AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને બરછટ અનાજ ઉગાડવાનો કર્યો આગ્રહ, સાથે તેના ફાયદા પણ જણાવ્યા

રાગી અને જુવાર ઓછા પાણીમાં ઉગાડવામાં આવે છે, પરંતુ તેમાં વધુ પોષક તત્વો હોય છે. જો કે, લોકો આ ચમત્કારિક અનાજ એ વિચારીને નથી ખાઈ રહ્યા કે તે ગરીબ માણસનો ખોરાક છે.

કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને બરછટ અનાજ ઉગાડવાનો કર્યો આગ્રહ, સાથે તેના ફાયદા પણ જણાવ્યા
MilletsImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2023 | 5:43 PM
Share

કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે નાના અને સીમાંત ખેડૂતોને બાજરીનો વધુ જથ્થો ઉગાડવા વિનંતી કરી હતી જે ભારત અને વિશ્વમાં કુપોષણને નાબૂદ કરવામાં મદદ કરી શકે છે. જેમ કે રાગી અને જુવાર ઓછા પાણીમાં ઉગાડવામાં આવે છે, પરંતુ તેમાં વધુ પોષક તત્વો હોય છે. જો કે, લોકો આ ચમત્કારિક અનાજ એ વિચારીને નથી ખાઈ રહ્યા કે તે ગરીબ માણસનો ખોરાક છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, મહિલાઓના કાર્યોને રોજિંદા જીવનમાં પણ સન્માનવા CM ભૂપેન્દ્ર પટેલનું આહવાન

રાષ્ટ્રીય રાજધાનીના પુસા કેમ્પસમાં અહીં વાર્ષિક ‘કૃષિ વિજ્ઞાન મેળા’ના ઉદ્ઘાટન સંબોધનમાં તોમરે જણાવ્યું હતું કે બાજરી નાના અને સીમાંત ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવે છે, મોટા ખેડૂતો દ્વારા નહીં. તેમણે કહ્યું કે કુપોષણની સમસ્યા અને આબોહવા પરિવર્તનના પડકારો વચ્ચે ભારતે અગ્રેસર ભૂમિકા ભજવી છે અને વર્તમાન વર્ષ સમગ્ર વિશ્વમાં બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

કુપોષણની સમસ્યાને હલ કરી શકે છે

તોમરના મતે, બરછટ અનાજ ન માત્ર પોષક તત્વની દષ્ટિએ સમૃદ્ધ છે, પરંતુ ખેડૂતો માટે સારા ભાવ પણ અપાવે છે અને તે નાના અને સીમાંત ખેડૂતો માટે સારું રહેશે, જેઓ ભારતના કુલ ખેડૂત સમુદાયના 80 ટકા છે. તોમરે કહ્યું, આપણે સારું ખાઈએ છીએ, પરંતુ પોષક આહાર નથી ખાતા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં કુપોષણની સમસ્યા છે. આપણે વધુ બાજરી ઉગાડીને કુપોષણની સમસ્યાને હલ કરી શકીએ છીએ.

ઘઉં અને ચોખા કરતાં વધુ સારું પોષણ આપી શકે છે

ભારત બરછટ અનાજ ઉત્પાદક દેશ છે. તેમણે કહ્યું કે જો બરછટ અને બાજરી આધારિત ઉત્પાદનોની ભારે માગ ઉભી કરવામાં આવે તો નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારી શકાય છે. તેમણે કહ્યું કે સરકાર બાજરી માટે બજાર બનાવવા અને મૂલ્યવર્ધનને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરી રહી છે. તેમને ‘ગરીબ માણસના ખોરાક’થી આગળ વધારી તેને બ્રાન્ડ કરવા માટે સરકારે આઠ પ્રકારની બાજરીને શ્રી અન્ન નામ આપવાનો નિર્ણય લીધો હતો, જે ઘઉં અને ચોખા કરતાં વધુ સારું પોષણ આપી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

હિમાંશુ પાઠક અને IARIના ડાયરેક્ટર એ.કે.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા

ભારતીય બરછટ અનાજની નિકાસ માટે મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર 16 આંતરરાષ્ટ્રીય વેપાર પ્રદર્શનો અને ખરીદનાર-વિક્રેતા મીટ્સ (બીએસએમ)માં નિકાસકારો, ખેડૂતો અને વેપારીઓની સહભાગિતાને સરળ બનાવવાની યોજના ધરાવે છે. તોમરે એમ પણ કહ્યું કે જળવાયુ પરિવર્તન અને વધતી વસ્તી એ તમામ દેશો સામે પડકાર છે.

ભારતીય વૈજ્ઞાનિકોએ આબોહવાને અનુકૂળ બીજની જાતો વિકસાવી છે. તેમ છતાં આબોહવા પરિવર્તનની અસરો રહેશે અને ખેડૂતોએ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પડકારોના જવાબમાં કામ કરવાનું ચાલુ રાખવું પડશે. આ વર્ષે ‘કૃષિ વિજ્ઞાન મેળા’માં 200થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ પ્રસંગે કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી, ડાયરેક્ટર જનરલ ICAR હિમાંશુ પાઠક અને IARI ડાયરેક્ટર એ.કે.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

(ઇનપુટ ભાષા)

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">