Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનાં હસ્તે 2 ધનવન્તરી રથનું લોકાર્પણ, શ્રમિક પરિવારોને થશે ફાયદો

ઉલ્લેખનીય છે કે આ ધન્વન્તરિ રથની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઈટ, કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોચી આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પડાશે.

Mehsana: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનાં હસ્તે 2 ધનવન્તરી રથનું લોકાર્પણ, શ્રમિક પરિવારોને થશે ફાયદો
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Mar 08, 2023 | 7:34 PM

મહેસાણામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નવા બે ધનવન્તરી રથનું વિસનગરની જી.ડી. હોસ્પિટલ ખાતેથી લોકાર્પણ કર્યું હતું. આ અવસરે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે,આધુનિક મેડિકલ સુવિધાથી સજ્જ ધનવન્તરી રથનાં લોકાર્પણથી શ્રમિક પરિવારોને લાભ થશે. તેના થકી શ્રમિક તંદુરસ્ત બનશે. તંદુરસ્ત શ્રમિક હશે તો જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે અને તેના થકી અંતે તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણમાં શક્ય બનશે.

બે ધનવન્તરી રથ પૈકી એક વીસનગર ખાતે તથા એક કડી ખાતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વિભાગ અને EMRI GREEN HEALTH SERVICE નાં સંયુક્ત ઉપક્રમે કાર્યરત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ધન્વન્તરિ રથની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઈટ, કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોચી આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પડાશે.

જેમાં શ્રમિકોની ઓનલાઈન ડેટા એન્ટ્રી અને રજિસ્ટ્રેશન, જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે. બાંધકામ શ્રમિકોને વિના મૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ-નિર્માણ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા સાથે તબીબી સેવાઓ જેવી કે તાવ, ઝાડા, ઉલટીની સારવાર, ચામડીનાં રોગો ની સારવાર, સામાન્ય રોગોની સારવાર, રેફરલ સેવા,નાના બાળકોની સારવાર,સગર્ભા માતાની પ્રાથમિક તપાસ,ઉપરાંત લેબોરેટરી જેમાં હિમોગ્લબિનની તપાસ,મલેરીયાની તપાસ,પેશાબની તપાસ,લોહીમાં સુગરની તપાસ,પ્રગનેન્સી ટેસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ રહેશે.

ફાઈનલ જીતવા છતાં ભારતને નહીં મળે ચેમ્પિયન્સ ટ્રોફી, આ છે કારણ
IPL ની સૌથી અમીર માલકિન કોણ છે? કાવ્યા મારન કે નીતા અંબાણી..
બ્રેકઅપના વર્ષો બાદ કરીના કપૂર Ex શાહીદ કપૂરને ભેટી પડી ! જુઓ-Video
ઘરમાં કબૂતરનું માળો બનાવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
Astrology : રાહુ ટૂંક સમયમાં શનિની રાશિમાં કરશે પ્રવેશ, આ 3 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે
પીરિયડ્સ દરમિયાન ભૂલથી તુલસીને સ્પર્શ થાય તો શું કરવું જોઈએ?

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ,જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અમિત કાપડિયા, જીલ્લા પંચાયતના પ્રમુખ, વિસનગર નગરપાલિકાના પ્રમુખ, જી.ડી. હોસ્પીટલના સ્ટાફ કર્મીઓ વગેરે હાજર રહ્યા હતા.

સોલામાં હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ
સોલામાં હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ
હાજીપુરમાં એક જ પરિવારની 4 દીકરીની એક સાથે પોલીસમાં થઈ ભરતી
હાજીપુરમાં એક જ પરિવારની 4 દીકરીની એક સાથે પોલીસમાં થઈ ભરતી
અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું કરાયું લોકાર્પણ
અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું કરાયું લોકાર્પણ
Mehsana : બેફામ ડમ્પરની અડફેટે રાહદારી વૃદ્ધાનું મોત
Mehsana : બેફામ ડમ્પરની અડફેટે રાહદારી વૃદ્ધાનું મોત
વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અપાર ! PMને જોતા જ યુવક ચોધાર આંસુએ રડ્યો
વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અપાર ! PMને જોતા જ યુવક ચોધાર આંસુએ રડ્યો
નકલી ઘોડાનું મુવીમાં આ રીતે થાય છે શૂટિંગ-જુઓ વીડિયો
નકલી ઘોડાનું મુવીમાં આ રીતે થાય છે શૂટિંગ-જુઓ વીડિયો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા 7 કરોડના હીરા, આરોપીની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા 7 કરોડના હીરા, આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત મળશે
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા જિલ્લાનું હવામાન
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા જિલ્લાનું હવામાન
વીરપુર આવીને સ્વામી જ્ઞાનપ્રકાશે આખરે માંગી માફી, જુઓ વીડિયો
વીરપુર આવીને સ્વામી જ્ઞાનપ્રકાશે આખરે માંગી માફી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">