Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ મહિનામાં શરૂ થશે, સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને ફાયદો થશે

રાજકોટ-અમદાવાદ હાઇવે પર સ્થિત, એરપોર્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ માટે સમય અને ખર્ચ સંબંધિત ઉકેલો લાવશે. વર્ષ 2018માં મોદી સરકાર દ્વારા એરપોર્ટ માટે 1405 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ મહિનામાં શરૂ થશે, સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને ફાયદો થશે
Rajkot International Airport will open in August, benefiting Saurashtra's industrialists
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 5:52 PM

રાજકોટના (Rajkot) જિલ્લા મેજીસ્ટ્રેટના જણાવ્યા મુજબ, હીરાસર એરપોર્ટ અથવા રાજકોટ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Rajkot International Airport)આ વર્ષના ઓગસ્ટ સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. જેના થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હવાઈ ચપ્પલથી એરપ્લેન’ના વિઝનને મજબૂતી મળશે. આ એરપોર્ટ ઔદ્યોગિક શહેર રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું છે. એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં 23 હજાર ચોરસ મીટરનો પેસેન્જર ટર્મિનલ વિસ્તાર છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે બાંધકામના કામમાં ખૂબ જ સારી પ્રગતિ થઈ છે અને આ એરપોર્ટ આ વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.

તેમણે કહ્યું કે રનવેનું લગભગ 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે આ નવા એરપોર્ટથી સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કારણ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. તેમણે કહ્યું કે સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.

7 બોર્ડિંગ ગેટની સુવિધા

આજનું રાશિફળ તારીખ 20-03-2025
ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો
'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો

એરપોર્ટને કાર્ગો એરપોર્ટ તરીકે બમણું કરવામાં આવી રહ્યું છે. રાજકોર્ટ ડીએમએ કહ્યું કે એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. તેની ટોચ પર, એરપોર્ટ આપેલ સમયમર્યાદામાં 1280 થી વધુ મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે.

પીએમ મોદીએ 2017માં શિલાન્યાસ કર્યો હતો

રાજકોટ-અમદાવાદ હાઇવે પર સ્થિત, એરપોર્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ માટે સમય અને ખર્ચ સંબંધિત ઉકેલો લાવશે. વર્ષ 2018માં મોદી સરકાર દ્વારા એરપોર્ટ માટે 1405 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. હાલનું રાજકોર્ટ એરપોર્ટ શહેરની મધ્યમાં છે અને તેની આસપાસ રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોને કારણે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તે એરબસ 320, બોઇંગ 737-800 કરતાં મોટા એરક્રાફ્ટની સેવા કરવામાં અસમર્થ છે.

આ પણ વાંચો : ગુજરાતી ઉદ્યોગપતિ નરેન્દ્ર રાવલે પીએમ મોદી સાથે મુલાકાત કરી, આફ્રિકામાં ભારતીયોના વિકાસ માટે ચર્ચા વિચારણા કરી

આ પણ વાંચો :  Bhavnagar : પાણીની ટાંકીઓની સારસંભાળમાં કોર્પોરેશનની બેદરકારી, હવે કાળિયાબીડ પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
g clip-path="url(#clip0_868_265)">