AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં સરકારી અનાજના ગોડાઉનની બદ્દતર હાલત, અનાજમાં જીવાત અને મરેલા ઉંદરનું સામ્રાજ્ય, મેનેજરે કર્યો લુલો બચાવ- Video

વડોદરામાં ફરી એકવાર સરકારી અનાજના ગોડાઉનમાં લોલમલોલ ચાલતી હોવાનું સામે આવ્યુ છે. સરકારી અનાજના ગોડાઉનમાં મરેલા ઉંદર જોવા મળ્યા છે. વડોદરાના ભૂતડી ઝાંપા પાસે આવેલા સરકારી ગોડાઉનમાં પડેલા અનાજમાં ધનેડાનું સામ્રાજ્ય જોવા મળ્યુ તો ક્યાંક મરેલા ઉંદરો પડેલા પણ સામે આવ્યા છે.

Anjali oza
| Edited By: | Updated on: Sep 24, 2024 | 4:21 PM
Share

વડોદરામાં ભૂતડા ઝાંપા નજીક આવેલા સરકારી ગોડાઉનની બદ્તર હાલત જોવા મળી છે. ગોડાઉનમાં મરેલા ઉંદરો અને જીવાતો જોવા મળી. અનાજમાં ધનેડા પડી જતા મોટાભાગનું અનાજ સડી ગયુ છે. આ અંગે સ્થાનિકોએ ગોડાઉનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિકોની સાથે ગોડાઉન પર પહોંચેલી TV9ની ટીમના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે ચિંતાજનક હતા. ગોડાઉનમાં રાખેલા અનાજમાં ધનેરાનું સામ્રાજ્ય હતું તો ક્યાંક મરેલા ઉંદર પણ કેમેરામાં કેદ થયા. સ્થાનિકોનો આરોપ છે કે અનાજની જીવત તેમના ઘરના ખોરાકમાં પડે છે.

ગોડાઉનમાં હાજર મેનેજરનો દાવો છે કે અનાજમાં જીવડા પડવા એ સામાન્ય વાત છે અને આ જીવાત આસપાસના લોકોની પરેશાનીનું કારણ ન બને તે માટે સમયાંતરે દવાનો છટકાવ કરવામાં આવે છે.

તો પ્રજાનો રોષ પારખી ગયેલું તંત્ર પણ દોડતું થયું. પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા, અને ગોડાઉનની સ્થિતિનો તાગ મેળવ્યો. અધિકારીઓ પણ દાવો કરી રહ્યા છે કે સ્થાનિકોની મુશ્કેલીનો અંત લવાશે.

જોકે અહીં સવાલ એ સર્જાય કે અનાજ સડી ગયું હોવાછતાં કેમ તેની તકેદારી રાખવામાં નથી આવતી. અનાજમાં જીવાતનો ઉપદ્રવ સર્જાય ત્યાં સુધી કેમ તંત્ર હાથ પર હાથ ધરીને બેસી રહ્યું. કેમ સ્થાનિકોની ફરિયાદ પર પહેલા ધ્યાન આપવામાં ન આવ્યું. કેમ મીડિયાની એન્ટ્રી થયા બાદ જ તંત્ર દોડતું થયું. આશા રાખીએ સરકારી અનાજ નષ્ટ થાય તે પહેલા ગરીબોના ઘર સુધી પહોંચે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">