Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પવનની ગતિ ઘટતા ગિરનાર રોપ વે રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો, તો ચોટીલા રોપ વે અંગે હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી

ગત રોજ રોપ વે બંધ રાખવામાં આવતા  ગિરનાર ફરવા આવતા સહેલાણીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે આજે ફરીથી રોપ વે  સેવા પુન: શરૂ થતા ગિરનાર ફરવા આવતા સહેલાણીઓએ  રાહત અનુભવી હતી. 

પવનની ગતિ ઘટતા ગિરનાર રોપ વે રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો, તો ચોટીલા રોપ વે અંગે હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી
junagadh Ropeway
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 11:49 AM

જૂનાગઢમાં આવેલા ગિરનાર રોપ વે પવનની ગતિ ધીમી પડતા ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગત રોજ પ્રતિ કલાકે  65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોવાથી રોપ વે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગત રોજ રોપ વે બંધ રાખવામાં આવતા ગિરનાર ફરવા આવતા સહેલાણીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે આજે ફરીથી રોપ વે  સેવા પુન: શરૂ થતા ગિરનાર ફરવા આવતા સહેલાણીઓએ રાહત અનુભવી હતી.

સલામતી માટે લેવામાં આવે છે નિર્ણય

જ્યારે પણ પવનની ગતિ વધે ત્યારે  ઉષા બ્રેકો કંપની દ્વારા મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખતા રોપ વે બંધ કરી દેવામાં આવે છે. ગત રોજ પ્રતિ કલાકે 65 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાના પગલે રોપ વે સેવા બંધ રહેતા ઘણા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ગિરનાર પર્વત ન ચઢી શકતા મોટી ઊંમરના લોકો તેમજ બાળકોને લઈને આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.  નોંધનીય છે કે  ગિરનાર પર્વત તેમજ  આસપાસમાં ગાઢ જંગલો આવેલા છે. જેના કારણે અહીં વારંવાર તીવ્ર પવન ફૂંકાય છે.  તેથી પવન દરમિયાન તેમજ ચોમાસામાં એવી નોબત આવે છે કે રોપ વે સલામતીના કારણોસર બંધ રાખવો પડે છે.

ચોટીલા રોપ વે અંગે હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી

દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા યાત્રાધામ ચોટીલામાં રોપ વે બનાવવા અંગે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં રજૂઆત કરવામાં આવી હતી કે રોપ વે માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે જ કંપની યોગ્ય મરામત કરાવતી નથી. જેથી શ્રદ્ધાળુઓ માટે જીવના જોખમની પરિસ્થિતિ ઉભી થાય છે.

Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
છૂટાછેડા પછી આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ
ઉનાળામાં ફુદીનો ખાવાના ફાયદા જાણો
અભિનેતાની પત્નીને 7 વર્ષ પછી ફરી બ્રેસ્ટ કેન્સર થયું

આ મુદ્દે ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે સવાલ કર્યા હતા કે મોરબી જેવી દુર્ઘટન બની હોવા છતાં તમે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધર્યા વિના કોન્ટ્રાક્ટ શા માટે આપી દીધો છે. નોંધનીય છે કે શ્રી ચામુંડા માતાજી ટ્રસ્ટે અરજૂ કરીને રજૂઆત કરી હતી કે સરકારે ચોટીલા રોપ વે નો 500 કરોડનો કોન્ટ્રાક્ટ કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના આપી દેવામાં આવ્યો છે. આ કંપનીને રોપ વે બનાવવાનો કોઈ અનુભવ નથી.

ચોટીલામાં દર વર્ષે આશરે 20થી 25 લાખ લોકો દર્શન કરવા આવતા હોય છે ત્યારે આ બાબતમાં ગફલત સેવવી યોગ્ય નથી.

વિથ ઇનપુટ:  વિજયસિંહ પરમાર, ટીવી9 , જૂનાગઢ, રોનક વર્મા અમદાવાદ ટીવી9

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video
મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
g clip-path="url(#clip0_868_265)">