AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: 17 ફેબ્રુઆરીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કડાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો કરાવશે પ્રારંભ

Mehsana: સુજલામ સુફલામ જળ અભિયાન 2023 અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 17 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે કડાથી પ્રારંભ કરાવશે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર એન નાગરાજનના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.

Mehsana: 17 ફેબ્રુઆરીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કડાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો કરાવશે પ્રારંભ
મહેસાણા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક
Manish Mistri
| Edited By: | Updated on: Feb 16, 2023 | 8:40 PM
Share

સુજલામ સુફલામ જળ અભિયાન 2023 ને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 17 ફેબ્રુઆરી શુક્રવારે સવારે 09-00 કલાકે કડાથી પ્રારંભ કરાવનાર છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામા આવી હતી. જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાનથી નાગિરકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે સૌના સાથ,સૌના વિકાસથી કામ કરીએ તે જરૂરી છે.

આ અભિયાનમાં તળાવ – ચેકડેમો ઊંડા ઉતારવાની સાથે જનતાના સ્વાસ્થ્યને અસર કરતી ટાંકી, સંપ, પાણી-ગટરની લાઈન સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. જે કામગીરી ચીવટપુર્વક થાય તે માટે જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018થી શરૂ થયેલું “સુજલામ સુફલામ જળ અભિયાન” હેઠળ દર વર્ષે ખુબ સારી રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં આ અભિયાન 17 ફેબ્રુઆરીથી 31 મે સુધી ચાલવાનુ છે. આ વર્ષે પણ લોક ભાગીદારી, મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળ સંચયનું કામ  થાય અને નાગરીકોને તેનો લાભ મળે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે અધિકારીઓએ કામ કરવું જોઈએ તેમ જિલ્લા કલેકટર જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી ન બનતાં જાહેરહિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બને તે રીતે કામગીરી કરવાનું સુચન કર્યું હતું.

આ પણ વાંચો: Rajkot : ઉનાળાને ધ્યાનમાં રાખીને ટાંકી અને વોટર સંપની કરાશે સાફ સફાઈ, સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠકમાં લેવાયો નિર્ણય

આ બેઠકમાં જિલ્લા કલેકટરએ સુજલામ સુફલામ જળ અભિયાન–2023ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. તેમજ આ અભિયાન મહત્તમ લોક ભાગીદારી સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ ઓમ પ્રકાશ નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લાના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી સુજલામ સુફલામ જળ અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યુ છે. આ બેઠકમાં જિલ્લા કલેકટરે સુજલામ સુફલામ જળ અભિયાન– 2023ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો.

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">