TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
Breaking News: વલસાડમાં GIDCમાં ચીમનીમાં કામ કરવા ચઢેલા 2 કામદારો નીચે પટાકાયા, 1નું મોત, ફૂલવાડી ધામણી માર્ગ ઉપર લકઝરી બસ પલટી
બાબુભાઇ લખમણભાઈ દુબરા અને અખિલેશ નામના બે કામદારો નીચે પટકાયા હતા. તે પૈકી સારવાર દરમિયાન બાબુભાઈ લખમણભાઈનું મોત થયું હતું.
- Manasi Upadhyay
- Updated on: May 2, 2023
- 6:12 pm
Breaking News: અમદાવાદના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ
અમદાવાદમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં એસ.જી હાઇવે, ગોતા, જગતપુર રોડ, નિકોલ જેવા વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે આકરી ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
- Manasi Upadhyay
- Updated on: Apr 30, 2023
- 6:48 pm
Breaking News: ભાવનગર: તોડકાંડ મામલે યુવરાજસિંહ તથા તેના સાળાના બે દિવસના રિમાન્ડ મંજૂર
તોડકાંડમાં યુવરાજ સિંહ અને તેના સાળા કાનભાના બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આજે રિમાંડ પૂર્ણ થતા પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યાં હતા.
- Manasi Upadhyay
- Updated on: Apr 29, 2023
- 6:34 pm
Breaking News: અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ, મહેસાણામાં ભારે પવન ફૂંકાવાથી લાઇટ પોલને નુકસાન
હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. પબોર બાદ વાદલછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ વાદળોના ગડગડાટ પણ સાંભળવા મળ્યા હતા. તો અમરેલીમાં કમોસમી વરસાદ થયો હતો.
- Manasi Upadhyay
- Updated on: Apr 26, 2023
- 6:36 pm
Breaking News: બનાસકાંઠાના થરાદમાં ગટરની સાફ સફાઈ કરવા ઉતરેલા 1 સફાઇ કામદારનું મોત, IQ (આઇક્યુ) નામની એજન્સીના હતા કર્મચારી
બનાસકાંઠાના થરાદમાં ગટર સાફ કરવા ઉતરેલા બે કર્મચારીઓના મોતની ઘટના સામે આવી છે. આ ઘટના થરાદ નગર પાલિકાની હદમાં બની હતી. સ્થાનિક લોકોએ કરી તંત્રને આ અંગે જાણ કરતા 108ની ટીમ અને ફાયર ફાઈટર સહિત તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.
- Manasi Upadhyay
- Updated on: Apr 26, 2023
- 6:39 pm
Breaking News: વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાંથી ડમી પરીક્ષાર્થી ઝડપાયો, ડીપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની પરીક્ષા આપતો હતો ડમી
પ્રાથમિક વિગતો અનુસાર વંથલીનો મોઝન અબ્બાસ ઇબ્રાહિમ માંગરોળના ગરીબા અમર મો.ફારૂકના બદલે પરિક્ષાર્થી તરીકે બેઠો હતો
- Manasi Upadhyay
- Updated on: Apr 25, 2023
- 10:36 pm
Breaking News: યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી પોલીસે વધુ 25.50 લાખ કર્યાં રિકવર, વધુ 4 આરોપીઓની થઈ ધરપકડ
યુવરાજસિંહના સાળા શિવુભાના મિત્ર સંજય જેઠવા પાસેથી વધુ 25.50 લાખ રિકવર કરવામાં આવ્યા છે આ ઉપરાંત વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305 ની હાર્ડડિસ્કની રિકવરી કરવામાં આવી હતી.
- Manasi Upadhyay
- Updated on: Apr 25, 2023
- 9:31 pm
Breaking News: અમદાવાદમાં IPL ક્રિકેટ સટ્ટાના દુબઈ કનેક્શનનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે કરી 12 આરોપીની ધરપકડ
અમદાવાદમાં IPL સટ્ટાના દુબઇના તારનો પર્દાફાશ થયો છે અને પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.મુખ્ય આરોપી રવિન્દ્ર ઉર્ફે રવી મારવાડી , દિલીપ સોલંકી અને જીતુ માલી ફરાર છે.
- Manasi Upadhyay
- Updated on: Apr 24, 2023
- 11:31 pm
Breaking News: ડમી કાંડમાં વધુ 5 આરોપીઓ ઝડપાયા, આરોપીઓએ ધોરણ 10 તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી હતી, યુવરાજસિંહના સાળા કાનભાના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગર ડમી પેપર કાંડમાં પોલીસે આજે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ગત રોજ પોલીસે ઘનશ્યામ લાંધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરી હતી. . આ બંનેના તોડકાંડમાં યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. બિપિન ત્રિવેદી યુવરાજના નજીકનો મિત્ર છે જેનો વીડિયો સામે આવ્યા હતો. આ ઘટનામાં આજે વધું પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
- Manasi Upadhyay
- Updated on: Apr 24, 2023
- 8:58 pm
Breaking News: ડમી કૌભાંડમાં યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર, 29 એપ્રિલ સાંજે 5 કલાક સુધી રિમાન્ડ પર યુવરાજસિંહ
ડમી કૌભાંડમાં યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી , જોકે યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજ સિંહ 29 એપ્રિલ સાંજે 5 કલાક સુધી રિમાન્ડ પર રહેશે.
- Manasi Upadhyay
- Updated on: Apr 22, 2023
- 11:31 pm
Breaking News: ગાંધીનગર LCBનો સપાટો, દુબઇથી ઓપરેટ થતા સટ્ટાકાંડનો કર્યો પર્દાફાશ, 17 આરોપી સાથે 50 લેપટોપ સહિત લાખોનો મુદ્દામાલ કરાયો જપ્ત
ગાંધીનગરમાંથી LCB એ દુબઇથી ઓપરેટ થતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ ઘટનામાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ 50 લેપટોપ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામં આવ્યો હતો.
- Manasi Upadhyay
- Updated on: Apr 22, 2023
- 11:09 pm
Breaking News: પાટણના રાધનપુર રેલવે ટ્રેક ઉપર પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ, આર્થિક સંકડામણને કારણે ભર્યું પગલું, તમામને બચાવાયા
પાટણ જિલ્લામાં શ્રમિક પરિવારે આર્થિક સંકડામણને કારણે 4 બાળકો સાથે રેલવે ટ્રેક ઉપર પડતું મૂકયું હતું. જોકે રેલવે મેનની સજાગતાને કારણે બાળકો સહિત દંપતીને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ શ્રમિક પરિવારની મુલાકાત લીધી હતી.
- Manasi Upadhyay
- Updated on: Apr 22, 2023
- 5:51 pm