AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips : જો તમારા બાળકનું ધ્યાન કોઈ કામમાં રહેતું નથી તો માનસિક બીમારી હોય શકે છે

બાળકને આ બધી સમસ્યાઓ હોય અને તેના ઘરમાં તણાવનું વાતાવરણ હોય તો આ રોગ ખૂબ જ વધવા લાગે છે. જેમાં બાળકોની અંદર ઘણા ગંભીર લક્ષણો પણ આવવા લાગે છે. ADHD માટે કોઈ નિર્ધારિત સારવાર નથી. બાળકોનું કાઉન્સેલિંગ કરીને અને વિવિધ માધ્યમો દ્વારા લક્ષણોને દૂર કરીને આ રોગને સુધારી શકાય છે.

Parenting Tips : જો તમારા બાળકનું ધ્યાન કોઈ કામમાં રહેતું નથી તો માનસિક બીમારી હોય શકે છે
If your child's attention is not focused on any work, then there may be mental illness(Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 8:15 AM
Share

જો તમારું બાળક(Child ) કોઈપણ કામ કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ એક માનસિક(Mental ) સમસ્યાની નિશાની છે, જેને તબીબી ભાષામાં એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) કહેવાય છે. આ રોગને કારણે બાળકના મગજનો વિકાસ અન્ય સામાન્ય બાળકોની સરખામણીમાં યોગ્ય રીતે થઈ શકતો નથી.

આ કારણે તે કોઈપણ કામ યોગ્ય રીતે કરી શકતો નથી. પ્રારંભિક તબક્કામાં, માતાપિતા બાળકોમાં આ સમસ્યાને અવગણે છે. જેના કારણે પાછળથી આ સમસ્યા ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. તબીબોના મતે બાળપણમાં મગજની કોઈપણ ઈજા, આનુવંશિક કારણો અને ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું મગજ વિકસિત ન થાય તો તે આ રોગનો ભોગ બની શકે છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અનુસાર, ADHDની સમસ્યા મોટાભાગે પ્રી-સ્કૂલ બાળકોમાં જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં, આ રોગ કિશોરાવસ્થા અને પુખ્ત અવસ્થામાં પણ થઈ શકે છે. સિનિયર સાઇકિયાટ્રી સ્પેશિયાલિસ્ટ ડૉ.રાજકુમારના જણાવ્યા અનુસાર બાળકોમાં ADHDના લક્ષણો શરૂઆતમાં જ જોવા મળે છે. આ રોગમાં બાળક પોતાનામાં ખોવાયેલ રહે છે. તે કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. એ જ ભૂલવારંવાર કરે છે. બાળક કાં તો બહુ બોલે છે અથવા ઘણીવાર મૌન રહે છે. આ બાળકો અન્ય કોઈ બાળક સાથે સરળતાથી રહી શકતા નથી. ક્યારેક તેઓ અચાનક ગુસ્સે થઈ શકે છે. આવા બાળકોને કંઈપણ યાદ રાખવામાં તકલીફ થાય છે.

જો બાળકને આ બધી સમસ્યાઓ હોય અને તેના ઘરમાં તણાવનું વાતાવરણ હોય તો આ રોગ ખૂબ જ વધવા લાગે છે. જેમાં બાળકોની અંદર ઘણા ગંભીર લક્ષણો પણ આવવા લાગે છે. ADHD માટે કોઈ નિર્ધારિત સારવાર નથી. બાળકોનું કાઉન્સેલિંગ કરીને અને વિવિધ માધ્યમો દ્વારા લક્ષણોને દૂર કરીને આ રોગને સુધારી શકાય છે. આ રોગથી પીડિત બાળકોની સારવાર પણ દવાઓ દ્વારા કરવામાં આવે છે.

  1. આ બાબતો ધ્યાનમાં રાખો
  2. બાળકોને બહાર લઈ જાઓ
  3. તેમને ચા અને કોફીથી દૂર રાખો
  4. ખોરાકમાં પ્રોટીન અને વિટામિન્સ આપો
  5. બાળકો પર ગુસ્સો ન કરો અને તેમને સમજાવો
  6. બાળકોની દિનચર્યાઓ સેટ કરો અને તેમને અનુસરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો :

Health: જો તમને કેળા ખાવા પસંદ છે, તો તેના નુકસાન પણ જાણી લો

Weight Loss: જો આ રીતે વજન ઘટી રહ્યું છે તો તે બિનસ્વાસ્થ્યકારક હોય શકે છે

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">