Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: ઘરકંકાસમાં પત્નીએ જ કાઢી નાખ્યુ પતિનું કાસળ, બાદમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો, જાણો શું છે સમગ્ર મામલો

પીએમ રિપોર્ટમાં આધારે પોલીસે તપાસ કરતા આ હત્યા અંગે ચોકાવનારી હકીકત બહાર આવી છે. પોલીસને (Ahmedabad Police) તપાસમાં મૃતક અનિલ દિવાકરની હત્યા તેની જ પત્ની મંગલા દિવાકરે કરી હોવાનું સામે આવ્યુ છે.

Crime: ઘરકંકાસમાં પત્નીએ જ કાઢી નાખ્યુ પતિનું કાસળ, બાદમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો, જાણો શું છે સમગ્ર મામલો
પત્નીએ જ કરી પતિની હત્યા
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 26, 2022 | 9:23 AM

અમદાવાદમાં (Ahmedabad) 22 ઓગસ્ટના કૃષ્ણનગરનાં ઠક્કરનગર વિસ્તારમાંથી એક વ્યક્તિએ આત્મહત્યા (suicide) કરી હોવાની ઘટના સામે આવી હતી. જો કે પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વ્યક્તિની આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પીએમ રિપોર્ટમાં આધારે પોલીસે તપાસ કરતા આ હત્યા અંગે ચોકાવનારી હકીકત બહાર આવી છે. પોલીસને (Ahmedabad Police) તપાસમાં મૃતક અનિલ દિવાકરની હત્યા તેની જ પત્ની મંગલા દિવાકરે કરી હોવાનું સામે આવ્યુ છે.

અમદાવાદના કૃષ્ણનગરનાં ઠક્કરનગર વિસ્તારમાં રહેતા અનિલ દિવાકરે ગત 22 ઓગસ્ટે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસને એક ફોન કોલ મળ્યો હતો જેમાં અનીલ દિવાકર નામના વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જો કે પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. જે બાદ પીએમ રિપોર્ટમાં સામે આવ્યું કે, અનિલ દિવાકરે આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યુ કે અનિલ દિવાકરની તેની જ પત્નીએ હત્યા કરી ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે પોલીસે મૃતકની પત્ની મંગલા દિવાકરની ધરપકડ કરી છે.

મંગલા દિવાકરે પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી દેતા તેને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે. મૃતકના ભાઇ સુનિલ દિવાકરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 22 ઓગસ્ટના રોજ સાંજે જ્યારે સુનિલ દિવાકર ઘરે હતા, ત્યારે સુનાલ દિવાકરના પત્નિએ તેમને જણાવ્યુ હતુ કે, અનીલભાઈના ઘરે કઈંક થયું છે. જેથી સુનિલ દિવાકર તેમની પત્ની સાથે ભાઈ અનીલના ઘરે ગયા હતા, જ્યાં ભાઇ અનીલ સીડી પર પડ્યો હતા, જેથી ભાઈને ઉઠાડવાનો પ્રયાસ કરતા તે ઉઠ્યો નહોતો અને તેના મોઢામાંથી લોહી નીકળતુ હતુ. જેથી 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ લઇ જતા તબીબે અનીલ દિવાકરને મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી, પોલીસે પુછતા મૃતક અનીલની પત્નિ મંગલાએ પતિ અનીલ ઉપરના રૂમની બારીમાં ચાદર ભરાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી તેવી વાત કરી હતી.

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

“આજ તો તુજે પુરા કર દુંગી” કહી પત્ની લઇ ગઇ હતી: સાક્ષી

પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, જોકે બાદમાં મૃતકના ભાઇ સુનીલે ઘરની આસપાસના લોકોની પુછપરછ કરતા ચાલીમાં રહેતા સન્ની કશ્યપ તથા મદનસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, 22મી ઓગસ્ટના રોજ રાતના સમયે તેઓ ચાલીના નાકે ઉભા હતા, ત્યારે અનીલ પણ ત્યાં બેઠો હતો ત્યારે તેની પત્નિ મંગલા ત્યાં બુમાબુમ કરતી આવી હતી અને અનીલને લાફા મારી “આજ તો તુજે પુરા કર દુંગી” તેમ કહી ધક્કા મારતી ઘરે લઈ ગઈ હતી. જેથી ફરિયાદી સુનીલ દિવાકરને ભાભીએ ભાઈએ આત્મહત્યા કરી તે ખોટી વાર્તા ઉભી કરી હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરવા પહોંચ્યા હતા. પોલીસ મથકે પહોંચતા જ સુનિલભાઈને જાણ થઈ હતી કે નાનાભાઈ અનીલનું ગળુ દબાવવાથી મોત થયુ છે અને તેના શરીરે મુઢ માર માર્યો હોવાની ઈજાઓ મળી આવી હોવાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું છે. જેથી આ મામલે ભાઈની પત્નીએ રાતના સમયે ઝઘડો કરીને ભાઈની હત્યા કરી હોવાનું ધ્યાને આવતા આ મામલે કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મૃતક વારંવાર દારુના નશામાં ઘર કંકાસ કરતો હોવાનો આરોપ

આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી પત્નિની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે મૃતક અનિલ દિવાકર અવારનવાર દારૂના નશામાં ઘરે આવતા પત્ની સાથે ઝઘડો થતો હતો અને તે બાબતે કંટાળીને જ પત્ની મંગલાએ ગળું દબાવી હત્યા કરી હતી. જોકે આ ઘટનામાં મૃતક અને આરોપીના બે બાળકો નિરાધાર બન્યા છે. હાલ તો પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી હત્યા પાછળનું સાચું કારણ દારૂની ટેવ અને ઘરકંકાસ જ છે કે પછી અન્ય કોઈ કારણસર પતિની હત્યા કરવામાં આવી છે તે જાણવાનાં પ્રયાસો હાથ ધર્યા છે.

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">