23 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ જંગના એંધાણ, હિઝબુલ્લાએ છોડ્યા 150થી વધુ રોકેટ
આજે 23 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અરઠી કાદરપુર વચ્ચે અકસ્માતમાં પોલીસકર્મીનું મોત
મહેસાણા: ખેરાલુ સતલાસણા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અરઠી કાદરપુર વચ્ચે અકસ્માતમાં પોલીસકર્મીનું મોત થયુ છે. અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો.. બાઈક સવાર પોલીસકર્મી સાથે તેમના પત્ની હતા. બંનેને ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર અર્થે વડનગર સિવિલ ખસેડાયા હતા. ફરજ પરના તબીબે પોલીસકર્મીને મૃત જાહેર કર્યો હતો.
-
અમદાવાદઃ બાકરોલમાં ઓનર કિલિંગનો કેસ
અમદાવાદઃ બાકરોલમાં ઓનર કિલિંગનો કેસ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીઓનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. 4 આરોપીના 8 દિવસના રિમાન્ડ પર છે. પરિવારજનોએ જ યુવતીની હત્યા કરી હતી. પિતા અને પિતરાઈ ભાઈ સહિત ચાર આરોપી રિમાન્ડ પર છે. તપાસ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખૂલી શકે છે.
-
-
PM મોદીએ ન્યૂયોર્કમાં કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે દ્વિપક્ષીય બેઠક કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમદ અલ-સબાહ અલ-સબાહ સાથે ન્યુયોર્ક, યુએસએમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
#WATCH | Prime Minister Narendra Modi holds a bilateral meeting with Crown Prince Sheikh Sabah Khaled Al-Hamad Al-Sabah Al-Sabah of Kuwait, in New York, US
(Source: ANI/DD News) pic.twitter.com/GQ3NtOWjEt
— ANI (@ANI) September 22, 2024
અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય સમૂદાયને PM મોદીએ સંબોધન કર્યુ. કહ્યુ- અમેરિકા-ઈન્ડિયા દુનિયાનો નવો AI પાવર છે. ક્વાડ સમિટની બેઠકમાં નામ લીધા વિના ચીન પર PMએ નિશાન સાધતા કહ્યું, અમે કોઈની વિરુદ્ધ નથી, પ્રાદેશિક અખંડિતતા માટે આદર છે. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ જંગના એંધાણ છે. હિઝબુલ્લાએ 150થી વધુ રોકેટ છોડ્યા છે. બોંબ શેલ્ટરમાં છૂપાવવા લોકો મજબૂર છે. તિરુપતિ પ્રસાદ વિવાદ મુદ્દે જગને PMને પત્ર લખ્યો છે. ચંદ્રાબાબુ જુઠ્ઠાણા ફેલાવતા હોવાનો આક્ષેપ કર્યો. તો દ્વારકા પીઠના શંકરાચાર્યે પણ પવિત્રતા જાળવવા અપીલ કરી છે. દાહોદમાં બાળકીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો. શાળાનો આચાર્ય જ હત્યારો નીકળ્યો. બાળકી પર દુષ્કર્મના પ્રયાસ કર્યો હતો.