Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ આ કારણ આપી સુરત કોર્ટમાં કરી દીધું સરન્ડર

પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ પોતાના વકીલ મારફતે સુરત કોર્ટમાં સરન્ડર કર્યું હતું. નિખિલ સવાણીએ કહ્યું કે ચૂંટણી નજીક હોવાથી પોલીસ ગમે ત્યારે તેની ધરપકડ કરી શકે છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરતમાં થયેલ તોફાન અને આગચંપી જેવા બનાવને લઇ સુરત પોલીસ દ્વારા પાટીદારો પર અસંખ્ય કેસો કરવામાં આવ્યા હતા. જે કેસોમાં પાસના કન્વીનર નિખિલ […]

પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ આ કારણ આપી સુરત કોર્ટમાં કરી દીધું સરન્ડર
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 20, 2019 | 12:23 PM

પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ પોતાના વકીલ મારફતે સુરત કોર્ટમાં સરન્ડર કર્યું હતું. નિખિલ સવાણીએ કહ્યું કે ચૂંટણી નજીક હોવાથી પોલીસ ગમે ત્યારે તેની ધરપકડ કરી શકે છે.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરતમાં થયેલ તોફાન અને આગચંપી જેવા બનાવને લઇ સુરત પોલીસ દ્વારા પાટીદારો પર અસંખ્ય કેસો કરવામાં આવ્યા હતા. જે કેસોમાં પાસના કન્વીનર નિખિલ સવાણીનું નામ બહાર આવ્યું છે.  તેમ છતાં સુરત પોલીસ દ્વારા હમણાં સુધી નિખિલ સવાણીની અટકાયત અથવા ધરપકડ કરવામાં આવી ન હતી. પરંતુ પાટીદાર અનામત આંદોલન દરમિયાન એસટી બસમાં તોડફોડ અને આગચંપીના કેસમાં નિખિલ સવાણીનું નામ બહાર આવતા વકીલ યશવંતસિંહવાળા દ્વારા જાણ કરવામાં આવી. જ્યાં આજ રોજ નિખિલ સવાણી પોતાના પર થયેલાં કેસ મામલે સરન્ડર કરવા સુરત કોર્ટમાં પોતાના વકીલ મારફતે પોહચ્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પોલીસ હેરાન કરવાનો પ્રયાસ કરી રહી છે. હમણાં સુધી મારા પર થયેલા કેસ મામલે મારી કોઈ પણ પ્રકારે અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી જેથી નિખિલ પોતે સામે ચાલીને કોર્ટ સમક્ષ હાજર થવા આવ્યો જ્યાં કોર્ટે સરન્ડર સ્વીકાર્યું અને પોલીસને યાદી પાઠવી.

નિખિલ સવાણીના વકીલ યશવંત સિંહાએ જણાવ્યું કે સુરત પોલીસ દ્વારા કોઇને કોઇ કારણોસર પાટીદાર યુવાનો ઉપર બિનજરૂરી રીતે કેસો કરવામાં આવ્યા છે. જ્યારે આ કેસોની અંદર નિખિલ સવાણીનું નામ બહાર આવ્યું તે અંગેની જાણ તેને તાત્કાલિક કરવામાં આવી. એટલું જ નહિ પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીને પણ પાટીદારો પર નોંધાયેલા કેસ અંગેની વિસ્તૃત માહિતી આપવા અંગેની જાણ કરાઈ હતી.  પરંતુ પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારનો સાથ સહકાર આપવામાં આવ્યો ન હતો.

Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ
આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ
કિંગ ખાનના હાથે જાનકી બોડીવાલાને મળ્યો IIFA Awards
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ
પતિ ચહલને બીજી યુવતી સાથે જોઈ ધનશ્રીને થઈ જલન ! હવે Restore કર્યા ફોટા
લગ્નના 4 મહિનાના સિક્રેટ લગ્ન પછી છૂટાછેડા લઈ રહી છે અભિનેત્રી

જેથી  નિખિલ સવાણીને કોર્ટ સમક્ષ સરન્ડર કર્યું અને કોર્ટે નિખિલને લાજપોર જેલમાં મોકલવા માટે હુકમ કર્યો સાથો-સાથ સુરત પોલીસ કમિશનર અને સરથાણા પીઆઇને યાદી પાઠવી હતી.  જેમાં કે આરોપીની તપાસમાં જરૂર હોય તો કોર્ટમાં યાદી રજૂ કરી કસ્ટડી મેળવા કહ્યું.  અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો મામલે હમણાં સુધી ધરપકડ કરવામાં આવી ન હતી પરંતુ જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટીદારોને વન બાય વન પોલીસ દ્વારા સરકારના ઇશારે ધરપકડ કરવામાં આવી રહી હોવાના આરોપ પૂર્વ પાસ કન્વીનર નિખિલ સવાણીએ કર્યો છે.

[yop_poll id=1630]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">