકો પર ગુસ્સો ન કરો અને તેમને સમજાવો
  6. બાળકોની દિનચર્યાઓ સેટ કરો અને તેમને અનુસરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો :

Health: જો તમને કેળા ખાવા પસંદ છે, તો તેના નુકસાન પણ જાણી લો

Weight Loss: જો આ રીતે વજન ઘટી રહ્યું છે તો તે બિનસ્વાસ્થ્યકારક હોય શકે છે

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">