Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: ધો.1 થી 8માં ફરજીયાત ગુજરાતી ભણાવવા અંગે ગૃહમાં રજૂ થશે બિલ

ગુજરાતીમાં ફરજીયાત અભ્યાસ અંગેના બિલમાં અનેક મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ વખત નિયમનો ભંગ કરનારી શાળાઓને રૂપિયા 50 હજારનો દંડ ફટકારવામાં આવશે.

Gandhinagar: ધો.1 થી 8માં ફરજીયાત ગુજરાતી ભણાવવા અંગે ગૃહમાં રજૂ થશે બિલ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 28, 2023 | 9:59 AM

હવેથી જો તમારા બાળકોએ ગુજરાતમાં ભણવું હશે તો ફરજીયાત ગુજરાતી ભાષા ભણાવવી પડશે. ગુજરાતભરની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ફરજીયાત ભણાવવું પડશે. રાજ્યમાં ચાલતી દરેક બોર્ડ સ્કૂલોને આ નિયમ લાગુ પડશે. જો કોઇ પણ શાળા ગુજરાતી નહીં ભણાવે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

ફરજીયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, 2023 ગૃહમાં થશે રજૂ

મહત્વનું છે કે સરકાર દ્વારા શાળાઓને ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ પણ કેટલીક શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ હવે આવતીકાલે વિધાનસભામાં બિલ પસાર થાય બાદ આ મુદ્દે કાયદો બની જશે અને ગુજરાતી નહીં ભણાવનારી શાળાઓ સામે કાર્યવાહી કરાશે.

ગુજરાતીમાં ફરજીયાત અભ્યાસ અંગેના બિલમાં અનેક મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ વખત નિયમનો ભંગ કરનારી શાળાઓને રૂપિયા 50 હજારનો દંડ ફટકારવામાં આવશે. તેમજ બીજી વખત નિયમનો ભંગ કરવામાં આવશે તો રૂપિયા 1 લાખનો દંડ કરવામાં આવશે અને ત્રીજી વખત નિયમનો ભંગ થશે તો તે શાળાને રૂપિયા 2 લાખનો દંડ કરાશે. અને જો ત્રણથી વધુ વખત નિયમોનો ભંગ કરવામાં આવશે તો જે-તે શૈક્ષણિક સંસ્થાની માન્યતા જ રદ્દ કરવામાં આવશે.

Air Coolers : ઉનાળામાં ઠંડી હવા આપશે આ 5 સસ્તા કુલર, કિંમત 5000 રૂપિયાથી ઓછી
કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?

કેન્દ્રીય વિદ્યાલય સહિત બોર્ડમાં ગુજરાતી ન ભણાવા અંગે પણ હાઇકોર્ટમાં થઈ હતી રજૂઆત

નોંધનીય છે કે ફેબ્રુઆરી માસમાં જ  શાળાઓમાં ફરજીયાત ગુજરાતી ભણાવવા મુદ્દે ગુજરાતહાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હજુ પણ કેન્દ્રીય વિદ્યાલય સહિત અને બોર્ડમાં ગુજરાતી ન ભણાવતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો છે. હાઇકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો કે, સરકારના જ પરિપત્રનો શા માટે અમલ કરાવવામાં નથી આવી રહ્યો? રાજ્ય સરકારે 23 શાળાને નોટિસ આપી હોવાની જાણ હાઇકોર્ટને કરી હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટને ખાતરી આપી કે આગામી દિવસોમાં ફરજીયાત ગુજરાતી ભણાવાય તે પ્રકારે પગલાં લેવાશે.

ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ પાસે હાઇકોર્ટે માગ્યો ખુલાસો

સ્કૂલોમાં માતૃભાષા ગુજરાતી નહીં ભણાવવા મામલે થયેલી જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે સરકાર પાસે આવી સ્કૂલો શા માટે ગુજરાતી નથી ભણાવતી? તે અંગે ખુલાસો માગ્યો હતો. સરકારને બે વખત જવાબ રજૂ કરવા આદેશ કરવા છતા સોગંદનામું કરવામાં આવ્યુ ન હતું. ત્યારબાદ સરકારે રજૂ કરેલા જવાબમાં 13 સ્કૂલોમાં જ ગુજરાતી નહી ભણાવતી હોવાનો જવાબ આપ્યો હતો. હાઇકોર્ટે આવી સ્કૂલો પાસે ખુલાસો માગ્યો છે કે કયા કારણથી ગુજરાતી ભણાવતા નથી?

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
g clip-path="url(#clip0_868_265)">